અધ્યાય-૨૦૭-બ્રાહ્મણ અને વ્યાધનો સંવાદ
II मार्कण्डेय उवाच II चितयित्वा तदाश्चर्य स्त्रिया प्रोक्तमशेषत I विनिंदन स स्वमात्मानमागस्कृत इवाबमौ II १ II
માર્કંડેય બોલ્યા-તે સ્ત્રીની કહેલી આશ્ચર્યકારી વાતનો,તે કૌશિકે સંપૂર્ણતાથી વિચાર કર્યો,ને પોતાની જાતને નિંદવા લાગ્યો.ને તેને મિથિલાનગરીમાં જઈને વ્યાધને મળવાનો નિશ્ચય કરી ત્યાં જવા નીકળ્યો.નગરીમાં પહોંચી તેણે ધર્મવ્યાધનો પત્તો મેળવી ત્યાં ગયો ત્યારે તેણે તે વ્યાધને,ખાટકીવાડમાં દુકાને બેસીને મૃગો ને પાડાઓનું માંસ વેચતો જોયો.ઘરાકોની ભીડ હતી એટલે તે એકાંતમાં જઈ બેઠો.ધર્મવ્યાધ,એ બ્રાહ્મણના આવ્યાની વાત જાણી ગયો,ને એકદમ ઉભો થઈને બ્રાહ્મણ પાસે આવીને વંદન કરીને બોલ્યો કે-