Sep 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1259

હે રામચંદ્રજી,મહાત્મા પુરુષો ગ્રહણ કરવા યોગ્ય એવા અનિંદ્ય વિષયોને પણ છોડી દઈને,
દુઃખથી રહિત એવી ઉત્તમ 'સમાનતા'માં જ પોતાની ઉત્તમ વૃત્તિને ધારણ કરી રાખે છે.
સમતા વડે પ્રસન્ન ચિત્તવાળા પુરુષો જગતના સમૂહને તુચ્છ બુદ્ધિ વડે (વૈરાગ્યથી) હસે છે.
તેઓ પોતે નિર્વિકાર રહે છે અને બીજાઓને વિવેકના ઉપદેશથી જિવાડે છે.
સર્વ દેવો અને ડાહ્યા મનુષ્યો પણ તેમની પૂજા કરે છે.સમાન ચિત્તવાળો પુરુષ ચાલતા(પ્રાકૃત) વ્યવહારથી
પ્રાપ્ત થયેલા કોપ (ક્રોધ)ને કદાચિત ધારણ કરે તો પણ તે કોઈને ઉદ્વેગકારક ના થતાં અમૃતના જેવો જ થઇ પડે છે.

Sep 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1258

(૧૯૮) સમદૃષ્ટિનાં વખાણ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,વિશેષ દૃઢ બોધ થવા માટે હું અહીં જે ફરીવાર કહું છું તે તમે સાંભળો.
આ બોધ વારંવાર કહેવામાં આવે તો તે અજ્ઞાની પુરુષોમાં પણ રૂઢ થઇ જાય છે.
પ્રથમ મેં સ્થિતિ પ્રકરણ કહ્યું-કે જેમાં આ જગત શી રીતે ઉત્પન્ન થયું તે કહેવામાં આવ્યું.ત્યાર પછી,
ઉપશમ પ્રકરણની યુક્તિ વડે મનુષ્યે સંસારમાં ઉત્પન્ન થઈને પરમ ઉપશમને ધારણ કરવો.એ વિષે કહ્યું.

Sep 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1257

વસિષ્ઠ : જેમ ઋતુ (વસંત-આદિ)ની શોભા તે તે ઋતુમાં ઉત્પન્ન થનાર ફળ-પુષ્પો આદિ વડે સૂચિત થાય છે,
તેમ, સર્વ વાક્યાર્થો વડે માત્ર બ્રહ્મનો જ બોધ સૂચિત થાય છે,પરંતુ તેમનું યથાર્થ જ્ઞાન તો 'અનુભવ' વડે જ
પ્રાપ્ત થાય છે.સર્વ દૃશ્ય (જગત)ને ઉલ્લંઘન કરી રહેલો બ્રહ્માનુભવ શાસ્ત્રની અંદર રહેલો (કહેલો) છે.પણ,
સર્વ પદને ઉલ્લંઘી રહેલો પરમબોધ શાસ્ત્રથી,ગુરુના વાક્યથી,દાનથી કે ઈશ્વર-અર્ચનથી પ્રાપ્ત થતો નથી.
આ સર્વ પરમાત્માની અંદર વિશ્રાંતિ થવાના કારણ-રૂપ નથી છતાં શી રીતે કારણ-રૂપ થાય છે,તે હવે કહું છું.