આજે અત્યારના જમાનામાં નાનાં-મોટાંની કોઈ મર્યાદા રહી નથી,બાળકો મા-બાપને ગાંઠતા નથી.અને મા-બાપ બાળકોમાં સારા સંસ્કારો પડે એવું સ્નેહ-ભર્યું વર્તન કરતા નથી,માબાપોનું પોતાનું વર્તન અને જીવન જ એવું હોય છે કે-બાળકો પર ધર્મના અને સારા સંસ્કાર ક્યાંથી પડે? બાળક તો જેવું જુએ તેવું કરે,જેવું સાંભળે તેવું બોલે. બાળક જેવી રીતે માતૃભાષા શીખે છે,એવી જ રીતે માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરે છે.સંસ્કાર શીખાતા નથી પણ ગ્રહણ થાય છે.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.