Mar 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-127

અધ્યાય-૧૩૪-કુમારોની પરીક્ષા 


II वैशंपायन उवाच II कृतास्त्रान धार्तराष्ट्रंश्च पाण्डुपुत्रांश्चभारत I द्रष्ट्वा द्रोणोSश्चविद्राजन धृतराष्ट्रं जनेश्वरम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પાંડવો અને ધાર્તરાષ્ટ્રો(કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિષ્ણાત થયેલા જોઈને,

દ્રોણાચાર્યે, (કૃપ-ગાંગેય-વ્યાસ-આદિની હાજરીમાં) જનેશ્વર ધૃતરાષ્ટ્રને કહ્યું કે-'હે રાજન,તમારા 

કુમારો વિદ્યાસંપન્ન થયા છે,તેથી જો આપની અનુમતિ હોય તો,તેઓ સર્વ સમક્ષ તેમની વિદ્યા બતાવે' 

એટલે હૃદયમાં પ્રસન્ન થયેલા ધૃતરાષ્ટ્રે કહ્યું કે-

Mar 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-126

 
અધ્યાય-૧૩૩-અર્જુને નિશાન પાડ્યું ને દ્રોણને મગરના મોંમાંથી છોડાવ્યા 

II वैशंपायन उवाच II ततो धनंजयं द्रोणः स्मयमानोSभ्यमापत I स्वयेदानिं प्रहर्तव्यमेतल्लक्ष्यं विलोक्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણે હસતાં હસતાં ધનંજય (અર્જુન)ને કહ્યું-'હવે તારે લક્ષ્યને પાડવાનું છે,

તું એ લક્ષ્યને જો,ને હું આજ્ઞા આપું ત્યારે તરતજ તારું બાણ છૂટવું જોઈએ.

હે અર્જુન,પેલા ત્યાં રહેલા ભાસ પક્ષીને,વૃક્ષને અને મને પણ તું જુએ છે ને?'

અર્જુન બોલ્યો-'હું તો એક ભાસ પક્ષીને જ જોઉં છું,ઝાડને કે આપને હું જોતો જ નથી'

Mar 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-125


વનમાં,તેઓએ,મેલથી લસોટાયેલા અંગવાળા,જટાવાળા ને ચીરધારી એકલવ્યને સતત બાણ છોડતો જોયો.

એકલવ્યે પણ,ગુરુદ્રોણને જોયા,એટલે દોડતો જઈને પૃથ્વી પર શિર ઢાળીને તેમના ચરણમાં વંદન કર્યા.

ને પછી,પોતાને તેમના શિષ્ય તરીકે ઓળખાવીને બે હાથ જોડીને તેમની સામે ઉભો રહ્યો.

ત્યારે દ્રોણે કહ્યું કે-'હે વીર,જો તું મારો શિષ્ય હો,તો મને મારી ગુરુદક્ષિણા આપ'

તે સાંભળી,એકલવ્ય અતિ પ્રસન્ન થઈને બોલ્યો-'આપને હું શું આપું? આપ ગુરુજી મને આજ્ઞા કરો'

Mar 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-124

વૈશંપાયન બોલ્યા-પછી,ગુરુ દ્રોણે,અર્જુનને ઘોડા,હાથી.રથ તેમ જ જમીન પરની રણવિદ્યાઓ શીખવી.

દ્રોણે,સર્વ કુમારોને તોમર,પ્રાસ,શક્તિ,ને સંકીર્ણ યુદ્ધ (એકી વખતે અનેક શસ્ત્રોથી અનેક સાથે યુદ્ધ) શીખવ્યું.

તેમની એ કુશળતા સાંભળીને હજારો રાજાઓને રાજપુત્રો ધનુર્વેદ શીખવા તેમની પાસે આવવા લાગ્યા.(29-31)

Mar 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-123

અધ્યાય-૧૩૨-દ્રોણે શિષ્યોની પરીક્ષા લીધી 


II वैशंपायन उवाच II ततः संपूजितो द्रोणो भीष्मेण द्विपदां वरः I विशश्राम महातेजा: पूजितः कुरुवेश्मनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મથી સત્કારાયેલા.તે મહાતેજસ્વી ને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા દ્રોણ,કુરુમંદિરમાં,

સન્માનપૂર્વક વિશ્રામ લેવા ગયા.તે વિશ્રાંતિ લઇ રહ્યા,ત્યારે ભીષ્મે,પોતાના પૌત્રોને લાવીને,તેમને શિષ્ય તરીકે સોંપ્યા.અને દ્રોણને વિવિધ ધન,ઘર-આદિ આપ્યું.દ્રોણે પણ,તે કુમારોને શિષ્ય તરીકે સ્વીકાર્યા.

પછી,પ્રસન્નમન દ્રોણ,તે સૌને,પોતાની નિકટ બેસાડીને એકાંતમાં કહેવા લાગ્યા કે-(1-5)