અધ્યાય-૧૭-અશ્વત્થામાનો પરાજય
II संजय उवाच II ततः समभवद्युद्वं शुक्रांगिरसवर्चसो:I नक्षत्रमभितो व्योन्मि शुक्रांगिरसयोरिव II १ II
સંજય બોલ્યો-પછી,નક્ષત્રને ખાતર મોટા આવેશમાં આવી ગયેલા શુક્ર અને બૃહસ્પતિનું જેવું આકાશમાં યુદ્ધ થાય તેવું,શુક્ર અને બૃહસ્પતિ જેવા તે તેજસ્વી બંને વીરોનું ત્યાં યુદ્ધ શરુ થયું.વક્ર ગતિમાં ગમન કરતા બે ગ્રહોની જેમ,પ્રદીપ્ત બાણોરૂપી કિરણોથી એકબીજાને તપાવતા તે બંને લોકોને ત્રાસરૂપ થઇ પડ્યા.અર્જુને એક બાણ વડે અશ્વત્થામાને બે ભ્રમર વચ્ચે વીંધી નાખ્યો ત્યારે સામે અશ્વત્થામાએ સેંકડો બાણો મૂકી શ્રીકૃષ્ણ અને અર્જુનને સખ્ત પીડી નાખ્યા.





