અધ્યાય-૧૦૪-કૌરવોનો ઘેરો
II संजय उवाच II तापका हि समीक्ष्यैव धृष्यन्धकपुरुत्तमो I ग्रागत्वरज्जिधांरांतस्तथैव विजयः परान् II १ II
સંજય બોલ્યો-તમારા પક્ષના યોદ્ધાઓ એ પ્રમાણે શ્રીકૃષ્ણ તથા અર્જુનને ત્યાં આગળ જોઈને તેમને મારી નાખવાની ઈચ્છાથી એકદમ ઉતાવળ કરવા લાગ્યા અને અર્જુન પણ પોતાના શત્રુઓને મારી નાખવા ઇચ્છીને ઉતાવળ કરવા લાગ્યો.ત્યારે ભૂરિશ્રવા,શલ,કર્ણ,વૃષસેન,જયદ્રથ,કૃપાચાર્ય,મદ્રરાજ,અને અશ્વત્થામા-એ આઠ મહારથીઓ જાણે આકાશને પી જતા હોય,તેમ જોશભેર અર્જુન પર ચઢી આવ્યા હતા.તે દંશીલા મહારથીઓએ તીક્ષ્ણ બાણો મૂકીને અર્જુનની દશેય દિશાઓને ઢાંકી દીધી હતી.તેઓ પોતપોતાના શંખો વગાડવા લાગ્યા અને આકાશ તથા સમુદ્ર સહીત પૃથ્વીને ગજાવી મૂકવા મંડ્યા.





