Feb 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-083

 
અધ્યાય-૯૧-યયાતિ ચરિત્ર-આશ્રમધર્મો 

II अष्टक उवाच II चरन् गृहस्थः कथमेति धर्मान कथं भिक्षुः कथमाचार्यकर्मा I 

वानप्रस्थः सत्यथे सन्निविष्टो यहुन्यस्मिन् संप्रति वेदयंति II १ II

અષ્ટક બોલ્યો-બ્રહ્મચારી,ગૃહસ્થી,વાનપ્રસ્થી અને સંન્યાસી-(એ ચાર આશ્રમોવાળા) કયા ધર્મો આચરે,

તો તે ઉત્તમ લોકને પામે? અત્યારે તો આ ધર્મો સંબંધમાં વેદવેત્તાઓ જુદીજુદી રીતે કહે છે.(1)

Jan 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-082

 
અધ્યાય-૯૦-યયાતિ ચરિત્ર-પુનર્જન્માદિ વિચાર 

II अष्टक उवाच II यदाSवसो नन्दने कामरूपी संवत्सराणांयुतं शतानाम I 

किं कारणं कार्तयुग प्रधान हित्वा च त्वं वसुधामन्वपद्यः  II १ II

અષ્ટક બોલ્યો-હે સત્વયુગપ્રધાન,તમે યથેચ્છરૂપે નંદનવનમાં દશલાખ વર્ષ રહ્યા,

તો શા કારણે તે છોડીને તમે  પૃથ્વીને પામ્યા? (1)

યયાતિ બોલ્યો-જેમ,આ લોકમાં,ધનમાં ક્ષીણ થાય છે ત્યારે,સગો,મિત્ર,સ્વજન તેને છોડી દે છે,

તેમ ત્યાં એ મનુષ્ય પુણ્યથી ક્ષીણ થાય ત્યારે ઐશ્વર્યવાન દેવો તેને તરત જ ત્યજી દે છે (2)

Jan 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-081

 
અધ્યાય-૮૮-યયાતિનું સ્વર્ગમાંથી પતન 

II इन्द्र उवाच II सर्वाणि कर्माणि समाप्य राजन गृहं परित्यज्य वनं गतोSसी I 

तस्यां पृच्छामि नहुसष्य पुत्र केनासि तुल्यस्तपसा ययाते  II १ II

ઇન્દ્ર બોલ્યો-તમે સર્વ કર્મો સમાપ્ત કરીને,અને ઘર ત્યજીને વનમાં ગયા હતા,

તો હે નહુષપુત્ર યયાતિ,હું તમને પૂછું છું કે-તમે તપસ્યામાં કોને તોલે હતા?

યયાતિ બોલ્યો કે-હે ઇન્દ્ર,દેવો,મનુષ્યઉ,ગંધર્વો અને મહર્ષિઓમાં.કોઈને પણ હું તપમાં મારા તુલ્ય જોતો નથી.

Jan 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-080

 
અધ્યાય-૮૬-યયાતિનું સ્વર્ગગમન 

II वैशंपायन उवाच II एवं स नाहुषो राजा ययातिः पुत्रभिप्सितं I राज्येSभिपेध्य मुदितो वानप्रस्थोSभवन्मुनि  II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે (નાહુષ રાજા) યયાતિએ પોતાના પ્રિય પુત્રને રાજ્યગાદીએ બેસાડીને,

પોતે પ્રસન્નતાપૂર્વક વાનપ્રસ્થી મુનિ થયો.જિતેન્દ્રિય ને વ્રતી થઈને,ફળ-મૂળ ખાઈને,બ્રાહ્મણો સાથે તે વનમાં રહ્યો.

ને પછી અહીંથી તે સ્વર્ગલોકમાં ગયો.ને ત્યાં સુખ ને આનંદમાં રહ્યો,

પણ થોડા જ વખતમાં,ઇન્દ્રે તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો,સ્વર્ગમાંથી પડતાં તે પૃથ્વીના તળે ન પડ્યો,પણ આકાશમાં અધ્ધર જ રહ્યો.એમ મેં સાંભળ્યું છે.વળી,મેં સાંભળ્યું છે કે-વસુમાન,અશતક,પ્રતર્દન અને શિબિરાજ સાથે

તે એક થઈને,તે વીર્યવાન રાજા ફરીથી પાછો સ્વર્ગે ગયો હતો (1-6)

Jan 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-079

 
અધ્યાય-૮૫-પૂરૃનો રાજ્યાભિષેક અને યયાતિનું વનગમન 

II वैशंपायन उवाच II पौरवेणाय वयसा ययातिर्नहुमात्मजः I प्रितियुक्तो नृपश्रेष्ठश्चचर विषयान प्रियान्  II १ II

વૈશંપાયન બોલ્યા-પૂરુની યુવાની મેળવીને,તે યયાતિ વિષયભોગો ભોગવવા લાગ્યો.

યચેચ્છાએ,યોગ્ય ઉત્સાહે,કાળાનુસાર,સુખપૂર્વક અને ધર્મના અવિરોધે,ઉચિત રીતે તે વિષયસેવન કરવા માંડ્યો.

યજ્ઞોથી દેવોને,શ્રાદ્ધથી પિતૃઓને,દાનથી દીનોને,મનોરથપુર્તિથી બ્રાહ્મણોને,ખાનપાનથી અતિથિઓને,

પરિપાલનથી વૈશ્યોને,દયાથી શુદ્રોને,ઝાપટાથી ચોરડાકૂઓને અને ધર્મથી સર્વ પ્રજાને,પ્રસન્ન કર્યા (1-4)