તુલસીદાસજી કહે છે કે-તે વનવાસીઓ પર રામજીના દર્શનની,રામ-નામની એટલી બધી અસર થઇ હતી કે, લોકો કંદમૂળ-ફળ વગેરેના પડિયા ભરી ભરીને રામજીના દર્શન કરવા ચાલ્યા આવતા હતા.જાણે દરિદ્રો સોનું લુંટવા ચાલ્યા.રામ-દર્શનનું સોનું લુંટવા મળ્યું એટલે એમણે બીજી લૂંટ-ફાટ છોડી દીધી.રામચંદ્રજી પણ આ વનવાસીઓનો ખૂબ પ્રેમથી સત્કાર કરે છે,એમની સાથે હેત-પ્રીતથી વાતો કરે છે.વનવાસીઓના સુખનો-આનંદનો પાર નથી.
Oct 6, 2021
Oct 5, 2021
Gujarati-Ramayan-Rahasya-93-ગુજરાતી-રામાયણ-રહસ્ય-93
રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકોનાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,
જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે.વડના ઝાડની નીચે છાયામાં પાંદડાંનું આસન બનાવીને રામજીને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.
Oct 4, 2021
Gujarati-Ramayan-Rahasya-92-ગુજરાતી-રામાયણ-રહસ્ય-92
કેવટ ના પ્રસંગનું રહસ્ય એવું છે કે-કેવટ એ નિઃસાધન છે,એટલે કે તેણે પરમાત્મા માટે કોઈ સાધન કર્યું નહોતું,પણ,એનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ (સ્નેહ) એ,સંપૂર્ણ છે,એનું પ્રભુ પ્રત્યેનું સમર્પણ સંપૂર્ણ છે.તેથી એ પ્રભુની કૃપાનો અધિકારી બન્યો છે.માગ્યા વગર (અયાચિત) જ પ્રભુનો અનુગ્રહ (કૃપા) પામનારો એ પુષ્ટિ-ભક્ત છે.અને પ્રભુનો અનુગ્રહ (કૃપા) તેણે ઉતરાઈ-રૂપે મળે છે.(બીજું કશું પ્રભુ પાસે તે વખતે નહોતું!!)
Oct 3, 2021
Gujarati-Ramayan-Rahasya-91-ગુજરાતી-રામાયણ-રહસ્ય-91
સ્વર્ગના દેવો પણ આકાશમાંથી જોઈ રહ્યા છે કે-આ કેવટ કેવો ભાગ્ય શાળી!!! સીતાજી (લક્ષ્મીજી)
અને લક્ષ્મણજી (શેષજી) આજે લાચાર બનીને જોડે ઉભાં છે,
અને કેવટ સેવા કરે છે.કેવટ મનમાં ને મનમાં તેમને જાણે કહે છે કે-આજે તમે ઉભાં છો,
અને તમારી સામે જ હું સેવા કરું છું.રામજી મનમાં વિચાર કરે છે કે-
બે ચરણના બે માલિક જોડે ઉભા છે અને આ વળી ત્રીજો જાગ્યો.
Oct 2, 2021
Gujarati-Ramayan-Rahasya-90-ગુજરાતી-રામાયણ-રહસ્ય-90
કેવટ કહે છે કે-હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણજી કહે છે કે-તું શું મર્મ જાણે છે?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજીની ચરણકમળની રજનો એવો જાદુ છે કે-તેના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એકનું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓનું પેટ કેવી રીતે ભરું?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજીની ચરણકમળની રજનો એવો જાદુ છે કે-તેના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એકનું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓનું પેટ કેવી રીતે ભરું?
Subscribe to:
Posts (Atom)