Sep 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1214

 

અધ્યાય-૧૦-કર્ણનો સેનાપતિ તરીકે અભિષેક 


II संजय उवाच II हते द्रोणे महेष्वासे तस्मिन्नहनि भारत I क्रते च मोघसंकल्पे द्रोणपुत्रे महारथे II १ II

સંજય બોલ્યો-હે ભારત,દ્રોણાચાર્ય માર્યા ગયા પછી,અશ્વત્થામાનો સંકલ્પ પણ નિષ્ફળ કરાયો હતો.જયારે કૌરવ સૈન્ય પાછું હટવા લાગ્યું હતું તે જોઈને અર્જુન પોતાના સૈન્યને વ્યૂહકારે ગોઠવીને ભાઈઓ સહીત મોખરામાં ઉભો હતો.તેને જોઈને ને પોતાના સૈન્યને નાસતું જોઈને તમારા પુત્રે ઠીક પુરુષાર્થ કર્યો હતો ને પોતાના બાહુબળથી પાંડવો સામે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું હતું ને તેમને આગળ વધતા અટકાવ્યા હતા.તેટલામાં સાયંકાળ થઇ ગયો એટલે દુર્યોધને સૈન્યને છાવણી તરફ પાછું વાળ્યું.

Sep 6, 2026

ભાગવત રહસ્ય-૨૪૮-Bhgavat Rahasya-248

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-
અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.કામ એ હિત-શત્રુ છે.
તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1213

 

અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો પશ્ચાતાપ 


II संजय उवाच II श्रियाकुलेन यशसा तपसा च श्रुतेन च I त्वामद्य संतो मन्यंते ययातिमिव नाहुषं  II १ II

સંજય બોલ્યો-લક્ષ્મી,કુળ,યશ,તપ તથા શાસ્ત્ર વડે તમે નહુષપુત્ર યયાતિ સરખા છો,એમ સત્પુરુષો માને છે.વળી,

હે રાજા,તમે એક મોટા ઋષિ સરખા છો અને કૃતાર્થ છો,માટે તમે તમારા આત્માને સ્થિર કરો ને મનમાં ખેદ ન કરો.

Sep 5, 2026

ભાગવત રહસ્ય-૨૪૭-Bhgavat Rahasya-247

ભરદ્વાજ ઋષિ ભરતને કહે છે-કે-રાક્ષસોનો સંહાર કરવા રામજી આ લીલા કરી રહ્યા છે,
માટે શોક ન કરો.તમારું સ્વાગત કરવું એ અમારો ધર્મ છે,આજ ની રાત તમે બધા અહીં રહો.
ભરદ્વાજે અણિમાદિક –રિદ્ધિ-સિદ્ધીનું આવાહન કર્યું છે, હજારો સેવકો,હજારો મકાનો 
ઉભાં થયા છે.ભરદ્વાજે સિદ્ધિનો ઉપયોગ કદી કર્યો ન હતો પણ આજે રામભક્તોનું તેમને 
 સન્માન કરવું હતું.જેને જે ભાવે તે ભોજન આપે છે,બધાનું ભાવથી ભવ્ય સ્વાગત કર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1212

 

અધ્યાય-૮-ધૃતરાષ્ટ્રનો કર્ણ વિષે શોક 


II जनमेजय उवाच II श्रुत्वा कर्ण हतं युद्धे पुत्रांश्वैव निपातितान् I नरेन्द्रः किंचिदाश्वस्तो द्विजश्रेष्ठ किमब्रवीत् II १ II

જન્મેજય બોલ્યા-'એ યુદ્ધમાં કર્ણને તથા પોતાના પુત્રોને મરણ પામેલા સાંભળીને તે ધૃતરાષ્ટ્ર મૂર્છિત થઇ પડ્યા પણ 

કંઈક શાંતિ થયા પછી તેમને સંજયને શું કહ્યું હતું?ખરેખર તેમને પુત્રોના સંકટને લીધે પરમદુઃખ આવી પડ્યું હતું.'

Sep 4, 2026

ભાગવત રહસ્ય-૨૪૬-Bhgavat Rahasya-246

અનેક નાવડીઓ મંગાવી બધાને ગંગા પાર લઇ ગયા છે.ગંગાપાર થયા પછી ભરતજીએ 
કહ્યું –કે-અહીંથી રામજી ચાલતા ગયા છે-એટલે હું હવે રથમાં નહિ બેસું,
હું ચાલતો આવીશ,અહીંથી મારા માલિક ચાલતા ગયા હોય અને હું રથમાં બેસું તો 
મને પાપ લાગશે.વશિષ્ઠજી સમજી ગયા છે,ભરતને રથમાં બેસવાનો આગ્રહ કરવામાં 
આવશે તો તેને દુઃખ થશે.સર્વના રથ આગળ કર્યા છે,
પાછળ,ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે.