અધ્યાય-૯૦-યયાતિ ચરિત્ર-પુનર્જન્માદિ વિચાર
II अष्टक उवाच II यदाSवसो नन्दने कामरूपी संवत्सराणांयुतं शतानाम I
किं कारणं कार्तयुग प्रधान हित्वा च त्वं वसुधामन्वपद्यः II १ II
અષ્ટક બોલ્યો-હે સત્વયુગપ્રધાન,તમે યથેચ્છરૂપે નંદનવનમાં દશલાખ વર્ષ રહ્યા,
તો શા કારણે તે છોડીને તમે પૃથ્વીને પામ્યા? (1)
યયાતિ બોલ્યો-જેમ,આ લોકમાં,ધનમાં ક્ષીણ થાય છે ત્યારે,સગો,મિત્ર,સ્વજન તેને છોડી દે છે,
તેમ ત્યાં એ મનુષ્ય પુણ્યથી ક્ષીણ થાય ત્યારે ઐશ્વર્યવાન દેવો તેને તરત જ ત્યજી દે છે (2)