અધ્યાય-૧૧૧-સાત્યકિનાં વચનો
II संजय उवाच II प्रीतियुक्तं च हृदं च मधुराक्षरमेव च I कालयुक्तं च चित्रं च न्याय्यं यच्चाषि भाषितम् II १ II
સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,એ રીતે પ્રેમયુક્ત,સુંદર,મધુર અક્ષરોવાળું,સમયને યોગ્ય,અદભુત અને કહેવાને ન્યાયયુક્ત એવું ધર્મરાજાનું વચન સાંભળીને શિનિશ્રેષ્ઠ સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,અર્જુનને માટે તમે જે ન્યાયયુક્ત,અદભુત અને યશસ્કર વાક્ય કહ્યું તે મેં બરોબર સાંભળ્યું છે.આવા કટોકટીના સમયમાં મારા જેવાને,પોતાના અનુરાગી સુહૃદ તરીકે જોઈને તમે જે રીતે અર્જુનને કહો તે જ રીતે મને કહેવાને પણ યોગ્ય છો.મારે અર્જુનને માટે કદી પણ મારા પ્રાણોને વહાલા કરવાના હોય નહિ,વળી,જયારે તમારી પ્રેરણા થઇ છે તો હું આ મહારણમાં શું ન કરું?





