Showing posts with label અષ્ટાવક્ર ગીતા. Show all posts
Showing posts with label અષ્ટાવક્ર ગીતા. Show all posts

Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૧

પ્રકરણ-૧૫

 

॥ अष्टावक्र उवाच ॥

यथातथोपदेशेन कृतार्थः सत्त्वबुद्धिमान् । आजीवमपि जिज्ञासुः परस्तत्र विमुह्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-

એક સત્વ-બુદ્ધિ-વાળો પુરુષ માત્ર થોડા ઉપદેશથી જ કૃતાર્થ (ધન્ય) થઇ જાય છે,જયારે,

--અસત્ બુદ્ધિવાળો બીજો,જીવનપર્યંત જિજ્ઞાસુ હોવા છતાં,મોહને પામે છે. (૧)

 

मोक्षो विषयवैरस्यं बन्धो वैषयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ २॥

વિષયોમાંથી રસ જતો રહેવો (વૈરાગ્ય)–એ જ-મોક્ષ છે,

--વિષયોમાં રસ હોવો (રાગ કે મોહ)-એ જ –બંધન છે,

--ટૂંકમાં આ આટલું જ માત્ર “જ્ઞાન-વિજ્ઞાન” છે,તે સમજી તારી ઈચ્છામાં આવે તેમ કર.(૨)

 

वाग्मिप्राज्ञामहोद्योगं जनं मूकजडालसम् । करोति तत्त्वबोधोऽयमतस्त्यक्तो बुभुक्षभिः ॥ ३॥

આ તત્વજ્ઞાન અત્યંત બોલવાવાળા,પ્રવૃત્તિ મય,મહાજ્ઞાની પંડિત પુરુષને

--મૂંગો,પ્રવૃત્તિ  વગરનો(જડ),અને જગતને તે બહારથી આળસુ દેખાય તેવો કરી નાખે છે,

--આથી જગતના ભોગાભિલાષી (ભોગોની ઈચ્છાવાળા) મનુષ્યો વડે તે તત્વજ્ઞાન ત્યજાયેલું છે.(૩)

 

न त्वं देहो न ते देहो भोक्ता कर्ता न वा भवान् । चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ ४॥

તું દેહ નથી કે દેહ તારો નથી,તું ભોક્તા (ભોગવનાર) નથી કર્તા (કર્મો નો કરનાર) નથી,

--તું શુદ્ધ ચૈતન્ય-રૂપ (આત્મા-રૂપ) અને સાક્ષી-રૂપ છે,એટલે (અને તને કોઈ ઈચ્છા પણ નથી)

--કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર સુખપૂર્વક વિચર.(સુખી થા) (૪)

 

रागद्वेषौ मनोधर्मौ न मनस्ते कदाचन । निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ ५॥

રાગ અને દ્વેષ (દ્વૈત) એ તો મનના ધર્મો છે,તારા (આત્માના) નહિ,

--અને (એટલે) મન તો તારું કદી છે જ નહિ,પણ તું તો,

--નિર્વિકલ્પ (વિકલ્પ વગરનો) નિર્વિકાર,અને બોધ (જ્ઞાન) સ્વ-રૂપ છે,માટે સુખપૂર્વક વિચર (૫)

 

सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि । विज्ञाय निरहङ्कारो निर्ममस्त्वं सुखी भव ॥ ६॥

સર્વ ભૂતોમાં (જીવોમાં) પોતાના આત્માને અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને (જીવોને) જાણીને,

--અહંકાર અને મમત્વ (મમતા-આસક્તિ) વગરનો થઇને તું સુખી થા. (૬)

 

विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे । तत्त्वमेव न सन्देहश्चिन्मूर्ते विज्वरो भव ॥ ७॥

સમુદ્રમાં જેમ તરંગો થાય છે, તેમ આ જગત સ્ફૂરે(બને) છે,(જગત એ સમુદ્રના તરંગ જેવું છે)

--અને એ જ તું છે,(તું જ એ સમુદ્ર અને એ સમુદ્રનું તરંગ પણ છે-બંને જુદા નથી)

--માટે,હે,ચૈતન્ય-સ્વ-રૂપ તું સંતાપ વગરનો થા.(૭)

 

श्रद्धस्व तात श्रद्धस्व नात्र मोऽहं कुरुष्व भोः । ज्ञानस्वरूपो भगवानात्मा त्वं प्रकृतेः परः ॥ ८॥

