Mar 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-122

 દ્રોણ બોલ્યા-હે અચ્યુત,પૂર્વે હું મહર્ષિ અગ્નિવેશ પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો,ને ત્યાં બ્રહ્મચારી રહી,ગુરુસેવામાં પરાયણ થઈને ઘણાં વર્ષો રહ્યો હતો.તે વખતે,આશ્રમમાં,પાંચાલપતિનો યજ્ઞસેન(દ્રુપદ) નામનો રાજપુત્ર પણ ત્યાં ધનુર્વેદ શીખવા આવ્યો હતો.અમારી બંને વચ્ચે મૈત્રી થઇ હતી,તે વખતે તેને કહ્યું હતું (વચન આપ્યું હતું) કે-'હે દ્રોણ,હું પાંચાલપતિ પિતાનો પ્રિયતમ પુત્ર છું,અને તે જયારે મારો રાજ્યાભિષેક કરશે,ત્યારે તને પણ તે રાજ્ય ભોગવવા મળશે,તે તને હું શપથપૂર્વક કહું છું.મારા ભોગો,વૈભવો,ધન અને સુખો-એ બધું જ તારે અધીન થશે' ને પછી,અસ્ત્રવિધાની સમાપ્તિ કરીને 

તે ચાલ્યો ગયો હતો,ને તેનું એ વચન હું સદૈવ મનમાં ધારણ કરી રહ્યો હતો.

Mar 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-121

અધ્યાય-૧૩૧-દ્રોણ અને ભીષ્મનું મિલન 


II वैशंपायन उवाच II ततो द्रुपदमासाद्य भारद्वाजः प्रतापवान् I अब्रवीत पार्थियं राजन् सखायं विद्विमामिह II १ II

પછી,પ્રતાપી ભરદ્વાજના પુત્ર દ્રોણ,દ્રુપદ રાજા પાસે જઈને બોલ્યા-હે રાજન,હું તમારો મિત્ર અહીં આવ્યો છું 

તેમ જાણો' પણ,ગર્વિષ્ઠ અને ઐશ્વર્યમદથી ઉન્મત્ત પાંચાલપતિ દ્રુપદરાજાએ દ્રોણનો અનાદર કરતાં કહ્યું કે-

હે બ્રાહ્મણ,તારી બુદ્ધિ કાચી ને સમજણ વિનાની જ છે,ને એટલે તું કહી રહ્યો છે કે 'હું તમારો મિત્ર છું'

પણ,ઐશ્વર્યસંપન્ન રાજાને ક્યારેય ઐશ્વર્યહીન,ધનભ્રષ્ટ (ગરીબ) મનુષ્ય સાથે મૈત્રી હોતી જ નથી.

Mar 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-120


જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દ્રોણ કેવી રીતે જન્મ્યા?તેમને વિવિધ અસ્ત્રો કેવી રીતે મળ્યા? તે કુરુઓ પાસે 

ક્યાંથી આવ્યા?તે કોના પુત્ર હતા? ને તેમના અશ્વસ્થામા નામના પુત્ર વિષે વિસ્તારથી કહો (32)

Mar 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-119

 
અધ્યાય-૧૩૦-કૃપાચાર્યનો જન્મ-દ્રોણને ભાર્ગવ-અસ્ત્રની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II कृपस्यापि मम ब्रह्मन् संभवं वक्तुमर्हसि I शरस्तम्बात कथं जज्ञे कथं वास्त्राण्यवाप्तवान  II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,કૃપાચાર્યનો જન્મ કેવી રીતે થયો? તે મને કહો.શર (બાણ)ના ગુચ્છમાં  

તે કેવી રીતે ઉત્પન્ન થયા હતા?ને તેમણે સર્વ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરી હતી? (1)

Mar 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-118

 
અધ્યાય-૧૨૯-ભીમનું પાછું આવવું 

II वैशंपायन उवाच II ततस्तै कौरवाः सर्वे विनाभीमं च पाण्डवाः I वृतकृद विहारस्तु प्रतस्थुर्गजसाह्रुयम् II १ II

વૈશંપાયન બોલ્યા-ક્રીડા અને વિહારથી પરવારીને,કૌરવો ને પાંડવો રથો,ઘોડાઓ-આદિ વાહનોમાં બેસીને,

હસ્તિનાપુર જવા નીકળ્યા.ભીમસેન દેખાયો નહિ,એટલે દુર્યોધને કહ્યું કે-તે તો આપણી ય આગળ ચાલી ગયો છે.

પાપી દુર્યોધન,આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યો,જયારે યુધિષ્ઠિરને તો પોતાનામાં પાપ ન મળે,એટલે પોતાના દાખલાથી બીજાઓને પણ સાધુવૃત્તિવાળા (અપાપી) જ જોતા હતા.(1-4)