Sep 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1258

(૧૯૮) સમદૃષ્ટિનાં વખાણ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,વિશેષ દૃઢ બોધ થવા માટે હું અહીં જે ફરીવાર કહું છું તે તમે સાંભળો.
આ બોધ વારંવાર કહેવામાં આવે તો તે અજ્ઞાની પુરુષોમાં પણ રૂઢ થઇ જાય છે.
પ્રથમ મેં સ્થિતિ પ્રકરણ કહ્યું-કે જેમાં આ જગત શી રીતે ઉત્પન્ન થયું તે કહેવામાં આવ્યું.ત્યાર પછી,
ઉપશમ પ્રકરણની યુક્તિ વડે મનુષ્યે સંસારમાં ઉત્પન્ન થઈને પરમ ઉપશમને ધારણ કરવો.એ વિષે કહ્યું.

Sep 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1257

વસિષ્ઠ : જેમ ઋતુ (વસંત-આદિ)ની શોભા તે તે ઋતુમાં ઉત્પન્ન થનાર ફળ-પુષ્પો આદિ વડે સૂચિત થાય છે,
તેમ, સર્વ વાક્યાર્થો વડે માત્ર બ્રહ્મનો જ બોધ સૂચિત થાય છે,પરંતુ તેમનું યથાર્થ જ્ઞાન તો 'અનુભવ' વડે જ
પ્રાપ્ત થાય છે.સર્વ દૃશ્ય (જગત)ને ઉલ્લંઘન કરી રહેલો બ્રહ્માનુભવ શાસ્ત્રની અંદર રહેલો (કહેલો) છે.પણ,
સર્વ પદને ઉલ્લંઘી રહેલો પરમબોધ શાસ્ત્રથી,ગુરુના વાક્યથી,દાનથી કે ઈશ્વર-અર્ચનથી પ્રાપ્ત થતો નથી.
આ સર્વ પરમાત્માની અંદર વિશ્રાંતિ થવાના કારણ-રૂપ નથી છતાં શી રીતે કારણ-રૂપ થાય છે,તે હવે કહું છું.

Sep 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1256

(૧૯૭) આત્મજ્ઞાનમાં ગુરૂ અને શાસ્ત્ર ઉપયોગી છે

રામ : હે મહારાજ,આ કાવડિયાઓની વાર્તાથી સૂચવાતા ક્રમને હું નિઃસંદેહ પણે જાણી શકું,તેમ સમજાવો.

વસિષ્ઠ : ઉપરની કથામાં મેં જે કાવડિયાઓ કહ્યા તે આ પૃથ્વીની અંદરના મનુષ્યો છે તેમ સમજવું.
તેમનું દરિદ્રતા સંબંધી જે દુઃખ કહ્યું તે અજ્ઞાન અને તેનાથી થતા ત્રણ પ્રકારના તાપો છે.
જે મોટું જંગલ કહ્યું તે ગુરૂ અને શાસ્ત્ર-ક્રમ-આદિ છે.ઉદર-ભરણની પ્રવૃત્તિ માટે જે ઉદ્યમમાં પ્રવૃત્ત થયા તે
ભોગની ઈચ્છા રાખનાર મનુષ્યો સમજવાં.'મને નિરંતર ભોગોના સમૂહો જ પ્રાપ્ત થાઓ' એમ કૃપણ બની જઈ,
મનુષ્યો બીજા કાર્યોની અપેક્ષા રાખતા નથી અને શાસ્ત્ર-આદિ પ્રવૃત્તિમાં લીન થાય છે.