હે પ્રિય (તાત-સૌમ્ય) તું શ્રદ્ધા રાખ, તું શ્રદ્ધા રાખ,અને અહીં (જગતમાં) મોહ ના પામ,(કારણ કે),

--તું જ્ઞાન-સ્વ-રૂપ, આત્મા (પરમાત્મા) સ્વ-રૂપ છે અને પ્રકૃતિથી પર છે (૮)

 

गुणैः संवेष्टितो देहस्तिष्ठत्यायाति याति च । आत्मा न गन्ता नागन्ता किमेनमनुशोचसि ॥ ९॥

ગુણો (સત્વ-રજસ-તમસ) થી લપટાયેલો (ઢંકાયેલો) આ દેહ,

--ક્યારેક સ્થિત,તો ક્યારેક આવે અને જાય છે,પણ

--આત્મા તો નથી આવતો કે નથી જતો,તો શા માટે તું તેનો શોક કરે છે ?(૯)

 

देहस्तिष्ठतु कल्पान्तं गच्छत्वद्यैव वा पुनः । क्व वृद्धिः क्व च वा हानिस्तव चिन्मात्ररूपिणः ॥ १०॥

ચાહે આ શરીર કલ્પ (સમયનું એક માપ) ના અંત સુધી રહે કે આજે જ પડે, પણ

--તું કે જે ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપ છે,તેની શી વૃદ્ધિ છે કે શી હાનિ છે ? (૧૦)

 

त्वय्यनन्तमहाम्भोधौ विश्ववीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न ते वृद्धिर्न वा क्षतिः ॥ ११॥

તારા-રૂપી અનંત મહાસાગરમાં જગત-રૂપી તરંગ આપોઆપ (સ્વ-ભાવથી),

--ઉદય થાય (બને) કે અસ્ત થાય (નાશ પામે) પણ તેથી,

--તારી વૃદ્ધિ પણ થતી નથી કે નાશ પણ થતો નથી.    (૧૧)

 

तात चिन्मात्ररूपोऽसि न ते भिन्नमिदं जगत् । अतः कस्य कथं कुत्र हेयोपादेयकल्पना ॥ १२॥

હે પ્રિય, તું ચૈતન્યમાત્ર-સ્વ-રૂપ (આત્મા) છે,અને આ જગત તારાથી ભિન્ન (જુદું) નથી,તો પછી,

--ત્યાજ્ય (ત્યાગવું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવું) ની કલ્પના,

--કોને,કેવી રીતે અને ક્યાંથી હોઈ શકે ?   (૧૨)

 

एकस्मिन्नव्यये शान्ते चिदाकाशेऽमले त्वयि । कुतो जन्म कुतो कर्म कुतोऽहङ्कार एव च ॥ १३॥

તું “એક”,”નિર્મળ”, “શાંત”,“અવ્યય” (અવિનાશી),“ચિદાકાશ”(ચૈતન્ય-રૂપ-આકાશ) છે,

--અને આવા તારામાં જન્મ ક્યાંથી? કર્મ કયાંથી? અને અહંકાર પણ ક્યાંથી?(હોઈ શકે ?)  (૧૩)

 

यत्त्वं पश्यसि तत्रैकस्त्वमेव प्रतिभाससे । किं पृथक् भासते स्वर्णात् कटकाङ्गदनूपुरम् ॥ १४॥

જે જે તું જુએ છે ત્યાં ત્યાં તું એકલો જ ભાસમાન (દેખાય) થાય છે, વધુ શું કહું ?

--સોનાના બાજુબંધ અને સોનાના ઝાંઝર,શું સોનાથી ભિન્ન (જુદાં) ભાસે (દેખાય) છે ખરા ? (૧૪)

 


अयं सोऽहमयं नाहं विभागमिति सन्त्यज । सर्वमात्मेति निश्चित्य निःसङ्कल्पः सुखी भव ॥ १५॥

જે “આ” છે તે “હું” છું, કે “હું” નથી-એવા ભેદભાવ (દ્વૈત) ને છોડી દે,અને,

--બધું ય “આત્મા” (અદ્વૈત) છે-એમ નિશ્ચય કરી,સંકલ્પ વગરનો થઇ સુખી થા. (૧૫)

 

