અધ્યાય-૮૮-અર્જુન રણમાં દેખાયો
II संजय उवाच II ततो व्यूढेष्वनिकेषु समुत्फ़्रुष्टेषु मारिष I ताड्यमानासु भेरीषु मृदङ्गेषु नदत्सु च II १ II
સંજય બોલ્યો-તે પછી,હે રાજા,જયારે સૈન્યો બરોબર ગોઠવાઈ ગયા ત્યારે ત્યાં ચોતરફ બુમાબુમ થઇ રહી હતી,મૃદંગો ગાજી રહ્યા હતાં,શંખો ફૂંકાઈ રહ્યા હતા ને સાંભળતાં રુંવાં ખડાં થઇ જાય તેવો કોલાહલ સર્વ સ્થળે મચી રહ્યો હતો.ત્યાં રૌદ્ર મુહૂર્ત થયું ને અર્જુન રણમાં દેખાયો.તે જેવો રણમાં આવ્યો ત્યારે ત્યાં ભયંકર ઉત્પાતો દેખાવા લાગ્યા હતા.તે સમયે,વ્યૂહરચના કરવામાં કુશળ એવા ધૃષ્ટદ્યુમ્ને અને નકુલપુત્ર શતાનીકે સૈન્યોની વ્યૂહ રચના કરી હતી.



