દુઃખથી રહિત એવી ઉત્તમ 'સમાનતા'માં જ પોતાની ઉત્તમ વૃત્તિને ધારણ કરી રાખે છે.
સમતા વડે પ્રસન્ન ચિત્તવાળા પુરુષો જગતના સમૂહને તુચ્છ બુદ્ધિ વડે (વૈરાગ્યથી) હસે છે.
તેઓ પોતે નિર્વિકાર રહે છે અને બીજાઓને વિવેકના ઉપદેશથી જિવાડે છે.
સર્વ દેવો અને ડાહ્યા મનુષ્યો પણ તેમની પૂજા કરે છે.સમાન ચિત્તવાળો પુરુષ ચાલતા(પ્રાકૃત) વ્યવહારથી
પ્રાપ્ત થયેલા કોપ (ક્રોધ)ને કદાચિત ધારણ કરે તો પણ તે કોઈને ઉદ્વેગકારક ના થતાં અમૃતના જેવો જ થઇ પડે છે.
પ્રાપ્ત થયેલા કોપ (ક્રોધ)ને કદાચિત ધારણ કરે તો પણ તે કોઈને ઉદ્વેગકારક ના થતાં અમૃતના જેવો જ થઇ પડે છે.