અધ્યાય-૧૮૩-યુધિષ્ઠિરનો કોપ અને વ્યાસનાં સાંત્વના વચનો
II धृतराष्ट्र उवाच II कर्णदुर्योधननादीनां शकुनेः सौबलस्य च I अपनीतं महत्तात तव चैव विशेषतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'તે શક્તિના દુરુપયોગના સંબંધમાં કર્ણ,દુર્યોધન અને સુબલપુત્ર શકુનિ આદિ સર્વનો મહાન અપરાધ છે તેમાં વળી તારો તો ખાસ અપરાધ ગણાય.તમે બધા જાણતા હતા કે તે શક્તિ એક જ વીરનો નાશ કરનારી હતી.
સંજય બોલ્યો-'હે રાજન,પ્રતિદિન સંગ્રામમાંથી પાછા ફર્યા બાદ,અમારા સર્વની એ જ મસલત હતી કે કર્ણે બીજા કોઈ પર તે શક્તિ ફેંકવી નહિ પણ માત્ર અર્જુન કે કેશવ પર જ તે શક્તિ ફેંકવી.છતાં,પ્રભાત સમયે કર્ણની તથા બીજા યોદ્ધાઓની બુદ્ધિને દેવો નાશ કરી નાખતા હતા,માટે આ બાબતમાં હું દૈવને જ સર્વોત્કૃષ્ટ કારણ માનું છે.કર્ણ પણ કોઈ દૈવી માયાથી મોહિત થઈને કે દૈવે નષ્ટ કરેલી બુદ્ધિને અધીન થઈને શ્રીકૃષ્ણ કે અર્જુનના પર તેનો પ્રયોગ કર્યો નહિ ને તે શક્તિનો દુરુપયોગ થયો છે.'





