Aug 22, 2026

ભાગવત રહસ્ય-૨૩૩-Bhgavat Rahasya-233

સીતાજી,સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે- જાય છે.
અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા માએ ચારેને વધાવ્યા છે.
અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓની રૂબરૂમાં જનકરાજાના બહુ 
વખાણ કર્યા.સીતાજી તે સાંભળે છે.કન્યાના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1201

 

શ્રીનારાયણ બોલ્યા-હે આદિદેવ,આ ત્રિભુવનનું રક્ષણ કરનારા સર્વ પ્રજાપતિઓ આપનાથી જ ઉત્પન્ન થાય છે.હે વરેણ્ય,હે દેવ,તે પ્રજાપતિઓ આ પૃથ્વીમાં પ્રવેશ કરીને આપની પુરાણી સૃષ્ટિનું રક્ષણ કરી રહ્યા છે.વળી,દેવો,અસુરો,સર્પો,રાક્ષસો,

પિશાચો,મનુષ્યો,ગરુડો,યક્ષો અને અનેક જાતના સર્વ ભૂતગણો આપનાથી જ ઉત્પન્ન થયા છે તે અમે જાણીએ છીએ.ઇન્દ્ર,વરુણ,કુબેર,પિતૃ,વિશ્વકર્મા ને ચંદ્ર દેવતાઓ સંબંધી જે જે કર્મ કરાવવામાં આવે છે તે બધું આપના માટે જ કરવામાં આવે છે.રૂપ,તેજ,શબ્દ,આકાશ,વાયુ,સ્પર્શ,રસ,જળ,ગંધ,પૃથ્વી,કાળ,બ્રહ્મા,વેદો,યજ્ઞો,બ્રાહ્મણો ને જે સ્થાવર જંગમ ભૂતવર્ગ છે તે બધો આપનાથી ઉત્પન્ન થયો છે ને અંતે આપનામાં જ વિલિન થાય છે.જે પુરુષ ભૂતો સંબંધી આવું તાત્વિક જ્ઞાન ધરાવે છે તે આપના સાયુજ્યને પામે છે.હૃદયાકાશમાં રહેનારા શુદ્ધ,અશુદ્ધ,સત્વગુણ પ્રધાન,માયા તથા અવિદ્યા નામની મૂળ પ્રકૃતિમાં 'ચિત્તપ્રતિબિંબભૂત અને અવર્ણયુક્ત' એવા 'ઈશ્વર તથા જીવસંજ્ઞક' બે માનસ પક્ષીઓ મનની અંદર જ 'શારતા અને શાસ્ય' ભાવથી સ્પષ્ટ જણાય છે અને પક્ષીની જેમ ઉપાધિના સંબંધ વાળા છે.

Aug 21, 2026

ભાગવત રહસ્ય-૨૩૨-Bhgavat Rahasya-232

સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી.
વિશ્વામિત્ર દોડતા ત્યાં આવ્યા છે-રામજી કહે છે-કે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે-
પણ માતપિતાની આજ્ઞા વગર મારાથી લગ્ન ન થાય.
વિશ્વામિત્ર:-મને કૌશલ્યા માએ કહ્યું છે-કે –મારા રામજીના લગ્ન થાય.
રામજી--પણ આ કન્યા સાથે લગ્ન થાય તેવી ક્યાં આજ્ઞા છે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1200

 

વ્યાસજી બોલ્યા-તેં આશ્ચર્ય થઈને જે પ્રશ્ન પૂછ્યો છે તેનો ઉત્તર તું સાંભળ.જે આપણા પૂર્વજોના પણ પૂર્વજ ભગવાન નારાયણ છે,તે જ આદિદેવ,જગન્નાથ,લોકકર્તા અને પોતે જ બધું જ કરવામાં સમર્થ છે.તે આ સંપૂર્ણ જગતના આદિકારણ અને પોતે આદિ-અંતથી રહિત છે.પોતાની મર્યાદાથી કદી પણ ચ્યુત ન થવાને કારણે તે 'અચ્યુત' કહેવાય છે.શ્રુતિઓ અને મહર્ષિઓ તેમના જ તત્વની વિવેચન કરે છે.તે જગદીશ્વરને સમસ્ત પ્રાણી મનથી પણ જીતવાને અસમર્થ છે.તે વિશ્વવિધાતા ભગવાન એક વખતે કોઈ વિશેષ કાર્યને માટે ધર્મના પુત્રરૂપે અવતીર્ણ થયા હતા.તેમણે હિમાલય પર્વત પર રહીને પોતાની બે ભુજાઓ ઊંચે ઉઠાવી રાખીને કઠોર તપસ્યા કરી હતી.તે કમલનયન શ્રીહરિએ છાસઠ હજાર વર્ષો સુધી કેવળ વાયુ પીને પોતાના શરીરને સુકાવ્યું.ને પછી તેનાથી પણ બે ગણા કાળ સુધી તપસ્યા કરીને પોતાના તેજથી પૃથ્વી ને આકાશને ભરી દીધું.(60)

Aug 20, 2026

ભાગવત રહસ્ય-૨૩૧-Bhgavat Rahasya-231

મોટા મંડપની અંદર સીતાજીનો સ્વયંવર રચાયો છે.વિશ્વામિત્ર,રામ-લક્ષ્મણની સાથે પધાર્યા છે.
જનકજીએ જાહેર કર્યું-પૃથ્વીને નક્ષત્રી કરી,પરશુરામજીએ આ શંકર ભગવાનનું ધનુષ્ય 
મારા ઘરમાં રાખ્યું છે,હજાર યોદ્ધાઓ ભેગા મળે ત્યારે જ આને ઉઠાવી શકે છે. 
મારી દીકરી સીતા –ત્રણ વર્ષની હતી –ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી,
માટે જે કોઈ આ ધનુષ્યને ઉઠાવશે,અને તેની પણછ ચડાવશે-તેને હું મારી કન્યા પરણાવીશ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1199

 

અધ્યાય-૨૦૧-અશ્વત્થામાનું આગ્નેયાસ્ત્ર-રણમાં વ્યાસજી(શતરુદ્રીય સ્તોત્રઆરંભ)


II संजय उवाच II तत्प्रभग्नं बलं दष्ट्वा कुन्तीपुत्रो धनंजय I न्यवारयदमेयात्मा द्रोणपुत्रजयेष्मया  II १ II

સંજય બોલ્યો-પોતાના સૈન્યમાં એ પ્રમાણે ભંગાણ પડેલું જોઈને કુંતીપુત્ર અર્જુન અશ્વત્થામાનો પરાજય કરવાની ઈચ્છાથી પોતાના સૈન્યને પાછું વાળવા લાગ્યો.તે સૈનિકોને ઉભા રાખવા પ્રયત્ન કરરતો હતો છતાં તે રણમાં ઉભા રહ્યા નહિ એટલે એકલો અર્જુન,સોમક,મત્સ્ય યોદ્ધાઓને લઈને અશ્વત્થામા તરફ ધસ્યો,ને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ અશ્વત્થામા,તારામાં જે શક્તિ હોય,તને કૌરવો તરફ પ્રેમ હોય,તને મારા પ્રત્યે જે દ્વેષ હોય,તે બધું આજે તું મારી આગળ દેખાડી દે.જેણે દ્રોણાચાર્યનો વધ કર્યો છે તે ધૃષ્ટદ્યુમ્ન જ તારા ગર્વનો નાશ કરશે.પણ,તું અત્યંત છકી ગયો છે તો તારા ગર્વનો હું નાશ કરીશ'