तवैवाज्ञानतो विश्वं त्वमेकः परमार्थतः । त्वत्तोऽन्यो नास्ति संसारी नासंसारी च कश्चन ॥ १६॥

તારા અજ્ઞાનથી જ આ જગત ભાસે (દેખાય) છે, પરંતુ,

--વસ્તુતઃ તો (સાચમાં તો) તું એકલો જ (એક-અદ્વૈત) છે અને તારાથી જુદો કોઈ

--સંસારી (બંધન વાળો) અને અસંસારી (મુક્ત) છે જ નહિ. (૧૬)

 

भ्रान्तिमात्रमिदं विश्वं न किञ्चिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यति ॥ १७॥

આ સંસાર એ ભ્રાંતિમાત્ર છે,બીજું કંઇ નહિ,એવો નિશ્ચય કરનાર,

--વાસનાઓ વગરનો અને કેવળ ચૈતન્ય-રૂપ મનુષ્ય,'જગતમાં જાણે કાંઇ છે જ નહિ',

--એમ સમજીને શાંત બને છે (૧૭)

 

एक एव भवाम्भोधावासीदस्ति भविष्यति । न ते बन्धोऽस्ति मोक्षो वा कृत्यकृत्यः सुखं चर ॥ १८॥

સંસાર-સાગરમાં એક તું જ છે,હતો,અને હોઈશ.તને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,

--માટે તું કૃતાર્થ (ધન્ય) હોઈ,સુખી થા.(૧૮)

 

मा सङ्कल्पविकल्पाभ्यां चित्तं क्षोभय चिन्मय । उपशाम्य सुखं तिष्ठ स्वात्मन्यानन्दविग्रहे ॥ १९॥

હે,ચૈતન્ય-રૂપ જનક,સંકલ્પ-વિકલ્પથી તારા ચિત્તને (મનને) ક્ષોભિત (દુઃખી) ના કર,પણ,

--મનને શાંત કરી,આનંદ રૂપ પોતાના આત્મામાં સ્થિર થા (૧૯)

 

त्यजैव ध्यानं सर्वत्र मा किञ्चिद् हृदि धारय । आत्मा त्वं मुक्त एवासि किं विमृश्य करिष्यसि ॥ २०॥

ધ્યાન (મનન)નો સર્વત્ર ત્યાગ કર અને હૃદયમાં કાંઇ પણ ધાર (ધારણા) કર નહિ,

--તું આત્મા હોઈ મુક્ત જ છે,પછી વિચારો કરીને શું કરવાનો છે ?   (૨૦)

 

પ્રકરણ-૧૫-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૦

પ્રકરણ-૧૪

 

॥ जनक उवाच ॥

प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद् भावभावनः । निद्रितो बोधित इव क्षीणसंस्मरणो हि सः ॥ १॥

જે પ્રકૃતિ-સ્વભાવવત, શૂન્ય-ચિત્ત (ચિત્તવૃત્તિ વિહીન) છે,તેવો મનુષ્ય,

--પ્રમાદ (મજા) ને ખાતર જ જગતની વસ્તુઓની ભાવના કરતો હોય તેવું લાગે,અને,

--ભલે તે જાગતા જેવો લાગતો હોય છતાં તે, (જ્ઞાન નિંદ્રામાં) ઊંઘતો જ હોવાથી,(શૂન્ય-ચિત્ત હોવાથી)

--તેનું સંસારરૂપી બંધન ક્ષીણ થયેલું છે. (૧)

 


क्व धनानि क्व मित्राणि क्व मे विषयदस्यवः । क्व शास्त्रं क्व च विज्ञानं यदा मे गलिता स्पृहा ॥ २॥

જયારે મારી કામના (સ્પૃહા) નષ્ટ થઇ ગઈ છે,ત્યારે,

--મારા માટે ધન શું? મિત્રો શું ? વિષયો રૂપી ચોર શું ? શાસ્ત્ર શું ? કે વિજ્ઞાન શું ? (૨)

 

विज्ञाते साक्षिपुरुषे परमात्मनि चेश्वरे । नैराश्ये बन्धमोक्षे च न चिन्ता मुक्तये मम ॥ ३॥

સાક્ષી-પુરુષ “આત્મા” અને ઈશ્વર (પરમાત્મા) તેમજ નૈરાશ્ય (આશા વગરના) અને બંધન-મોક્ષ,

--આ બધા શબ્દોનું મને જ્ઞાન થયું છે, (આ સર્વનો હું જ્ઞાતા છું)

--એટલે મુક્તિને માટે મને હવે ચિંતા નથી. (૩)

 

अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः । भ्रान्तस्येव दशास्तास्तास्तादृशा एव जानते ॥ ४॥

જે પુરુષનું અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ વગરનું છે, (જેના અંતઃકરણ માં વિષય-વાસનાઓ નથી), અને ,

--ભલે તે બહારથી સ્વછંદ-પણે (સ્વેચ્છા-પૂર્વક) વિચરતો (ફરતો) હોય,તેમ છતાં તે જ્ઞાની છે.

