અધ્યાય-૧૬૮-નકુલપુત્ર શતાનીક વગેરે યોદ્ધાઓનું યુદ્ધ
II संजय उवाच II शतानीकं शरैस्तुर्ण निर्दहंतं चमूं तव I चित्रसेनस्तव सुतो वारयामास भारत II १ II
સંજય બોલ્યો-હે ભારત.નકુળનો પુત્ર શતાનીક,બાણો મુકીમુકીને તમારી સેનાને સંહારી રહ્યો હતો,તે જોઈને તમારા પુત્ર ચિત્રસેને તેને અટકાવ્યો,ને તેની છાતી પર નવ બાણો મૂકીને પ્રહાર કર્યો.શતાનીકે સામે બાણો મૂકી તેના કવચને,ધ્વજને ને ધનુષ્યને કાપી નાખ્યું.ચિત્રસેને નવું ધનુષ્ય લઈને શતાનિકને ફરીથી વીંધ્યો ત્યારે ક્રોધિત થયેલ શતાનીકે,ચિત્રસેનના ચારેય ઘોડાઓ ને સારથિને મારી નાખ્યા ને તેનું ધનુષ્ય પણ કાપી નાખ્યું.રથ વગરનો થયેલ ચિત્રસેન કૃતવર્માનાં રથ પર ચડી ગયો.


