Feb 20, 2024

એકલા-By અનિલ શુક્લ



નથી રહેવું જેઓને એકલા,જુઓ,એકલા એકલા જ બનાવી દીધા તેને,

પગ જેનો ટકતો નહોતો ઘરમાં,ઘરમાં ને ઘરમાં જ ફસાવી દીધા છે તેને,


ઓ કોરોના,વાત શું કરવી તારી? બધું અજબ અજબ જ સાંભળવા મળે,

કેમ છો? એમ જો ખાલી જ પૂછો- તો આખી જ કહાણીઓ સાંભળવા મળે.


જાવા દો ને,આની એ વાત તો શું કરવા કરું છું ? તમારી આગળ તમને?

નથી કશું પૂછ્યું ને કશું વાંચવું એ નહોતું,તમારે તોયે આ વંચાવી દીધું તમને.


અનિલ 

જૂન-8-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-432

 

અધ્યાય-૧૩૯-પાંડવોનું કૈલાસ તરફ પ્રયાણ 


II लोमश उवाच II उषिर्बीजं मैनाकं गिरि श्वेत च भारत I समतीतोSमि कौन्तेय कालशैलं च पार्थिव II १ II

લોમશ બોલ્યા-હે ભારત,તમે ઉશીરબીજ,મૈનાક,શ્વેતગિરિ તથા કાલશૈલ પર્વતોને વટાવી ગયા છો.જુઓ,આ સાત પ્રવાહે વહેતી ગંગા શોભી રહી છે.આ શુદ્ધ ને પવિત્ર સ્થાન છે અને અહીં અગ્નિ નિરંતર પ્રદીપ્ત રહે છે.સર્વ મનુષ્યો આ અદભુત સ્થાનને જોઈ શકતા નથી,તમે સમાધિ કરો અને આ તીર્થસ્થાનોને જુઓ.હવે કાળશૈલ પર્વતને ઓળંગીને આપણે શ્વેતગિરિ તથા મંદરાચલ પર્વતમાં પ્રવેશ કરીશું,જ્યાં મણિવર નામનો યક્ષ ને 

યક્ષરાજ કુબેર રહે છે.ઝડપી ગતિવાળા અઠ્યાસી હજાર ગંધર્વો,કિંપુરુષો અને તેનાથી ચારગણા યક્ષો 

એ સૌ યક્ષેન્દ્ર મણિભદ્રને ઉપાસી રહ્યા છે.તેમની પાસે અતિશય સમૃદ્ધિ છે ને તેમની ગતિ વાયુ જેવી છે.

ને તેઓ દેવરાજ ઇન્દ્રને પણ ચોક્કસથી ભ્રષ્ટ કરી શકે તેવા બળવાન છે.(8)

Feb 19, 2024

અમૃત અને યાદ-By અનિલ શુક્લ


અટકચાળો બાંકે આ માનવી,કામ કરે નહિ કોઈ સીધું,

તો પણ ઓ મા,એ માનવી કાજે તમે શું શું નથી કીધું?

કર્યા અનેક અપરાધ અમે,છતાં,હે મા,કેટકેટલું દઈ દીધુ?
તરસ્યાને મળી ગયું છે અમૃત,તો પ્રેમ હૈયે ભરપૂર પીધું.

અનિલ 

જુલાઈ,9-2021

-------

વસી ગયો 'એ' જ્યાં,દિલમાં મારા,તો હું ય વસ્યો 'તે'ના દિલમાં,

પતો થયો બંનેનો એક,હવે મુશ્કેલ નથી,યાદ રાખવો તેને મનમાં  

અનિલ -જુલાઈ-6-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-431

 

અધ્યાય-૧૩૮-રૈભ્યનો વધ ને સર્વનું પુનઃ સજીવન થવું 


II लोमश उवाच II अतस्मिन्नेव काले तु ब्रुह्यध्युम्नो महीपतिः I सन्नं तेने महाभागो रैभ्यवाज्यः प्रतापवान् II १ II

લોમશ બોલ્યા-એ જ સમયે,રૈભ્યના પ્રતાપી અને મહાભાગ્યશાળી યજમાન બૃહદ્યુમ્ન રાજાએ યજ્ઞ આરંભ્યો હતો.

ને તેણે રૈભ્યના બે પુત્રોને યજ્ઞમાં સહાયક તરીકે પસંદ કર્યા હતા.પિતાની આજ્ઞા લઈને તે બંને ત્યાં ગયા હતા.

એકવાર પરાવસુ એકલો ઘેર પત્ની ને પિતાને મળવા નીકળ્યો,ત્યાં વનમાં તેણે પિતાને મૃગચર્મથી ઢંકાયેલા જોયા.

પણ,તે વખતે અંધારું હતું,એટલે તેણે પિતાને ઓળખ્યા નહિ ને માન્યું કે તે વનમાં વિચરતું કોઈ મૃગ છે.

શરીરની રક્ષા કરવાની ઈચ્છાથી તેણે પોતાના પિતાને મૃગ સમજીને મારી નાખ્યો.

