Mar 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-135


 પુત્ર,મિત્ર,ભાઈ,પિતા અને ગુરુ પણ જો શત્રુની જેમ વર્તતા હોય તો સ્વહિત ઇચ્છનારે તેમને હણી નાખવા.

સોગન ખાઈને,ધન આપીને,વિષ દઈને અથવા કપટજાળ ફેલાવીને રિપુને મારી જ નાખવો.ને ક્યારે ય તેની 

ઉપેક્ષા કરવી નહિ.જેઓ સંશયમાં હશે,તેઓ જેઓને મારી (કણિકની) નીતિ પર શ્રદ્ધા હશે તે જ વિજયને વરશે.

Mar 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-134


કણિક બોલ્યો- જેમ,ફળેલી ડાળીને નમાવીને,પાકાં ફળ તોડી લેવાય છે,તેમ,શત્રુ-રૂપી-ફળ તોડવાનો એવો જ
ઉપાય છે.સમય ન આવ્યો હોય ત્યાં સુધી,શત્રુને ખભે બેસાડી ફેરવવો,ને સમય આવ્યે તેનો નાશ કરવો.

શત્રુ,દીન થઈને ઘણુંઘણું કહે તો પણ,તેના પર કૃપા કરવી નહિ,અપકારીઓને તો હણી જ નાખવા.

આમ શત્રુને સાંત્વન,દાન,સામ,દામ,દંડ ભેદ-આદિ ઉપાયોથી ઉખેડી જ નાખવો (21-24)

Mar 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-133

 
અધ્યાય-૧૪૦-કણિકની રાજનીતિ 

 II वैशंपायन उवाच II श्रुत्वा पाण्डुसुतान् वीरान बलोद्रिक्तान महौजसः I धृतराष्ट्रो महिपालश्चिताम गमदातुर:II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુપુત્રોને વીર,બળસંપન્ન ને મહાઓજસ્વી થયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા કરવા લાગ્યો,

પછી,મંત્રવેત્તા,રાજશાસ્ત્રના રહસ્યના પાર્મવિદ્વાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા કણિકને બોલાવી,

ધૃતરાષ્ટ્ર તેને કહેવા લાગ્યો કે-પાંડવોના ઉત્કર્ષથી મને,તેમના પ્રત્યે અદેખાઈ થાય છે,તો હે કણિક,

મારે તેમની સાથે સંધિ રાખવી કે વિગ્રહ કરવો,તે તું મને નિશ્ચિત રીતે કહે,હું તેમ કરીશ (1-3)

Mar 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-132

 
અધ્યાય-૧૩૯-પાંડવોના પરાક્રમથી ધૃતરાષ્ટ્રને ચિંતા 

II वैशंपायन उवाच II ततः संवत्सरस्यानते यौवराज्याय पार्थिव I स्थापितो धृतराष्ट्रेण पाण्डुपुत्रो युधिष्ठिरः II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજા,આ વાતને એક વર્ષ વીત્યા પછી,ધૃતરાષ્ટ્રે યુધિષ્ટિરની,ધીરતા,અકઠોરતા,

સરળતા,દયાળુતા ને સ્થિર મિત્રતા-આદિ ગુનો જોઈને તેમને યુવરાજપદે સ્થાપ્યા.

ને ટૂંક સમયમાં જ યુધિષ્ઠિરે,પોતાના સદગુણોથી,પિતાની કીર્તિને પણ પાછળ પાડી દીધી.(1-3)

Mar 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-131

અધ્યાય-૧૩૮-દ્રુપદનો પરાજય ને અર્જુને આપેલી ગુરુદક્ષિણા 


II वैशंपायन उवाच II पाण्डवान धार्तराष्ट्राश्च कृतास्त्रान्प्रसमीक्ष्य सः I गुर्वर्थ दक्षिणाकाले प्राप्तेSमन्यत वै गुरुः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો ને ધાર્તરાષ્ટ્રો (કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિપુણ થયેલા જોઈને,દ્રોણે 'ગુરુદક્ષિણાનો સમય હવે આવ્યો છે' તેમ વિચાર્યું,એટલે તેમણે સર્વ શિષ્યોને ભેગા કરીને કહ્યું કે-'હે કુમારો,તમારું કલ્યાણ થાઓ,

તમારી પાસેથી ગુરુદક્ષિણામાં હું એટલું જ ઈચ્છું છું કે-તમે પાંચાલરાજ દ્રુપદને,રણમાં જીતીને પકડી લાવો'(1-3)