અધ્યાય-૧૪૪-ભૂરિશ્રવાની ઉત્પત્તિ અને સાત્યકિની પ્રશંસા
II धृतराष्ट्र उवाच II अजितो द्रोणराधेयविकर्णकृतवर्मभि:I तीर्णः सैन्यार्णव वीरः प्रतिश्रुत्य युधिष्ठिरे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ વીર સાત્યકિને દ્રોણ,કર્ણ,વિકર્ણ અને કૃતવર્મા સુદ્ધાં કોઈ રોકી શક્યા ન હતા અને એ સૈન્યરૂપ મહાસાગરને તરી ગયો હતો તો તે સાત્યકિને ભૂરિશ્રવાએ પોતાને તાબે કરીને કેમ કરી બલાત્કારે પૃથ્વી પર પાડી દીધો હતો?





