Mar 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-124

વૈશંપાયન બોલ્યા-પછી,ગુરુ દ્રોણે,અર્જુનને ઘોડા,હાથી.રથ તેમ જ જમીન પરની રણવિદ્યાઓ શીખવી.

દ્રોણે,સર્વ કુમારોને તોમર,પ્રાસ,શક્તિ,ને સંકીર્ણ યુદ્ધ (એકી વખતે અનેક શસ્ત્રોથી અનેક સાથે યુદ્ધ) શીખવ્યું.

તેમની એ કુશળતા સાંભળીને હજારો રાજાઓને રાજપુત્રો ધનુર્વેદ શીખવા તેમની પાસે આવવા લાગ્યા.(29-31)

Mar 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-123

અધ્યાય-૧૩૨-દ્રોણે શિષ્યોની પરીક્ષા લીધી 


II वैशंपायन उवाच II ततः संपूजितो द्रोणो भीष्मेण द्विपदां वरः I विशश्राम महातेजा: पूजितः कुरुवेश्मनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મથી સત્કારાયેલા.તે મહાતેજસ્વી ને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા દ્રોણ,કુરુમંદિરમાં,

સન્માનપૂર્વક વિશ્રામ લેવા ગયા.તે વિશ્રાંતિ લઇ રહ્યા,ત્યારે ભીષ્મે,પોતાના પૌત્રોને લાવીને,તેમને શિષ્ય તરીકે સોંપ્યા.અને દ્રોણને વિવિધ ધન,ઘર-આદિ આપ્યું.દ્રોણે પણ,તે કુમારોને શિષ્ય તરીકે સ્વીકાર્યા.

પછી,પ્રસન્નમન દ્રોણ,તે સૌને,પોતાની નિકટ બેસાડીને એકાંતમાં કહેવા લાગ્યા કે-(1-5)

Mar 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-122

 દ્રોણ બોલ્યા-હે અચ્યુત,પૂર્વે હું મહર્ષિ અગ્નિવેશ પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો,ને ત્યાં બ્રહ્મચારી રહી,ગુરુસેવામાં પરાયણ થઈને ઘણાં વર્ષો રહ્યો હતો.તે વખતે,આશ્રમમાં,પાંચાલપતિનો યજ્ઞસેન(દ્રુપદ) નામનો રાજપુત્ર પણ ત્યાં ધનુર્વેદ શીખવા આવ્યો હતો.અમારી બંને વચ્ચે મૈત્રી થઇ હતી,તે વખતે તેને કહ્યું હતું (વચન આપ્યું હતું) કે-'હે દ્રોણ,હું પાંચાલપતિ પિતાનો પ્રિયતમ પુત્ર છું,અને તે જયારે મારો રાજ્યાભિષેક કરશે,ત્યારે તને પણ તે રાજ્ય ભોગવવા મળશે,તે તને હું શપથપૂર્વક કહું છું.મારા ભોગો,વૈભવો,ધન અને સુખો-એ બધું જ તારે અધીન થશે' ને પછી,અસ્ત્રવિધાની સમાપ્તિ કરીને 

તે ચાલ્યો ગયો હતો,ને તેનું એ વચન હું સદૈવ મનમાં ધારણ કરી રહ્યો હતો.

Mar 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-121

અધ્યાય-૧૩૧-દ્રોણ અને ભીષ્મનું મિલન 


II वैशंपायन उवाच II ततो द्रुपदमासाद्य भारद्वाजः प्रतापवान् I अब्रवीत पार्थियं राजन् सखायं विद्विमामिह II १ II

પછી,પ્રતાપી ભરદ્વાજના પુત્ર દ્રોણ,દ્રુપદ રાજા પાસે જઈને બોલ્યા-હે રાજન,હું તમારો મિત્ર અહીં આવ્યો છું 

તેમ જાણો' પણ,ગર્વિષ્ઠ અને ઐશ્વર્યમદથી ઉન્મત્ત પાંચાલપતિ દ્રુપદરાજાએ દ્રોણનો અનાદર કરતાં કહ્યું કે-

હે બ્રાહ્મણ,તારી બુદ્ધિ કાચી ને સમજણ વિનાની જ છે,ને એટલે તું કહી રહ્યો છે કે 'હું તમારો મિત્ર છું'

પણ,ઐશ્વર્યસંપન્ન રાજાને ક્યારેય ઐશ્વર્યહીન,ધનભ્રષ્ટ (ગરીબ) મનુષ્ય સાથે મૈત્રી હોતી જ નથી.

Mar 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-120


જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દ્રોણ કેવી રીતે જન્મ્યા?તેમને વિવિધ અસ્ત્રો કેવી રીતે મળ્યા? તે કુરુઓ પાસે 

ક્યાંથી આવ્યા?તે કોના પુત્ર હતા? ને તેમના અશ્વસ્થામા નામના પુત્ર વિષે વિસ્તારથી કહો (32)