May 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1141

 

અધ્યાય-૧૪૪-ભૂરિશ્રવાની ઉત્પત્તિ અને સાત્યકિની પ્રશંસા 


II धृतराष्ट्र उवाच II अजितो द्रोणराधेयविकर्णकृतवर्मभि:I तीर्णः सैन्यार्णव वीरः प्रतिश्रुत्य युधिष्ठिरे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ વીર સાત્યકિને દ્રોણ,કર્ણ,વિકર્ણ અને કૃતવર્મા સુદ્ધાં કોઈ રોકી શક્યા ન હતા અને એ સૈન્યરૂપ મહાસાગરને તરી ગયો હતો તો તે સાત્યકિને ભૂરિશ્રવાએ પોતાને તાબે કરીને કેમ કરી બલાત્કારે પૃથ્વી પર પાડી દીધો હતો?

May 24, 2026

ભાગવત રહસ્ય-૧૫૮-Bhgavat Rahasya-158

દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું) 
સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1140

 

અધ્યાય-૧૪૩-ભૂરિશ્રવાનો વધ 


 II संजय उवाच II स बाहुर्न्ययतदभूमौ सखड्गः सशुभांगदः I आदध्जीवलोकस्य दुःखमदभुतमुत्तमः II १ II

સંજય બોલ્યો-ભૂરિશ્રવાનો તે ઉત્તમ હાથ તલવાર અને સુંદર બાજુબંધ સહીત પૃથ્વી પર પડ્યો,તે જોઈને પ્રાણીમાત્ર અત્યંત ખિન્ન થઇ ગયાં.પોતાના શરીરને અર્જુને નકામું કરી નાખ્યું,એટલે ભૂરિશ્રવા સાત્યકિનો ત્યાગ કરીને અર્જુનની નિંદા કરતાં તેને કહેવા લાગ્યો કે-'હે કુંતાપુત્ર,ખેદની વાત છે કે તેં આ ક્રૂર કર્મ કર્યું છે.કારણકે મારી નજર ન હતી ને હું બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે તેં મારા બાહુને કાપી નાખ્યો છે.ધર્મપુત્ર યુધિષ્ઠિરને તું શું કહીશ?શું તું એમ કહીશ કે ભૂરિશ્રવા બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે મેં દગો કરીને તેને મારી નાખ્યો છે? 

May 23, 2026

ભાગવત રહસ્ય-૧૫૭-Bhgavat Rahasya-157

સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1139

 

અધ્યાય-૧૪૨-અર્જુને કરેલો ભૂરિશ્રવાનો બાહુચ્છેદ 


 II संजय उवाच II तमापततं संप्रेक्ष्य सात्त्वतं युद्धदुर्मदम् I क्रोधाद्भूरिश्रवा राजन सहसा समुपाद्रवत II १ II

સંજય બોલ્યો-હે રાજન,તે પછી,યુદ્ધ દુર્મદ સાત્યકિને ધસી આવતો જોઈ,ભૂરિશ્રવા ક્રોધપૂર્વક તેની સામે ધસી ગયો ને તેને કહેવા લાગ્યો કે-'આજે તું મારી નજરે આવી ચડ્યો છે તે બહુ સારું થયું.આજના રણમાં હું લાંબા વખતથી ઈચ્છેલા મારા અભિલાષને પૂર્ણ કરીશ.આજે તું જો રણસંગ્રામનો ત્યાગ નહિ કરે તો મારી પાસેથી છૂટવાનો નથી.'ત્યારે સાત્યકિએ સામે કહ્યું કે-'આ રણમાં મને કોઈ વાણીના બકવાદથી ડરાવી શકે તેમ નથી,જે મને હથિયાર વિનાનો કરે તે જ મને મારી શકે તેમ છે.આજે હું તને માર્યા વિના રણમાંથી નિવૃત્ત થઈશ નહિ.તું આજે આ લોકમાં ઘણા સમયથી ઈચ્છેલા યુદ્ધને થવા દે.'

May 22, 2026

ભાગવત રહસ્ય-૧૫૬-સ્કંધ-૭-Bhgavat Rahasya-156-Skandh-7

છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ.