Aug 19, 2021

Gujarati-Ramayan-Rahasya-48-ગુજરાતી-રામાયણ-રહસ્ય-48

આજે અત્યારના જમાનામાં નાનાં-મોટાંની કોઈ મર્યાદા રહી નથી,બાળકો મા-બાપને ગાંઠતા નથી.અને મા-બાપ બાળકોમાં સારા સંસ્કારો પડે એવું સ્નેહ-ભર્યું વર્તન કરતા નથી,માબાપોનું પોતાનું વર્તન અને જીવન જ એવું હોય છે કે-બાળકો પર ધર્મના અને સારા સંસ્કાર ક્યાંથી પડે? બાળક તો જેવું જુએ તેવું કરે,જેવું સાંભળે તેવું બોલે. બાળક જેવી રીતે માતૃભાષા શીખે છે,એવી જ રીતે માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરે છે.સંસ્કાર શીખાતા નથી પણ ગ્રહણ થાય છે.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.

Aug 18, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-14


Gujarati-Ramayan-Rahasya-47-ગુજરાતી-રામાયણ-રહસ્ય-47

અતિ દુર્લભ એવા રામજીના સ્મિતમાં,કૌશલ્યાને ભગવાનના વિરાટ સ્વ-રૂપનાં દર્શન થાય છે.
શ્રીરામના રોમ રોમમાં તેમણે કરોડો બ્રહ્માંડો જોયાં.એ વિરાટ સ્વરૂપમાં અસંખ્ય સૂર્ય,ચંદ્ર,શિવ,બ્રહ્મા,પર્વતો નદીઓ,સમુદ્રો,પૃથ્વી,વન,કાળ,ગુણ, જ્ઞાન અને સ્વભાવો જોયાં.
ભયભીત થઇને ભગવાનની સામે હાથ જોડી ઉભેલી માયાને જોઈ.માયાના નચાવતા જીવો જોયા ને માયાના પાશમાંથી છોડાવતી ભક્તિને પણ જોઈ.એ જોઈને તેમને રોમાંચ થયો,એમના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ.એમની આંખો મીંચાઈ ગઈ,અને પ્રભુ ચરણમાં માથું નમાવ્યું.બીજી જ પળે પ્રભુએ બાળ-સ્વરૂપ ધારણ કરી લીધું અને મા મા કરીને કૌશલ્યામાના ખોળામાં જઈ બેસી ગયા.

Aug 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-13


Gujarati-Ramayan-Rahasya-46-ગુજરાતી-રામાયણ-રહસ્ય-46

આ રીતે વિધિપૂર્વક એકાદશી ના થાય તો પણ પોતાની મર્યાદા અનુસાર મહિનામાં એક-બે દિવસ અન્નનો ત્યાગ કરીને દૂધ કે ફળ પર રહી શકાય.આરોગ્યની દૃષ્ટિ એ પણ આ વ્રત આવશ્યક છે.આજકાલ લોકો ડોક્ટરો પર બહુ વિશ્વાસ કરે છે પણ વાલ્મીકિ જેવા ઋષિ-મુનિઓ પર વિશ્વાસ નથી કરતા.ડોક્ટર કહે કે-ટાઈફોઈડ થયો છે ને એકવીસ દિવસ અનાજ ખાવાનું નથી તો એને લોકો માનશે.પણ જો સંતો કહે કે-શરીરના,મનના અને આંતરિક સ્વાસ્થ્ય માટે એકાદશી કરો તો કોઈ માનતું નથી.અને આવી એકાદશીઓ ના કરનારને ભગવાન એકી સામટી ૨૧ એકાદશીઓ ઉપર મુજબ કરાવે છે

Aug 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-12


Gujarati-Ramayan-Rahasya-45-ગુજરાતી-રામાયણ-રહસ્ય-45

દશરથજીએ શ્રીરામનું બાલ-સ્વ-રૂપ જોયું અને આનંદની જાણે ભરતી ચડી.
દશરથજીને તે વખતે જે આનંદ થયો તેનું વર્ણન કરવાની જીભમાં શક્તિ નથી.
તુલસીદાસજી કહે છે કે-જીભ વર્ણન કેમ કરી શકે? એ બોલી શકે છે પણ એણે રામજીના દર્શન ક્યાં કર્યા છે?દર્શન તો નેત્રો એ કર્યા છે.અને તે નેત્રો ને વાચા નથી એટલે તે કેવી રીતે બોલી શકે ?

Aug 15, 2021

Gujarati-Ramayan-Rahasya-44-ગુજરાતી-રામાયણ-રહસ્ય-44

ચતુર્ભુજ નારાયણના દર્શન કરી કૌશલ્યાજી પ્રાર્થના કરે છે,પણ જો કૌશલ્યાજીનો આવો ભાવ કાયમ જ રહે તો બાળલીલા કેવી રીતે થાય? એટલે કૌશલ્યાની બુદ્ધિ બદલાઈ.અને તે બોલ્યાં-કે-“તજહુ તાત યહ રૂપા” હે તાત,આ રૂપ તજી દો ને બાળક બની જાઓ,મને મા-મા કહીને બોલાવો.મારે તો તમને બાળ-સ્વ-રૂપે જોવા છે.અને નારાયણ નું ચતુર્ભુજ સ્વ-રૂપ અદશ્ય થયું,ને ભગવાન બે હાથવાળા બાળક બની ગયા.ને બીજાં બાળકો રડે છે તેમ રડવા લાગ્યા.

Aug 14, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-11-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-11


Gujarati-Ramayan-Rahasya-43-ગુજરાતી-રામાયણ-રહસ્ય-43

રામ-જન્મની આગલી રાતે દશરથ રાજા સૂતેલા હતા ત્યાં તેમને રાત્રિના પાછલા પહોરે સુંદર સ્વપ્ન દેખાયું.તે સ્વપ્નમાં જુએ છે કે-તેમને આંગણે મહાત્મા અને ઋષિઓ પધાર્યા છે.અને પોતે સરયુ નદીમાં સ્નાન કરી,ઘેર આવી ઠાકોરજીની પૂજા કરી ભગવાનની આરતી ઉતારતાં ભગવાનના શ્રીઅંગને નિહાળે છે,ત્યારે ભગવાન તેમની સામે જોઈ મરકમરક હસે છે.પછી તેમના શ્રીઅંગમાંથી દિવ્ય તેજ પ્રગટ થાય છે અને કૌશલ્યાજીના શરીરમાં પ્રવેશ કરે છે.આટલું જુએ છે ત્યાં રાજા જાગી જાય છે.જાગીને દશરથ રાજા સીધા વશિષ્ઠ ઋષિ પાસે જઈ અને સ્વપ્નની વાત કહે છે.

Aug 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-10


Gujarati-Ramayan-Rahasya-42-ગુજરાતી-રામાયણ-રહસ્ય-42

કોશલ દેશની રાજધાની અયોધ્યાનું વાલ્મીકિએ બહુ સુંદર વર્ણન કર્યું છે.
અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશ (રધુ વંશ)ના રાજા દશરથનું રાજ્ય હતું.દશરથ રાજા ધર્મનિષ્ઠ હતા અને પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા.અયોધ્યાના લોકો પણ સદાચારી અને ધર્મપ્રેમી હતા.

Aug 12, 2021

Hu Kon (Who Am I)-Gujarati-By Raman Maharshi-હું કોણ?-ગુજરાતી-રમણ મહર્ષિ

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-9


Gujarati-Ramayan-Rahasya-41-ગુજરાતી-રામાયણ-રહસ્ય-41

શિવજીનો મહેલ બની ગયો પણ વાસ્તુ-પૂજા કર્યા વગર મહેલમાં તો રહેવા જવાય નહિ.વાસ્તુપૂજા કોણ કરે ?પૂજા કરનારો વિદ્વાન અને શિવભક્ત જોઈએ.અને આવો એક જણ હતો તે –રાવણ.શિવજીએ તેને વાસ્તુ-પૂજન કરવા બોલાવ્યો.પૂજન પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે.શિવજીએ કહ્યું કે-દિલ ચાહે તે દક્ષિણામાં માગી લે.