Apr 11, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1101

 

અધ્યાય-૧૦૫-મહારથીઓની ધજાઓનું વર્ણન 

II धृतराष्ट्र उवाच II ध्वजान् बहुविधाकारान भ्राजमानानतिश्रिया I पार्थानां मामकानां तान्ममाचक्ष्व संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવોની તથા મારા યોદ્ધાઓની અનેક પ્રકારના આકારવાળી ધજાઓ વિષે તું મને કહે.

સંજય બોલ્યો-તે યોદ્ધાઓની ધજાઓ અનેક પ્રકારનું હતી,તેમના આકાર રંગ અને નામ વિષે હું તમને કહું છું સાંભળો.તે જુદુજુદી જાતની ધજાઓ અગ્નિ સરખી,વિવિધ રંગોવાળી ને બધી લગભગ સુવર્ણની જ હતી.અર્જુનની ધજા સિંહસમાન  પૂંછડાવાળા તથા ઉગ્ર મુખવાળા વાનરના ચિહ્નવાળી હતી ને ભયકંર દેખાતી હતી.પતાકાઓથી શોભતો અર્જુનનો ધ્વજ કૌરવોના સૈન્યને ત્રાસ પમાડતો હતો.

Apr 10, 2026

ભાગવત રહસ્ય-૧૧૮-Bhgavat Rahasya-118

બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો ? નારદજી કહે છે-તમે ભલે મત્સર કરો-પણ અનસૂયા તમને સદભાવથી જોશે. તમારા પ્રત્યે સદભાવ રાખશે.
દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએ કરાવી છે. “આજથી પ્રતિજ્ઞા કરો –કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ. જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1100

 

અધ્યાય-૧૦૪-કૌરવોનો ઘેરો 

 II संजय उवाच II तापका हि समीक्ष्यैव धृष्यन्धकपुरुत्तमो I ग्रागत्वरज्जिधांरांतस्तथैव विजयः परान् II १ II

સંજય બોલ્યો-તમારા પક્ષના યોદ્ધાઓ એ પ્રમાણે શ્રીકૃષ્ણ તથા અર્જુનને ત્યાં આગળ જોઈને તેમને મારી નાખવાની ઈચ્છાથી એકદમ ઉતાવળ કરવા લાગ્યા અને અર્જુન પણ પોતાના શત્રુઓને મારી નાખવા ઇચ્છીને ઉતાવળ કરવા લાગ્યો.ત્યારે ભૂરિશ્રવા,શલ,કર્ણ,વૃષસેન,જયદ્રથ,કૃપાચાર્ય,મદ્રરાજ,અને અશ્વત્થામા-એ આઠ મહારથીઓ જાણે આકાશને પી જતા હોય,તેમ જોશભેર અર્જુન પર ચઢી આવ્યા હતા.તે દંશીલા મહારથીઓએ તીક્ષ્ણ બાણો મૂકીને અર્જુનની દશેય દિશાઓને ઢાંકી દીધી હતી.તેઓ પોતપોતાના શંખો વગાડવા લાગ્યા અને આકાશ તથા સમુદ્ર સહીત પૃથ્વીને ગજાવી મૂકવા મંડ્યા.

Apr 9, 2026

ભાગવત રહસ્ય-૧૧૭-Bhgavat Rahasya-117

સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી.તેમાં રહેલા –ભાવ-ને મહત્વ આપેલું છે.
સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી,પાપ થાય છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી- 'સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે'-મંત્ર બોલીને દરેક સત્કાર્ય ની શરૂઆત થાય છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારું બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1099

 

અધ્યાય-૧૦૩-દુર્યોધનની હાર


 II संजय उवाच II एव्मुक्त्वार्जुनं राजा त्रिभिर्मर्मातिगैः शरैः I अभ्यविध्यन्महावैगैश्वतुरो हयान् II १ II

સંજય બોલ્યો-એમ કહીને રાજા દુર્યોધને મર્મને ભેદી નાખે તેવાં ત્રણ બાણોથી અર્જુનને વીંધી નાખ્યો.વળી,ચાર બાણોથી ઘોડાઓને ને દશ બાણોથી વાસુદેવને છાતીમાં વીંધ્યા ને એક બાણથી શ્રીકૃષ્ણના હાથમાં રહેલી ચાબૂકને કાપી નાખી.ત્યારે અર્જુને ક્રોધિત થઈને ચૌદ બાણોનો સામે પ્રહાર કર્યો પણ તે બાણો દુર્યોધનના કવચમાં નિષ્ફળ ગયાં.અર્જુને પુનઃ ચૌદ બાણોનો પ્રહાર કર્યો પરંતુ તે બાણો પણ નિષ્ફળ થઇ પડ્યાં.અર્જુનનાં બાણોને નિષ્ફળ થતાં જોઈને વાસુદેવે કહ્યું-'અરે અર્જુન,તારાં બાણો વ્યર્થ જાય છે આ તે તારી શી ફજેતી?તારા હાથનું ને ગાંડીવનું સામર્થ્ય ક્યાં ગયું છે?'

Apr 8, 2026

ભાગવત રહસ્ય-૧૧૬-Bhgavat Rahasya-116

Photo-By-Anil Shukla
મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે.