પ્રતિજ્ઞા પર્વ
અધ્યાય-૭૨-અર્જુનનો શોક ને કોપ
II संजय उवाच II तस्मिन्नहनि निर्वुत्ते घोरे प्राणमृतां क्षये I आदित्येस्तं गते श्रीमान्संध्याकाल उपस्थिते II १ II
સંજય બોલ્યો-તે દિવસે જયારે ઘોર સંહાર બંધ પડ્યો,સૂર્યનો અસ્ત થયો અને સંધ્યાકાળ થયો ત્યારે સર્વ સૈનિકી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા હતા.અર્જુન,પોતાના દિવ્ય અસ્ત્રો વડે સંશપ્તકોનો સંહાર કરીને છાવણી તરફ પાછો વળી રહ્યો હતો ત્યારે એકાએક તેને આંસુ ભરાઈ આવ્યાં.ને તેણે ગોવિંદને કહ્યું કે-'આજે મારુ હૃદય કેમ ધડકે છે?મને અનિષ્ઠ અપશુકનો થઇ રહ્યાં છે અને મારુ અંગ જાણે થરથરે છે,પૃથ્વી પરના ઉત્પાતો મને ત્રાસ પમાડે છે તે કૈંક અશુભ સૂચવતું લાગે છે.મારા મોટાભાઈ યુધિષ્ઠિર તેમના અમાત્યો સાથે કુશળ તો હશે ને?'





