Jul 25, 2026

ભાગવત રહસ્ય-૨૦૫-Bhgavat Rahasya-205

વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળવામાં આવે -તો તે વાસના જ ઉપાસના બને.
અને મુક્તિ મળે.(મુક્તિ મનની છે,આત્મા તો સદા મુક્ત જ છે) 
વાસના ના બે પ્રકાર છે.(૧) સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના.
(૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં (જીભ-વગેરે) માં છે.આઠમા સ્કંધમાં સંતોના ચરિત્રો કહ્યા છે,
જેથી સ્થૂળ વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધ માં પ્રવેશ મળે.
(૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં છે.આ નવમા અધ્યાયમાં મન -બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.

Jul 24, 2026

ભાગવત રહસ્ય-૨૦૪-સ્કંધ-૯-Bhgavat Rahasya-204-Skandh-9

સ્કંધ-૯-આ સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું મનન કરીએ.(૧)-પહેલાં સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે.શિષ્યનો અધિકાર બતાવ્યો. 
અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,
પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો.વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. 
અનાધિકારી જ્ઞાનનો દુરુયોગ કરે છે.

Jul 23, 2026

ભાગવત રહસ્ય-૨૦૩-Bhgavat Rahasya-203

પરમાત્મા સર્વના હૃદય માં રહી,દીવાની જેમ-માત્ર સાક્ષીરૂપે પ્રકાશ આપે છે.
જીવ પાપ કરે કે પુણ્ય કરે તેની અસર –સાક્ષી પરમાત્માને થતી નથી.
ઈશ્વરને ન કહેવાય-નિષ્ઠુર કે ન –કહેવાય દયાળુ. ઈશ્વરના માટે કોઈ ધર્મ નથી.
ઈશ્વર આનંદરૂપ છે,સર્વવ્યાપક છે.આપણી બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે.
બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે.ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી.ઈશ્વર સ્વયં પ્રકાશ છે. 
ઈશ્વર સિવાય સર્વ પરપ્રકાશ્ય છે.

Jul 22, 2026

ભાગવત રહસ્ય-૨૦૨-Bhgavat Rahasya-202

બલિરાજાને ત્યાં જવા,લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે.ને પાતાળલોકમાં આવ્યા છે.કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજીએ બલિરાજા ને કહ્યું-કે –હું બ્રાહ્મણ કન્યા છું.આશાથી આવી છું.જગતમાં મારે કોઈ ભાઈ નથી,અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન.બલિને આનંદ થયો છે.બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી.હવે મને બહેન મળી ગઈ.આ બધું તમારું છે.આને તમારું પિયર માનજો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1182

 

દ્રોણવધ પર્વ 

અધ્યાય-૧૮૪-બંને પક્ષનાં સૈન્યો રણમાં જ નિંદ્રામાં 

 II संजय उवाच II व्यासेनैवमथोक्तस्तु धर्मराजो युधिष्ठिरः I स्वयं कर्णवधाद्विरो निवृत्तो भरतर्षभ II १ II

સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,વ્યાસજીએ એ પ્રમાણે કહ્યું એટકે ધર્મરાજ પોતે કર્ણનો વધ કરવા જતા અટકી ગયા ને ધૃષ્ટદ્યુમ્નને કહેવા લાગ્યા કે-'તું દ્રોણાચાર્યને અટકાવી દે.તું તેમનો નાશ કરવા જ બાણ,કવચ અને ધનુષ્ય સાથે અગ્નિમાંથી ઉત્પન્ન થયો છે,માટે ભય રાખ્યા વિના તેમની સામે ધસી જા.બીજા સર્વ યોદ્ધાઓ સૈન્ય સાથે તારી સાથે જ છે' એમ કહીને યુધિષ્ઠિરે સર્વ પાંડવ સૈન્યને ધૃષ્ટદ્યુમ્ન સાથે જઈ દ્રોણાચાર્યનો વધ કરવાની આજ્ઞા આપી.તેથી તે સર્વ દ્રોણાચાર્ય સામે ધસ્યા.

Jul 21, 2026

ભાગવત રહસ્ય-૨૦૧-Bhgavat Rahasya-201

બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી –પોતાનું તન આપ્યું નથી.-
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી –
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –
'હું દાન આપું છું.મન માં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું'
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.