--આવા જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ જ જાણી શકે છે,અજ્ઞાની પુરુષ નહિ.(૪) 

 

પ્રકરણ-૧૪-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૯

પ્રકરણ-૧૩

 

॥ जनक उवाच ॥

अकिञ्चनभवं स्वास्थं कौपीनत्वेऽपि दुर्लभम् । त्यागादाने विहायास्मादहमासे यथासुखम् ॥ १॥

“કાંઇ પણ ના હોવાની “ (શૂન્યતા)  સ્થિતિથી ઉત્પન્ન થતી માનસિક સ્વસ્થતા,

--કૌપીન ધારણ કરવાથી (કે માત્ર,ભગવાં પહેરવાથી) પણ અપ્રાપ્ય છે,

--ત્યાગ અને ગ્રહણ એ બંનેના વિચાર છોડી દઈ ને હું સુખપૂર્વક સ્થિત છું.(૧)

 

कुत्रापि खेदः कायस्य जिह्वा कुत्रापि खेद्यते । मनः कुत्रापि तत्त्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम् ॥ २॥

કશામાં ક્યાંક શરીરનું દુઃખ,કશામાં જીભનું દુઃખ,તો કશામાં ક્યાંક વળી મનનું દુઃખ,એટલે,

--આ બધું છોડીને હું માત્ર આત્મ-પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખપૂર્વક સ્થિત છું. (૨)

 

कृतं किमपि नैव स्याद् इति सञ्चिन्त्य तत्त्वतः । यदा यत्कर्तुमायाति तत् कृत्वासे यथासुखम् ॥ ३॥

“કોઈ પણ કર્મ કરી શકાતું જ નથી (કરાતું જ નથી)” એમ “તત્વ-દૃષ્ટિ” થી વિચારીને,

--જે વખતે જે કર્મ સહજ આવી પડે તે કરી ને હું સુખપૂર્વક સ્થિત છું. (૩)

 

कर्मनैष्कर्म्यनिर्बन्धभावा देहस्थयोगिनः । संयोगायोगविरहादहमासे यथासुखम् ॥ ४॥

કર્મ-રૂપ અને નૈષ્કર્મ્ય-રૂપ (અકર્મ) બંધનના ખ્યાલો દેહાભિમાનવાળા યોગીને જ લાગે છે,પરંતુ,

--મને તો દેહ –વગેરે ના સંયોગ અને વિયોગનો અભાવ હોઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૪)

 

अर्थानर्थौ न मे स्थित्या गत्या न शयनेन वा । तिष्ठन् गच्छन् स्वपन् तस्मादहमासे यथासुखम् ॥ ५॥

બેસવાથી,ચાલવાથી કે સૂઈ જવાથી, મને કોઈ લાભ કે હાનિ થતી નથી,આથી,

બેસવા,ચાલવા અને સુવા છતાં –હું સુખપૂર્વક સ્થિત છું. (૫)

 

स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा । नाशोल्लासौ विहायास्मदहमासे यथासुखम् ॥ ६॥

કશું પણ કર્યા વગર સૂઈ રહું તો મને કોઈ હાનિ નથી,અને યત્ન કરું તો મને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી,

--આથી “લાભ” અને “હાનિ” એ બંને ને ત્યજી દઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૬)

 

सुखादिरूपा नियमं भावेष्वालोक्य भूरिशः । शुभाशुभे विहायास्मादहमासे यथासुखम् ॥ ७॥

જગતની વસ્તુઓમાં રહેલા સુખ-દુઃખ અને અનિશ્ચિતપણાને વારંવાર જોઈ ને,

--તે શુભ અને અશુભનો પરિત્યાગ કરી હું સુખપૂર્વક સ્થિત છું.(૭) 

 

પ્રકરણ-૧૩-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૮

પ્રકરણ-૧૨

 

॥  जनक उवाच ॥

कायकृत्यासहः पूर्वं ततो वाग्विस्तरासहः । अथ चिन्तासहस्तस्माद् एवमेवाहमास्थितः ॥ १॥

જનક કહે છે કે-પહેલાં શારીરિક (કાયિક) કર્મોનો,પછી વાણીના કર્મોનો (વાચિક) અને તેના પછી,

--માનસિક કર્મોનો ત્યાગ કરી,હવે હું સ્થિત (સ્થિર) છું. (૧)

 

प्रीत्यभावेन शब्दादेरदृश्यत्वेन चात्मनः । विक्षेपैकाग्रहृदय एवमेवाहमास्थितः ॥ २॥

શબ્દ વગેરે વિષયોમાં આસક્તિના અભાવથી (વિષયો પ્રત્યે અનાસક્ત) અને,

--આત્મા તો અદૃશ્ય (જોઈ ના શકાય તેવો) હોવાથી,

--કદીક “વિક્ષેપ” તો “એકાગ્ર” હૃદયવાળી સ્થિતિમાં સ્થિત (સ્થિર) છું.(૨)

 

समाध्यासादिविक्षिप्तौ व्यवहारः समाधये । एवं विलोक्य नियममेवमेवाहमास्थितः ॥ ३॥

“વિક્ષેપ” દશામાં રહેલાને માટે સમ્યક અભ્યાસ કરી “સમાધિ” સુધી પહોંચવાનો નિયમ છે,

--અને “સમાધિ” દશામાં રહેનારા માટે પણ ઉલ્ટા નિયમ- વ્યવહારો છે,તે નિયમો જોઈને,

--(હું  તો) આત્માનંદમાં (નિજાનંદમાં)  સ્થિત (સ્થિર) છું. (૩)

 

हेयोपादेयविरहाद् एवं हर्षविषादयोः । अभावादद्य हे ब्रह्मन्न् एवमेवाहमास्थितः ॥ ४॥

ત્યાજ્ય (ત્યાગવાનું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનું) –હવે રહ્યું નથી,

--તેથી  “હર્ષ” અને “શોક” ના અભાવવાળી સ્થિતિમાં સ્થિત (સ્થિર) છું.(૪)

 

आश्रमानाश्रमं ध्यानं चित्तस्वीकृतवर्जनम् । विकल्पं मम वीक्ष्यैतैरेवमेवाहमास्थितः ॥ ५॥

આશ્રમમાં રહેવું કે આશ્રમથી પર થવું,ધ્યાન કરવું કે ધ્યાન ના કરવું,

મન ને માનવું કે ના માનવું,--વગેરે વાતોમાં 

--માત્ર “હું” જ (મારી મરજી અનુસાર) વિકલ્પ આપું,એમ સ્થિત (સ્થિર) છું. (૫)

 

कर्मानुष्ठानमज्ञानाद् यथैवोपरमस्तथा । बुध्वा सम्यगिदं तत्त्वमेवमेवाहमास्थितः ॥ ६॥

જેમ કર્મ કરવાં એ અજ્ઞાનનું કાર્ય છે,તેમ કર્મ ના કરવાં તે પણ અજ્ઞાનનું કાર્ય છે,

--આ “તત્વ” ને જાણી લઇ “હું” સ્થિત (સ્થિર) છું      (૬)

 

अचिन्त्यं चिन्त्यमानोऽपि चिन्तारूपं भजत्यसौ । त्यक्त्वा तद्भावनं तस्माद् एवमेवाहमास्थितः ॥ ७॥

અચિંત્ય (બ્રહ્મ) નું ચિંતન કરનારો પણ “ચિંતન-રૂપ” થાય છે,એ સમજીને,

--તે “અચિંત્ય” (બ્રહ્મ)નું ચિંતન છોડીને સ્થિત (સ્થિર) છું. (૭)

 

एवमेव कृतं येन स कृतार्थो भवेदसौ । एवमेव स्वभावो यः स कृतार्थो भवेदसौ ॥ ८॥

જેણે આ પ્રમાણે સ્થિરતાની સ્થિતિ કરી છે,તે કૃતકૃત્ય થયા છે, અને

--જેનો આવી સ્થિરતાનો “સ્વ-ભાવ” બન્યો છે તે પણ કૃતકૃત્ય જ છે. (૮)

