Jul 1, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1165

અધ્યાય-૧૬૭-સહદેવ અને કૌરવપક્ષી રાક્ષસ અલંબુષ નાઠા 


 II संजय उवाच II सहदेवमथायांतं द्रोणप्रेप्सुं विशांपते I कर्णो वैशर्तनो युद्धे वारयामास भारत II १ II

સંજય બોલ્યો-હે ભારત,ત્યાં સહદેવ દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં ધસી જતો હતો ત્યારે કર્ણે તેને અટકાવ્યો.સહદેવે તેને નવ બાણોથી વીંધ્યો.તે જોઈ કર્ણે સામે સો બાણોનો પ્રહાર કરીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.સહદેવે નવું ધનુષ્ય લઈને સામો પ્રહાર કર્યો ત્યારે કર્ણે અનેક બાણો મૂકીને સહદેવના સારથિ ને ઘોડાઓને મારી નાખ્યા.સહદેવે ઢાલ તલવાર હાથમાં લીધી,કે જેનો કર્ણે નાશ કર્યો.ત્યાર બાદ સહદેવે ગદા,શક્તિ રથનું પૈડું -વગેરેથી તેના સામે પ્રહાર કર્યો કે જે સર્વનો કર્ણે નાશ કર્યો.પછી હથિયાર રહિત થયેલા તે સહદેવે રણસંગ્રામનો ત્યાગ કર્યો.તે વખતે કર્ણે.પોતે કુંતીને આપેલા વચનનું સ્મરણ કરીને તે સહદેવને સંગ્રામમાં માર્યો નહોતો.પછી,તે કર્ણ પાંચાલવંશી જન્મેજયના રથ સામે ધસી ગયો.

Jun 30, 2026

Try -AI-here

ભાગવત રહસ્ય-૧૮૩-Bhgavat Rahasya-183

ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે.
(ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” 
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ 
તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ? 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1164

 

અધ્યાય-૧૬૬-ભીમ અને દુર્યોધનનું યુદ્ધ-દુર્યોધન નાઠો 


 II संजय उवाच II भुरिस्तु समरे राजन शैनेयं रथिनां वरम् I आपतंतमयासेधत् प्रयाणादिव कुंजरं II १ II

સંજય બોલ્યો-હે રાજન,ઢાળવાળી જમીન પર દોડી આવતા હાથીને જેમ અટકાવવામાં આવે તેમ,એ યુદ્ધમાં ધસી આવતા સાત્યકિને કૌરવ ભુરિએ અટકાવ્યો હતો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.બંને અરસપરસ બાણો મૂકી એકબીજાના ધનુષ્યને કાપતા હતા પણ તે બંને કુશળ યોદ્ધાઓ પલકવારમાં જ નવું ધનુષ્ય લઈને એકબીજાની છાતી પર પ્રહાર કરતા હતા.બંને અત્યંત વીંધાઈ ગયા હતા.છેલ્લે જયારે ભૂરિએ સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે અત્યંત ક્રોધાયમાન થયેલા સાત્યકિએ એક મહાન વેગવાળી શક્તિનો પ્રહાર કર્યો કે જેના પ્રહારથી ભુરિનાં અંગો છિન્નભિન્ન થયાં ને તે મરણશરણ થયો.

Jun 29, 2026

ભાગવત રહસ્ય-૧૮૨-સ્કંધ-૮-Bhgavat Rahasya-182-Skandh-8

સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.
પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના.
આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.
જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1163

 

અધ્યાય-૧૬૫-યુધિષ્ઠિરનું પલાયન થવું 


  II संजय उवाच II वर्तमाने तदा रौद्रे रात्रियुध्धे विशांपते I सर्वभूतक्षयकरे धर्मपुत्रो युधिष्ठिरः II १ II

સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,ત્યાં સર્વ ભૂતોનો ક્ષય કરનારું તે રાત્રિયુદ્ધ ચાલુ થયું ત્યારે યુધિષ્ઠિર સર્વ પાંડવો,પાંચાલો અને સોમકયોદ્ધાઓને કહેવા લાગ્યા કે-'તમે બધા દ્રોણાચાર્યને મારી નાખવા જ ધસારો કરો' તે સાંભળીને સર્વ પાંચાલો ને સૃન્જયો ભયંકર શબ્દોની ગર્જના કરતા દ્રોણ સામે ધસ્યા.યુધિષ્ઠિરને દ્રોણ સામે ધસી આવતા જોઈને હાર્દિકય કૃતવર્મા તેમની સામે યુદ્ધ કરવા દોડ્યો.સાત્યકિ સામે કુરુવંશી ભૃરી અને ધસી આવતા સહદેવ સામે કર્ણ ધસ્યો.ભીમ સામે દુર્યોધન અને નકુલ સામે શકુનિ યુદ્ધ કરવા ધસ્યા.શિખંડીને કૃપાચાર્યે અટકાવ્યો ને પ્રતિવિધ્યને દુઃશાસને આગળ જતો વાર્યો.