Jun 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-200

 
અધ્યાય-૨૨૩-અગ્નિનો પરાભવ 

II वैशंपायन उवाच II सोSब्रवीदर्जुनं चैव वासुदेवं च सात्वतम I लोकप्रवीरौ विष्ठंतौ खाण्डवस्य समीपतः II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે તે બ્રાહ્મણે,અર્જુન અને સાત્વત(યદુ) વંશી શ્રીકૃષ્ણને કે જેઓ સર્વલોકમાં શ્રેષ્ઠ એવા 

વીરો હતા,ને જેઓ (તે વખતે) ખાંડવ વનની સમીપમાં આવીને રહયા હતા,તેમને કહ્યું કે-

'હું બહુ ખાનારો બ્રાહ્મણ છું ને મારે અપરિમિત ભોજન જોઈએ છે.હું તમારા બંને પાસે ભિક્ષા માંગુ છું,

તો તમે મને એક વાર તૃપ્તિ થાય તેટલું અન્ન આપો' ત્યારે શ્રીકૃષ્ણ અને અર્જુને કહ્યું કે-'તમે કહો કે તમે કયા 

અન્નથી સંતોષ પામશો? તો અમે તે અન્ન માટે પ્રયત્ન કરીએ' ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે-(1-4)

Jun 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-199

 
ખાંડવદાહ પર્વ 

અધ્યાય-૨૨૨-અગ્નિનું બ્રાહ્મણ-રૂપે યમુના તીરે આગમન 

II वैशंपायन उवाच II इन्द्रप्रस्थे वसन्तस्ते जघ्नुरन्यान्नराधिपान I त्रासनाद धृतराष्ट्रस्य राज्ञः शांतनवस्य च II १ II

  વૈશંપાયન બોલ્યા-ઈંદ્રપ્રસ્થમાં વસેલા તે પાંડવોએ,ભીષ્મની ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,શત્રુ રાજાઓનો વિનાશ કર્યો.જેમ,આત્મા,દેહને આશ્રયે સુખથી વિરાજે છે તેમ,સર્વ લોકો યુધિષ્ઠિરના આશ્રયે સુખમાં રહેતા હતા.

તે નીતિમાન યુધિષ્ઠિર,ધર્મ,અર્થ અને કામ એ ત્રણેને પોતાના પ્રાણસમાન બંધુઓની જેમ માની તેમને યોગ્ય રીતે

સેવતા હતા.સમાન રીતે વિભક્ત થયેલા તે ધર્મ,અર્થ અને કામ,સ્વયં જાણે પૃથ્વી પર દેહ ધરીને આવ્યા હતા 

અને રાજા યુધિષ્ઠિર,જાણે તેમનામાં (તે ત્રણ પુરુષાર્થમાં) ના.ચોથા પુરુષાર્થ 'મોક્ષ'રૂપે શોભી રહ્યા હતા.(1-4)

Jun 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-198

 
હરણાહરણ પર્વ 

અધ્યાય-૨૨૧-સુભદ્રા તથા દ્રૌપદીને પુત્રપ્રાપ્તિ 

II वैशंपायन उवाच II उक्तवंतो यथावीर्यमसकृत्सर्ववृष्णय : I ततोSब्रविद्वासुदेवो वाक्यं धर्मार्थसंयुतम् II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે,સર્વ વૃષ્ણીઓ પોતાના બળ પ્રમાણે બોલી રહ્યા પછી,વાસુદેવ ધર્મયુક્ત વચનો 

કહેવા લાગ્યા-'તે ગુડાકેશ અર્જુને આપણા કુળનું અપમાન નથી કર્યું,પણ નિઃસંશય સન્માન જ કર્યું છે.

તે પૃથાપુત્ર,આપણને કદી ધનલોભી (કન્યાના બદલામાં ધન લે તેવા) માનતો નથી,ને,સ્વયંવરમાં 

આ કન્યા પોતાને જ મળે-એવું નક્કી નહિ હોવાથી તે સ્વયંવર પસંદ કરતો નથી.કન્યાનું પશુની જેમ 

દાન અપાય તે તો કોને માન્ય હોય? પૃથ્વીમાં કયો મનુષ્ય પોતાની કન્યાનો વિક્રય કરે?

Jun 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-197

 
અધ્યાય-૨૨૦-સુભદ્રાહરણ અને બલરામનો ક્રોધ 

II वैशंपायन उवाच II ततः संवादिते तस्मिन्ननुज्ञातो धनंजयः I गतां रैवतके कन्यां विदित्वा जनमेजय II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,અર્જુને યુધિષ્ઠિરની સંમતિ જાણીને અને તે કન્યા રૈવતક પર્વત ગઈ છે,

એમ પણ જયારે તેણે જાણ્યું ત્યારે ,તે શ્રીકૃષ્ણ પાસે ગયો,અને પોતાના ધારેલા કાર્યની યોજના તેમને 

સમજાવી ને તેમની અનુજ્ઞા મેળવી.ને આમ,કૃષ્ણનો મત મેળવીને તેણે પ્રયાણ આદર્યું.(1-2)

May 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-196

 
સુભદ્રાહરણ પર્વ 

અધ્યાય-૨૧૯-અર્જુનને સુભદ્રાનું આકર્ષણ 

II वैशंपायन उवाच II ततः कतिपयाहस्य तस्मिन् रैवतके गिरौ I वृष्णयंधकानमवदुत्सवो नृपसत्तम II १ II

વૈશંપાયન બોલ્યા-હે શ્રેષ્ઠ રાજા,કેટલાક દિવસો પછી,તે રૈવતક પર્વત પર વૃષ્ણીઓ તથા અંધકોનો એક ઉત્સવ થયો.ત્યાં બ્રાહ્મણોને ઘણાં દાન અપાયાં.તે પર્વતની આજુબાજુએ રત્નસુશોભિત અનેક ભવનો ને વૃક્ષો હતાં.

ત્યાં વાદકો,વાજીંત્રો વગાડતા હતા,નર્તકો નૃત્ય કરતા હતા,ને ગાયકો ગાન ગાતા હતા.ઓજસ્વી વૃષ્ણીકુમારો,અલંકારોથી વિભૂષિત થઈને,સુવર્ણ ચિત્રવાળાં વાહનોમાં બેસીને સર્વ બાજુએ ફરતા હતા.

નગરજનો પણ પોતાની સ્ત્રીઓ ને પરિવારો સાથે વાહનોમાં કે પગપાળા ફરી રહ્યા હતા.(1-6)