 

પ્રકરણ-૧૨-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૭

પ્રકરણ-૧૧

 

 ॥ अष्टावक्र उवाच ॥

भावाभावविकारश्च स्वभावादिति निश्चयी । निर्विकारो गतक्लेशः सुखेनैवोपशाम्यति ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-“ભાવ અને અભાવ રૂપ (ઉત્પત્તિ અને નાશ રૂપ-સૃષ્ટિનો) વિકાર,

સ્વભાવથી જ (માયાથી જ) થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો,

--“નિર્વિકાર” અને “કલેશ (અશાંતિ) વગરનો “ મનુષ્ય સહેલાઈથી જ શાંત બને છે.(૧)

 

ईश्वरः सर्वनिर्माता नेहान्य इति निश्चयी । अन्तर्गलितसर्वाशः शान्तः क्वापि न सज्जते ॥ २॥

“સર્વ જગતનું નિર્માણ કરનાર ઈશ્વર જ છે,બીજો કોઈ નથી” એમ જેણે નિશ્ચય કર્યો છે,જેની બધી

 “આશા” ઓ પોતાના અંતઃકરણમાંથી નાશ પામી છે,તેવો મનુષ્ય કશે “આસક્ત” થતો નથી. (૨)

 

आपदः सम्पदः काले दैवादेवेति निश्चयी । तृप्तः स्वस्थेन्द्रियो नित्यं न वान्छति न शोचति ॥ ३॥

“સમયે (સમય પર) આવતી,આપત્તિ(દુઃખ) અને સંપત્તિ (ધન) દૈવ (પ્રારબ્ધ)થી જ આવે છે”

--એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો “સંતોષી” અને “શાંત ઇન્દ્રીયોવાળો” મનુષ્ય,

--કશાની “ઈચ્છા” કરતો નથી,તેમ જ કશાનો “શોક” કરતો નથી.(૩)

 

सुखदुःखे जन्ममृत्यू दैवादेवेति निश्चयी । साध्यादर्शी निरायासः कुर्वन्नपि न लिप्यते ॥ ४॥

“સુખ-દુઃખ અને જન્મ-મૃત્યુ, દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” એમ જેણે નિશ્ચય કર્યો છે,

--અને માત્ર “સાધ્યને” (ઈશ્વરને) જ જોનારો, (માત્ર ઈશ્વર માટેના જ કર્મ કરનારો) મનુષ્ય,

--અનાયાસે આવી પડતાં કર્મ કરતો હોવાં છતાં કર્મથી લેપાતો નથી.(૪)

 

चिन्तया जायते दुःखं नान्यथेहेति निश्चयी । तया हीनः सुखी शान्तः सर्वत्र गलितस्पृहः ॥ ५॥

“આ સંસારમાં બીજી કોઈ રીતે નહિ પણ માત્ર “ચિંતા” થી જ દુઃખ ઉભું થાય છે”

--એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો “ચિંતા વગરનો” અને

--સર્વત્ર “સ્પૃહા વગરનો” (અનાસક્ત) મનુષ્ય સુખી ને શાંત બને છે.(૫)

 

नाहं देहो न मे देहो बोधोऽहमिति निश्चयी । कैवल्यमिव सम्प्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ ६॥

“હું દેહ નથી,દેહ મારો નથી,પણ હું તો કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ-આત્મા-રૂપ) છું”

--એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “મોક્ષ” ને પ્રાપ્ત થયેલો મનુષ્ય,

--કરેલાં કે ના કરેલાં “કર્મો” ને સંભાળતો નથી (યાદ કરતો નથી) (૬)

 

आब्रह्मस्तम्बपर्यन्तमहमेवेति निश्चयी । निर्विकल्पः शुचिः शान्तः प्राप्ताप्राप्तविनिर्वृतः ॥ ७॥

“બ્રહ્માથી માંડી તૃણ (તરણા) સુધી સર્વમાં “હું” (આત્મા) જ રહ્યો છું”

--એવો જેણે નિશ્ચય કર્યો છે,તેવો મનુષ્ય,”સંકલ્પ વગરનો” “પવિત્ર” અને “શાંત” બને છે,અને,

--તેના માટે જગતમાં કશું પ્રાપ્ત (મેળવવાનું) કે અપ્રાપ્ત (ખોવાનું) રહેતું નથી.   (૭)


