અધ્યાય-૧૦૬-દ્રોણનો પાંડવો પર ધસારો-યુધિષ્ઠિરનું પાછા હટવું
II धृतराष्ट्र उवाच II अर्जुने सैन्धवं प्राप्ते भरद्वाजेन संवृताः I पांचलाः कुरुभिः सार्ध किमकुर्वत संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,જે સમયે અર્જુન સિંધુરાજ પાસે પહોંચ્યો ત્યારે દ્રોણાચાર્યથી ઘેરાયેલા પાંચાલોએ કેવું યુદ્ધ કર્યું હતું?
સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસના પાછળના ભાગમાં રુંવાં ઊભાં થઇ જાય તેવા કૌરવ-પાંચાલના એ સંગ્રામમાં દ્રોણાચાર્યના વધ માટેનો યુદ્ધજુગાર આરંભાયો.પાંચાલો મનમાં હર્ષિત થઈને ગર્જનાઓ કરી કરીને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા હતા ને કૌરવો સાથેનું તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું હતું.મોટા મોટા અસ્ત્રોનો પ્રયોગ કરતા પાંચાલરથીઓ પૃથ્વીને કંપાવતા કંપાવતા સાધારણ વેગથી દ્રોણના રથ સુધી આવી પહોંચ્યા.





