Aug 10, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1189

 

અધ્યાય-૧૯૧-દ્રોણાચાર્યનું અંતિમ પરાક્રમ 


II संजय उवाच II तं दष्ट्वा परमोद्विग्नं शोकोपाहातचेतसम I पंचालराजस्य सुतो ध्रुष्ट्ध्युम्न समाद्रवत II १ II

સંજય બોલ્યો-દ્રોણાચાર્યને પરમ ઉદ્વેગ પામેલા ને શોકથી ખિન્ન થયેલા જોઈને,પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તેમની સામે ધસ્યો.તે ધૃષ્ટદ્યુમ્નને રાજા દ્રુપદે,મહાયજ્ઞમાં દેવોને હવિર્ભાગનું અર્પણ કરીને દ્રોણાચાર્યનો વિનાશ કરવા માટે પ્રદીપ્ત અગ્નિ પાસેથી મેળવ્યો હતો.તે ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર ધનુષ્ય હાથમાં લઈને અગ્નિસમાન મોટી જ્વાળાઓવાળું બાણ સાંધ્યુ.તે દિવ્ય બાણ જોઈને દ્રોણાચાર્ય પોતાના શરીરનો અંત આવેલો જ માનવા લાગ્યા.છતાં તેનું વારણ કરવા માટે પોતાનો બનતો પ્રયત્ન કરવા લાગ્યા હતા,પરંતુ તેમનાં દિવ્ય અસ્ત્રો તે વેળા પ્રગટ થયાં નહિ.

Aug 9, 2026

ભાગવત રહસ્ય -૨૨૦-Bhgavat Rahasya-220

રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.યુદ્ધ વખતે રાવણનું બખ્તર 
ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.
રામજીની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મનની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,
પણ રામજીએ રાવણને કહ્યું-કે-અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, 
આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુને કહે કે-
આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1188

 

અધ્યાય-૧૯૦-દ્રોણાચાર્યને અશ્વત્થામાના વધની શંકા 


II संजय उवाच II पंचालानां ततो द्रोनोप्यकरोत्कदनं महत् I यथा कृद्वो रणे शक्रो दानवानां क्षयं पुरा II १ II

સંજય બોલ્યો-જેમ,પૂર્વે દેવાસુરના રણમાં ક્રોધાયમાન થયેલા ઇન્દ્રે દાનવોનો મહાન ક્ષય કરી નાખ્યો હતો,તેમ ક્રોધાયમાન થયેલા દ્રોણાચાર્યે પણ પાંચાલોનો મહાન ક્ષય કરી નાખ્યો.જયારે તેમનાં અસ્ત્રો સંગ્રામમાં પ્રગટ થવા લાગ્યાં ત્યારે પાંડવોમાં ભયનો પેસારો દાખલ થયો.યુદ્ધમાં પોતાના ઘોડાઓ,હાથીઓ તથા યોદ્ધાઓનો મોટો સંહાર થઇ રહેલો જોઈને પાંડવોની વિજયની આશા નિરાશામાં બદલાઈ ગઈ.ત્યારે બુદ્ધિમાન શ્રીકૃષ્ણ મનમાં વિચારવા લાગ્યા કે-

Aug 8, 2026

ભાગવત રહસ્ય -૨૧૯-Bhgavat Rahasya-219

નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુના દોષનું શિષ્યે 
અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,
તેમની ભૂલનું નહિ.વડીલોના દોષનું અનુકરણ કરવું નહિ.
એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની 
રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1187

 

અધ્યાય-૧૮૯-સંકુલ યુદ્ધ 


II संजय उवाच II तस्मिंस्तथा वर्तमाने गजाश्वनरसंक्षये I दुःशासनो महाराज ध्रुष्टध्युम्नंयोधयत II १ II

સંજય બોલ્યો-જયારે હાથી,ઘોડા ને મનુષ્યોનો એવી રીતે સંહાર ચાલી રહ્યો હતો ત્યારે દુઃશાસન,ધૃષ્ટદ્યુમ્ન સામે લડી રહયો હતો.ધૃષ્ટદ્યુમ્ને બાણોથી દુઃશાસનના રથને ઢાંકી દીધો ને તેને અત્યંત પીડયો.પીડાથી દુઃશાસનને તેની સામે ઉભા રહેવાની શક્તિ રહી નહિ ને ત્યાંથી તે નાઠો.ધૃષ્ટદ્યુમ્ને આમ દુઃશાસનને નસાડયો ને પછી તે દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા ચાલ્યો.નકુલ અને સહદેવ તેના પૃષ્ઠરક્ષક થઈને તેની સાથે જતા હતા.ત્યારે તેમની સામે હાર્દિકય વંશનો કૃતવર્મા અને તેના ત્રણ ભાઈઓ ચઢી આવ્યા ને તેને અટકાવવા લાગ્યા.ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.

Aug 7, 2026

ભાગવત રહસ્ય -૨૧૮-Bhgavat Rahasya-218

શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.ચંદન અને પુષ્પ થી રામજીની સેવા કરીએ 
તેના કરતાં યે –રામજીની આજ્ઞાનું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-
પણ રામજીની ઉપર મુજબની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.
રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.