नाश्चर्यमिदं विश्वं न किञ्चिदिति निश्चयी । निर्वासनः स्फूर्तिमात्रो न किञ्चिदिव शाम्यति ॥८॥

“આ અનેક આશ્ચર્ય વાળું (ચમત્કાર જેવું) જગત કાંઈ જ નથી (છે જ નહિ)”

--એવો જેણે નિશ્ચય કર્યો છે,તેવો “વાસના વગરનો” અને “ચૈતન્ય રૂપ” મનુષ્ય,

--સંસાર જાણે છે જ નહિ (સંસાર મિથ્યા છે) એમ સમજી ને “શાંત” બને છે.  (૮)  


પ્રકરણ-૧૧-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૬

પ્રકરણ-૧૦

 

                ॥ अष्टावक्र उवाच ॥

विहाय वैरिणं काममर्थं चानर्थसङ्कुलम् । धर्ममप्येतयोर्हेतुं सर्वत्रानादरं कुरु ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-શત્રુ-રૂપ કામને અને અનર્થથી ભરેલા અર્થ (ધન)ને,

--તેમ જ આ બંનેના કારણ-રૂપ ધર્મને પણ ત્યજી દઈ,

--સર્વત્ર (તેમનો એટલે કે સર્વ કર્મોનો) અનાદર કર. (૧)

 

स्वप्नेन्द्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा । मित्रक्षेत्रधनागारदारदायादिसम्पदः ॥ २॥

મિત્ર,જમીન,ધન,ઘર,સ્ત્રી,પુત્ર,સગાંસંબધી  વગેરેને ,તું,

--તે બધાં સ્વપ્ન કે ઇન્દ્રજાલ (જાદુગીરી)ની જેમ માત્ર ત્રણ કે પાંચ દિવસ માટેનાં જ છે,તેમ જો. (૨)

 

यत्र यत्र भवेत्तृष्णा संसारं विद्धि तत्र वै । प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णः सुखी भव ॥ ३॥

જ્યાં જ્યાં તૃષ્ણા છે,ત્યાં સંસાર (બંધન) છે,એમ સમજ.માટે,

--બળવાન વૈરાગ્યનો આશરો લઇને તૃષ્ણા વગરનો થઇ સુખી થા. (૩)

 

तृष्णामात्रात्मको बन्धस्तन्नाशो मोक्ष उच्यते । भवासंसक्तिमात्रेण प्राप्तितुष्टिर्मुहुर्मुहुः ॥ ४॥

તૃષ્ણા એ બંધનનું સ્વ-રૂપ છે,અને તૃષ્ણાનો નાશ એ જ મોક્ષ છે.

--સંસાર પ્રત્યેની અનાસક્તિ માત્રથી જ વારંવાર આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. (૪)

 

त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किञ्चित्सा का बुभुत्सा तथापि ते ॥ ५॥

તું એક શુદ્ધ અને ચેતન (આત્મા) છે અને જગત જડ અને અસત્ છે,

--જે અવિદ્યા (અજ્ઞાન) કરીને કહેવાય છે તે પણ કાંઇ નથી (એટલે કે અસત્ છે) તો પછી,

--કાંઇ જાણવાની (કે બનવાની) ઈચ્છા તને કેમ હોઈ શકે ? (૫)

 

राज्यं सुताः कलत्राणि शरीराणि सुखानि च । संसक्तस्यापि नष्टानि तव जन्मनि जन्मनि ॥ ६॥

રાજ્ય,પુત્રો,પત્નીઓ,શરીરો અને સુખોમાં તું આસક્ત હતો,

--છતાં પણ જન્મો-જન્મમાં તે બધાં નાશ પામી ગયાં હતા જ (૬)

 

अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा । एभ्यः संसारकान्तारे न विश्रान्तमभून् मनः ॥ ७॥

અર્થ,કામ અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં,આ બધાંથી પણ,

--સંસાર-રૂપ વનમાં (તારું) મન શાંત થયું નહિ.(૭)

 

कृतं न कति जन्मानि कायेन मनसा गिरा । दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ ८॥

કેટલાયે જન્મોમાં તેં શરીર,મન અને વાચા વડે,પરિશ્રમ આપવાવાળાં

--દુઃખ દાયક કર્મો કર્યા છે,તો હવે તો શાંત થા !!!   (૮) 


પ્રકરણ-૧૦-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE