અધ્યાય-૧૩૨-ભીમ અને કર્ણનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II स्वयं शिष्यो महेशस्य भुगुत्तमधनुर्धरः I शिष्यत्वं प्राप्तवान कर्णस्तस्य तुल्योस्त्र विद्यया II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-મહેશ્વરના શિષ્ય અને ભૃગુઓના ઉત્તમ ધનુર્ધર એવા પરશુરામનો,કર્ણ શિષ્ય છે અને અસ્ત્રવિદ્યામાં લગભગ તેમના સરખો જ છે.છતાં ભીમસેને તેને લીલામાત્રમાં કેમ જીતી લીધો? જે કર્ણ પર મારા પુત્રોની મહાન વિજયાશા અવલંબી રહી છે તે કર્ણને ભીમથી પરાજય પામેલો જોઈને દુર્યોધન શું બોલ્યો હતો?કર્ણે પછી શું કર્યું હતું? તે તું મને કહે.





