વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,વિશેષ દૃઢ બોધ થવા માટે હું અહીં જે ફરીવાર કહું છું તે તમે સાંભળો.
આ બોધ વારંવાર કહેવામાં આવે તો તે અજ્ઞાની પુરુષોમાં પણ રૂઢ થઇ જાય છે.
પ્રથમ મેં સ્થિતિ પ્રકરણ કહ્યું-કે જેમાં આ જગત શી રીતે ઉત્પન્ન થયું તે કહેવામાં આવ્યું.ત્યાર પછી,
ઉપશમ પ્રકરણની યુક્તિ વડે મનુષ્યે સંસારમાં ઉત્પન્ન થઈને પરમ ઉપશમને ધારણ કરવો.એ વિષે કહ્યું.