અધ્યાય-૬૮-ભરતરાજાનું ચરિત્ર
II नारद उवाच II दौष्यन्ति भरतं चापि मृतं सृंजय शुश्रुम I कर्माण्यमुकराण्यन्यै: कृतवान यः शिषुर्वने II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,આપણે સાંભળીએ છીએ કે દુષ્યંતનંદન ભરતરાજ પણ મરણ પામી ગયો છે.તેણે બાલ્યાવસ્થામાં પણ વનમાં રહીને બીજાઓથી ન બને તેવા પરાક્રમો કર્યા હતા.તે બળવાન ભરત પોતાની બાલ્યાવસ્થામાં સિંહોને,પોતાના બળથી વીર્યહીન કરીને ઘસડતો હતો ને બાંધતો હતો.વળી,તે ક્રૂર અતિઉગ્ર વાઘોને દમન કરીને પોતાને વશ કરતો હતો.અતિબળવાન હોવાથી તે ક્રૂર સર્પો ને હાથીઓને પણ દાંતમાંથી પકડીને પાછા હટાવી દેતો હતો.વળી,પાડાઓ,બળવાન મૃગો,ગેંડાઓ,ને બીજા જાનવરોને પણ તે પોતાના પ્રાણોને સંકટમાં મૂકીને બાંધતો ને તેમને હેરાન કરી છોડી મુકતો હતો.ભરતનાં એવાં કામો જોઈને બ્રાહ્મણોએ તેનું બીજું નામ 'સર્વદમન' પાડ્યું હતું.ને એજ નામે એને બોલાવતા હતા.એની માતા શકુંતલા તો તેને વારંવાર કહેતી હતી કે-'હે પુત્ર,તું જંગલી પ્રાણીઓને ન મારીશ'