Feb 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-430

 

અધ્યાય-૧૩૭-ભરદ્વાજનો શાપ તથા અગ્નિપ્રવેશ 


II लोमश उवाच II भरद्वाजस्तु कौन्तेय कृत्वा स्वाध्यायमाह्निकं I समित्कलायमादाय प्रविवेश स्वमाश्रमम् II १ II

લોમશ બોલ્યા-હે કૌંતેય,પછી,સ્વાધ્યાય આદિ આહનિક કાર્ય કરીને ને સમિધનો ભારો લઈને ભરદ્વાજ,પોતાના આશ્રમે પાછા આવ્યા ત્યારે રોજની જેમ (મરણથી સૂતકી થયેલા) અગ્નિહોત્રના અગ્નિઓએ ઉભા થઇ અભિનંદન આપ્યા નહિ એટલે તેમણે ગૃહપાલ તરીકે બેઠેલા તે અંધ શુદ્રને પૂછ્યું કે-આજે અગ્નિઓ મને દર્શન કેમ આપતા નથી અને તું પણ આજે પહેલાં જેવો કેમ દેખાતો નથી? આશ્રમમાં સર્વ કુશળ તો છે ને?

Feb 17, 2024

Ram Ka gungan Karie-By Bhimsen and Lata-With Lyrics-in gujarati રામ કા ગુનગાન કરીએ-લતા અને ભીમસેન જોષી

 

રામ કા ગુનગાન કરીએ,
રામ પ્રભુ કી  સભ્યતા કા  ભદ્રતા કા ધ્યાન કરીએ.

રામ કે ગુણ ગુણ ચિરંતન,
રામ ગુણ સુમિરન રતન ધન,
મનુજતા કો કર વિભૂષિત ,મનુજતા ધનવાન કરીએ.

સગુણ બ્રહ્મ,સ્વરૂપ સુંદર,
સુજન રંજન ભૂપ સુખકર,
રામ આત્મા-રામ આત્મા-રામ કા સન્માન કરીએ-
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

અચળ ભક્તિ-By અનિલ શુક્લ

 

હરી જતો જે સર્વનાં મન,તે  જ મનહરનું મન,

હરી ગઈ,રાધાજી ને ગોકુળની નટખટ ગોપીઓ.

કોણ કહી શકે કે જગદીશ્વરને કોઈ ખોટ નથી?
મનની જ ખોટ પડી ગઈ,લાગે,જશોદાના લાલને.

હે હરિ,દઈ દઉ છું,મન, મારુ,પ્રેમથી સ્વીકારજો.
ચરણકમળમાં રહું સદા,ભક્તિ અચળ આપજો.

અનિલ 

7-29-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-429

 

અધ્યાય-૧૩૬-યવક્રીતનો વિનાશ 


II लोमश उवाच II चेन्क्तभगः सा तदा यवक्रितोSकृत्तो भयः I जगाम माधवे मासि रैभ्याश्रमपदं प्रति II १ II

લોમશ બોલ્યા-હવે સર્વ રીતે નિર્ભય થયેલો તે યવક્રીત,એકવાર વૈશાખ માસમાં ફરતો ફરતો રૈભ્યના આશ્રમે જઈ પહોંચ્યો.ત્યાં તેણે રૈભ્યની સુંદર પુત્રવધૂને ફરતી જોઈ.કામથી બુદ્ધિ ખોઈ બેઠેલા તેણે તે સુંદરીને કહ્યું કે-

'તું મારી પાસે આવ' તે સ્ત્રી યવક્રીતને જાણતી હતી એટલે તેના શાપથી ડરીને તેની પાસે ગઈ.

યવક્રીતે તેને એકાંતમાં લઇ જઈને શોકસાગરમાં ડુબાડી દીધી.

Feb 16, 2024

એક દુઃખી જનને-By અનિલ શુક્લ

 

વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,

વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?


વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,

હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?


દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,

ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?


સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ  સુખી બની,

દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?


અનિલ 

ઑગસ્ટ-1-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Sant Gnaneshvar-1964-Rare Song Video-ભક્તિ શક્તિ હૈ-બહુત દિન બીતે-જ્યોત સે જ્યોત-સંત જ્ઞાનેશ્વર ના ગીતો

ખુબ જ સુંદર શબ્દો.....

ભક્તિ........ શક્તિ હૈ,
કર્મ............ ધર્મ હૈ.
જ્ઞાન......... મુક્તિ કા પથ હૈ...... 
આત્મા કી અનંત યાત્રા મેં..........
યે તન........ તો બસ........ રથ હૈ.....
 પથ..... અનેક હૈ-............રથ........... અનેક હૈ, 
એક ........... હી........... લક્ષ્ય............ દિખાતે ચલો.....
 ઉસ વિરાટ મેં........ હો વિલીન........... તુમ...... નિત્ય હી.......... અલખ.......... જગાતે ચલો....

 Bhakti Shakti Hai- Sant Gnanesvar-Rare Video
Bahot din bite Sant Gnaneshvar-Movie-1964-Rare video

Jyotse jyot jagate chalo-Lata-Sant Gnanesvar movie-1964-Rare Video

Jyotse jyot jagate chalo-Mukesh-Sant Gnanesvar movie-1964-Rare Video


Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા