Showing posts with label Gita Saar-Gujarati-ગીતા સાર. Show all posts
Showing posts with label Gita Saar-Gujarati-ગીતા સાર. Show all posts

Mar 14, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૪




   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અધ્યાય-૩-કર્મ યોગ


અર્જુન કહે છે –
આપ જો જ્ઞાન ને કર્મ કરતાં (કર્મ ને) વધારે સારું માનો છો 
તો મને આવા હિંસક કર્મ માં કેમ જોડો છો?આવું ગૂંચવણ ભર્યું બોલીને મને મૂંઝવો છો.
મને કોઈ એક નિશ્ચિત વાત કહો (૧-૨ )

કૃષ્ણ કહે છે કે-
આ દુનિયા માં બે માર્ગો છે.-
વિચાર કરનારા ઓ (સાંખ્યો)માટે જ્ઞાન યોગ અને 
કર્મ કરનારાઓ (યોગીઓ) માટે  કર્મ યોગ(૩)

કોઈ પણ  મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી,
પ્રકૃતિ (સાત્વિક,રાજસિક,તામસિક)ના ગુણો ને પરવશ દરેક ને કર્મ કરવા પડે છે.(૫)

અનાશક્ત ભાવથી અને નિષ્કામ બુદ્ધિથી સતત યોગ્ય કર્મ કરતાં રહી ---
શ્રેષ્ઠ પરુષો જેવાકે  મહારાજા જનક- 
પરમ પદ પામ્યા હતા. 

શ્રેષ્ઠ પુરુષો જે જે કર્મો કરે તે લોકો માટે ઉદાહરણ બને છે.---

અને તે જો કર્મો ના કરે તો લોકો તેનું અનુકરણ કરે અને સામાન્ય જીવન નિર્વાહ ની સમાજ વ્યવસ્થા વિખરાઈ જાય.
મારે આ ત્રણે લોક માં કશું મેળવવાનું નથી છતાં હું કર્મ કરું છું.(૧૯-૨૪)

સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણો ના લીધે થાય છે.
પણ અહંકારી મનુષ્ય એમ માને છે કે ‘સર્વ કર્મો હું જ કરું છું’(૨૭)

જયારે જ્ઞાની મનુષ્ય પ્રકૃતિના ગુણોના વિભાગો અને તેથી થતા કર્મો ને જાણી-
શાંત રહી–કર્મો કરીને પણ તેમાં આશક્ત થતો નથી (૨૮)

(પ્રકૃતિ મુજબ કર્મો કરવાનો નિષેધ નથી પણ કર્મો કરતાં કરતાં માનવી મળેલા 
ફળ માં આશક્ત (રાગ) થાય છે.અને બીજા ઓ ને પાસે કર્મ નું ફળ વધુ છે તેનો દ્વેષ કરતો થઇ જાય છે.)

આ રાગ-દ્વેષ ને વશ ના થવું કારણકે તે અધ્યાત્મમાર્ગ ના વિઘ્નો છે.(૩૪)

પોતાની ફરજ સારી રીતે બજાવી  કલ્યાણકારક  સ્વ-ધર્મ નું આચરણ કરવું જોઈએ.(૩૫)

અર્જુન --
જીવ ને વિષયોની ઈચ્છા ના હોવા છતાં કોણ એને ધકેલીને પાપાચાર કરાવે છે?(૩૬)

કૃષ્ણ--
રજોગુણ થી ઉત્પન્ન થનારો  ‘કામ’રૂપ અગ્નિ મનુષ્યનો નિત્ય નો વેરી છે.
તે જ્ઞાની નું વિવેક્જ્ઞાન ઢાંકી દે છે.(૩૭-૩૯)

ઇન્દ્રિયો ,મન અને બુદ્ધિ આ કામ ના આશ્રય સ્થાન છે.અને શરીરધારી માનવી ને ‘મોહ’ માં નાખે છે.જેથી તેનો ત્યાગ આવશ્યક છે.(૪૦-૪૧)

શરીર થી ઇન્દ્રિયો પર છે,
ઇન્દ્રિયો થી મન પર છે,
મન થી બુદ્ધિ પર છે.અને 
બુદ્ધિ થી પર ‘આત્મા’ છે. (૪૨)

માટે આ આત્માને બુદ્ધિ થી જાણી,
બુદ્ધિ થી મનને વશ કરી,
ઇન્દ્રિયો નો (વિષય)-‘કામ’રૂપી શત્રુનો 
તરત જ નાશ કર (૪૩)

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 13, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૫


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૪-જ્ઞાન-કર્મ-સન્યાસ યોગ

કૃષ્ણ—આ કર્મયોગ મેં પહેલાં સૂર્યને કહેલો.સૂર્યે મનુને અને મનુએ ઇક્ષ્વાકુ ને કહેલો.જે પુષ્કળ કાળના  વહી ગયા પછી નષ્ટ થયેલો જે આજે ફરીથી હું તને કહું છું.

અર્જુન— સૂર્ય તો પ્રાચીન કાળનો છે.તો તમે તેને આ યોગની વાત કહી હતી તે સાચી કેમ માની શકું?

કૃષ્ણ—મારે જન્મ અને મૃત્યુ નથી.પણ મારી પોતાની પ્રકૃતિ અને માયાથી જયારે જયારે ધર્મ (સત્યો)નો નાશ અને અધર્મ (અસત્યો)ની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ધર્મ ના રક્ષણ અને અધર્મ ના નાશ માટે દરેક યુગમાં 
‘દેવ’રૂપે માનવ અવતાર લઉં છું.
માનવીઓ અજ્ઞાનતાથી આ વાત ભૂલી મને માત્ર જુદા જુદા દેવ (દેવી)રૂપે જ ઓળખે છે.(૬-૧૧)

જે મનુષ્ય કર્મ માં અકર્મ અને અકર્મ માં કર્મ ને જુએ છે તે બુદ્ધિમાન,યોગી છે.(૧૮)

જે કર્મો નો આરંભ –સંકલ્પ અને ફળ ની ઈચ્છા વગરનો હોય—અને—જે કર્મો ને ‘જ્ઞાન’ ના અગ્નિ થી બાળી નાખે છે તે જ્ઞાની-યોગી-પંડિત છે.(૧૯)

આત્માનંદ માં તૃપ્ત અને-- ફળની ઈચ્છા નો,આશાનો તથા સંગ્રહ નો ત્યાગ કરી અનાયાસે જે મળે તેમાં સંતોષ માનનાર તથા હું અને મારું એવા દ્વંદ થી દૂર,સફળતા-અસફળતા અને રાગ દ્વેષ થી  દૂર --રહેતો મનુષ્ય સંપૂર્ણ કર્મ કરતો હોવા છતાં કર્મો ના બંધન થી લેપાતો નથી.(૨૦-૨૨)

જુદી જુદી જાતના યજ્ઞો માં યજ્ઞ નું સાધન,યજ્ઞ નું દ્રવ્ય,યજ્ઞનો અગ્નિ,યજ્ઞ કરનાર,યજ્ઞ ની પ્રક્રિયા અને યજ્ઞ નું ફળ –આ બધું જ ‘બ્રહ્મ’ છે.—એવું માનવું તે જ્ઞાનયજ્ઞ છે,જે શ્રેષ્ઠ યજ્ઞ છે.(૨૪-૩૩)

જે રીતે અગ્નિ લાકડાને બાળી નાખે છે તેમ ‘જ્ઞાન-અગ્નિ’—કર્મોને બાળી નાખે છે.(૩૭)

પરમ શ્રદ્ધાવાન ,જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પર,અને જીતેન્દ્રિય પુરુષ ‘જ્ઞાન’ ને પ્રાપ્ત થાય છે.અને -જે-થી પરમ શાંતિ મળે છે(૩૯)

અને આવા આત્મજ્ઞાનીને કર્મ નું બંધન પ્રાપ્ત થતું નથી (૪૧)

હે અર્જુન ,અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા હૃદય ના આ ‘શંશય’ ને
“જ્ઞાન રૂપી” શસ્ત્રથી વધ કરી  --
સર્વ ઈશ્વરને અર્પણ કરનાર
“કર્મ યોગ” નું
પાલન કર અને યુદ્ધ માટે ઉભો થા (૪૨)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 12, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૬


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૫-કર્મ સન્યાસયોગ

અર્જુન –તમે કર્મોના સન્યાસ અને કર્મયોગ બન્નેની પ્રશંસા કરો છો,માટે આ બન્ને માં થી સારું શું તે મને નિશ્ચિતપણે કહો.(૧)

કૃષ્ણ---આ બન્ને મોક્ષદાયક છે,પરંતુ બન્નેમાંથી કર્મયોગ –કર્મસન્યાસ યોગ કરતાં વધારે ઉંચો છે (૨)

અજ્ઞાનીઓ જ સાંખ્ય અને (કર્મ)યોગ ને જુદા કહે છે.જો કોઈ પણ - એકમાં પણ સારી રીતે સ્થિર થાય તો તેને બન્ને નું ફળ મળે છે (૪)

ઇન્દ્રિયોના બધા કર્મો કરતો હોવા  છતાં પણ  –‘ઇન્દ્રિયો પોતપોતાના વિષય માં પ્રવૃત થાય છે’ એમ સમજીને ‘હું કાંઈ જ કરતો નથી’ એવું યોગયુક્ત તત્વવેતા માને  છે.(૮-૯)

જગત માટે ઈશ્વર –કર્તાપણું કે કર્મ ઉત્પન્ન કરતો નથી,અને  નથી કર્મ અને ફળને જોડતો. કાર્ય કરનાર પ્રકૃતિ(માયા) છે. (૧૪)

ઈશ્વર નથી કોઈના પાપ લેતો કે નથી કોઈના પુણ્ય લેતો .(૧૫)

પરબ્રહ્મ માં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે,જે પરબ્રહ્મને જ  પોતાનો આત્મા માને છે,અને પરબ્રહ્મ માં જ પૂર્ણ નિષ્ઠા રાખે છે  એવા યોગી ને આત્મજ્ઞાન નું સુખ મળે છે.અને તેના પાપ નષ્ટ થાય છે.અને તે એવા સ્થળે જાય છે જ્યાંથી પાછા ફરવાનું રહેતું નથી.(૧૭)

બ્રાહ્મણ,ગાય,કૂતરાં અને ચાંડાલ ,--આ સર્વ માં આત્મનિષ્ઠ પુરુષ બ્રહ્મ ને જુએ છે.(૧૮)

બાહ્ય  વિષયોમાં આશક્તિ નહી હોવાથી તેને આત્મા માં સુખ જડે છે.  અને બ્રહ્મ ના ચિંતન માં રહીને તે અનંત સુખ મેળવે છે.(૨૧)

ઇન્દ્રિયો અને તેના વિષયોના સંયોગ થી થનારા ભોગો (સુખાનુભવ)—તે સર્વ –ઉત્પત્તિ અને નાશ ને આધીન હોવાથી તે પાછળથી દુઃખ ના કારણ બને છે.  એટલે જ્ઞાની પુરુષો તેમાં આનંદ માનતા નથી.(૨૨)

બાહ્ય વિષયો (શબ્દો-વગેરે)ને હૃદય માંથી બહાર કાઢી નાખી,----
ભ્રકૃટી માં દ્રષ્ટિ સ્થાપન કરી---
નાકમાં પ્રાણ-અપાન ને સમાન કરી ,----
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ ને પોતાના વશ માં લઇ ,---
ઈચ્છા ,ભય,અને ક્રોધ નો નાશ કરી ---
જે  યોગી મોક્ષ ને જ પોતાનું અંતિમ ધ્યેય માને  છે,તે સદા મુક્ત જ છે.(૨૭-૨૮)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 11, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૭


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૬ --અધ્યાત્મ યોગ

કૃષ્ણ કહે છે કે  –ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.
સંકલ્પ નો સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.
યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે.
તેજ યોગી યોગ પ્રાપ્ત કરે પછી ‘શમ’(કર્મત્યાગ) એ ‘સાધન’ છે (૧-૩)

માનવે આત્મા વડે જ આત્મા નો ઉદ્ધાર કરવો,
પોતાના આત્માને અધોગતિ તરફ લઇ જવો નહિ,
કારણકે આત્મા જ આત્માનો મિત્ર અને આત્મા જ આત્માનો શત્રુ છે.
માટે આત્મા વડે આત્મા ને જીતવો જોઈએ .(૫-૬)

પવિત્ર પ્રદેશ માં આસન લગાવી,મનને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,સ્થિર થઇ,--શરીર ,મસ્તક અને ગરદન ને સીધા રાખી –નાસિકના અગ્ર પર દ્રષ્ટિ રાખી ,નિર્ભય થઇ,બ્રહ્મચર્ય વ્રત આદરી,--પ્રભુનું ચિંતન અને પ્રભુ પારાયણ થઇ ,--ધ્યાનસ્થ થઇ યોગાભ્યાસ કરવો જોઈએ (૧૧ -૧૪)

અતિ આહાર ,અતિનિદ્રા કે નિરાહાર અને અતિજાગ્રત રહેનાર ને યોગ સાધ્ય નથી.
પ્રમાણસર સમતા રાખવી જોઈએ (૧૬-૧૭)

સંકલ્પ થી થનાર વાસનાનો ત્યાગ,
મનથી ઈન્દ્રિયોને જીતી આત્મ સ્વ-રૂપમાં સ્થિર થવું.અને
અસ્થિર,ચંચળ મન જે જે સ્થળે જાય ત્યાંથી તેને નિગ્રહ વડે આત્મ સ્વ-રૂપમાં સ્થિર કરવું.(૩૫-૩૬ )

જેની સર્વત્ર સમદ્રષ્ટિ થઇ જાય તેવો યોગી સર્વ ભૂતોમાં પોતાના આત્માને જુએ છે 
અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુએ છે.
તેની દ્રષ્ટિ થી હું દૂર થતો નથી અને મારી દ્રષ્ટિ થી તે દૂર થતો નથી.(૨૯-૩૦)

અર્જુન—હે કૃષ્ણ ,તમે આ સમત્વ યોગ કહ્યોપણ 
આ મન અતિ ચંચળ છે અને તેનો નિગ્રહ કરવો તે વાયુને અટકાવવા જેવું અઘરું છે.(૩૪)

કૃષ્ણ –હે અર્જુન,તારી વાત સાચી છે.પણ  
‘અભ્યાસ ‘અને ‘વૈરાગ્ય ‘ થી એ મન સ્વાધીન થઇ શકે છે.(૩૫)

અર્જુન—હે કૃષ્ણ ,શ્રધ્ધાવાળો  હોવા છતાં જાત પર કાબુ ના રાખી શકતો હોય  અને જેનું મન ,યોગ થી દૂર ભટકતું હોય તેની શી ગતિ થાય છે?

કૃષ્ણ—હે અર્જુન,યોગની ઈચ્છા રાખનાર અને સત્કૃત્યો કરનાર દુર્ગતિ પામતો નથી પણ 
ફરીથી તે પવિત્ર અને શ્રીમંત કુટુંબ માં જન્મે છે,અને 
પુનર્જન્મ ની યોગ બુદ્ધિ નો ફરી વિકાસ કરી યોગ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.(૪૩-૪૪ )

તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન,
તું યોગી થા.(૪૬)

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 10, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૮


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય -૭-જ્ઞાનવિજ્ઞાન યોગ

કૃષ્ણ—હે અર્જુન,જે જાણીને તારે બીજું કૈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન,વિજ્ઞાન સહિત તને કહું છું.
હજારો મનુષ્ય માં કોઈ એક જ મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે.અને આ પ્રયાસ કરનારાઓમાં કોઈ એકાદ જ મને સત્ય સ્વરૂપે ઓળખી શકે છે.(૨-૩ )

પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત મારી પ્રકૃતિ છે.જેને -અપરા પ્રકૃતિ -પણ કહેછે.
આનાથી ભિન્ન એવી મારી જે -જીવભૂત- પરા પ્રકૃતિ -છે,જેના થી આ જગત ધારણ કરાયેલું છે.
આ બન્ને પ્રકૃતિ ઓ દ્વારા હું ઉત્પત્તિ અને સંહાર નું કાર્ય કરું છું.મારાથી શ્રેષ્ઠ કાંઇજ જ નથી.દોરીમાં મણકા પરોવાયેલા હોય છે તેમ –સર્વ જગત મારામાં ગુંથાયેલું છે. (૪-૫-૬)

સાત્વિક,રાજસિક અને તામસિક (ત્રિગુણાત્મક)વિકારો મારાથી જ ઉત્પન્ન થયેલા છે.
તેમના માં હું નથી પણ તે મારામાં છે.
આ વિકારોથી (માયાથી)જગત મોહિત થાય છે.અને ગુણો થી પર એવા મને ઓળખી શકતું નથી.
આ માયાને પાર કરવી મુશ્કેલ છે.જે મારે શરણે આવે છે તે જ આ માયાને તરી જાય છે.(૧૨-૧૩-૧૪)

ચાર પ્રકારના લોકો મને ભજે છે.આર્ત (રોગથી પીડિત),જિજ્ઞાસુ(ભગવત્ત તત્વ ને જાણવા ઇચ્છનાર),અર્થાર્થી(ભોગ ઇચ્છનાર) ને જ્ઞાની (૧૬)

આ સર્વેમાં જ્ઞાની ને હું અત્યંત પ્રિય અને તે મને અત્યંત પ્રિય છે,તે મારો આત્મા છે.”સર્વ કૈ વાસુદેવ સ્વરૂપ છે”એવું જ્ઞાન જેને પ્રતીત થયું છે ,તેને મારી પ્રાપ્તિ થાય છે.અને આવો મહાત્મા મળવો અતિ દુર્લભ છે.(૧૬-૧૯)

અજ્ઞાની લોકોને મારા ઉત્કૃષ્ટ,અવિનાશી અને અતિ ઉત્તમ ભાવની જાણ થતી નથી અને હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે.(૨૪)

યોગમાયાથી આવૃત થયેલો એવો જે હું –તે સર્વ ને સ્પષ્ટ દેખાતો નથી એથી તે મને જાણતા નથી(૨૫)
‘ઈચ્છા’ અને ‘દ્વેષ’ થી ઉત્પન્ન થતા ‘સુખદુઃખ’રૂપી દ્વંદ ના મોહથી ભ્રમિત થયેલા આ જગતના માનવીઓ ભુલાવામાં રહે છે.દેવતાઓનું પૂજન કરીને દેવતાઓને મળે છે.દેવતાઓ થી પ્રાપ્ત થનારું ફળ નાશવંત હોય છે જયારે મારા ભક્તો મને આવી મળે છે.(૨૩)

જે યોગીઓ અધિભૂત (મહાભુતોમાં રહેલા),અધિદૈવ (દેવોમાં રહેલા),અને અધિયજ્ઞ (યજ્ઞ માં રહેલા) સાથે મને જાણે છે તે મૃત્યુ સમયે પણ સ્થિર મનવાળા રહીને મને જાણે છે.(૩૦)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 9, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૯


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૮ -અક્ષરબ્રહ્મ યોગ

અર્જુન-હે કૃષ્ણ ,તે બ્રહ્મ, શું છે?અધ્યાત્મ શું છે?કર્મ શું છે?અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ શું છે?
એકાગ્ર ચિત્ત વાળાઓ મરણ કાળે તમને શી રીતે જાણે છે?(૧-૨)

કૃષ્ણ –હે અર્જુન ,--અક્ષર,અવિનાશી પરમાત્મા ‘બ્રહ્મ’ કહેવાય છે.

તેનો ‘સ્વ-ભાવ’(ચૈતન્ય-આત્મા) ’અધ્યાત્મ’ કહેવાય છે.અને

પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે ‘કર્મ’ કહેવાય છે.

નાશવાન પદાર્થ (શરીર) ‘અધિભૂત’ છે,

હિરણ્ય ગર્ભ પુરુષ (ચૈતન્ય ને આપનાર) ‘અધિ દૈવ’ છે.અને

શરીરમાં ચૈતન્ય રૂપે (આત્મા રૂપે ) ‘અધિ યજ્ઞ” છે.(૩-૪)

મરણ વખતે મારું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય તે મારા સ્વરૂપ ને પામે છે તેમાં કોઈ શંકા નથી.અથવા મનુષ્ય અંતકાળે જે વસ્તુ(ભાવના) ને યાદ કરતો શરીર છોડે છે ,તેને જ તે પામે છે.કારણ કે તે મનુષ્ય સદા ‘તેવી’ ભાવના વાળો હોય છે.(૫-૬)

ઇન્દ્રિયોના સર્વ દ્વારો નો નિરોધ કરી,મનને હૃદય માં સ્થિર કરી ,કપાળમાં ભ્રકુટી ના મધ્ય ભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી જે પુરુષ ‘ઓમ’ એવા એકાક્ષર નો જપ કરતો અને મારું સ્મરણ કરતાં દેહ છોડે છે,તે પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૧૨-૧૩)

બ્રહ્મ લોક પર્યત્ન ના સર્વ લોક ,ઉત્પત્તિ અને વિનાશ ને આધીન છે.પણ માત્ર મારી પ્રાપ્તિ પછી પુનર્જન્મ થતો નથી.(૧ ૬)

જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થઇ જાય અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે,તે પરમ પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિ વડે જ પ્રાપ્ત થાય છે.(૨૨)

શુક્લ અને કૃષ્ણ એવી બે ગતિ મનાય છે.એકથી(દેવયાન)જનાર યોગીને પાછા આવવું પડતું નથી જયારે બીજીથી(પિતૃયાન) જનાર યોગીને પાછા આવવું પડે છે.
આ બે માર્ગ ને જાણનાર યોગી મોહ માં પડતો નથી.(૨૬-૨૭)

વેદ,તપ,યજ્ઞ અને દાન દ્વારા થતી જે પુણ્યફળ ની પ્રાપ્તિ બતાવી છે, તે સર્વ પુણ્યપ્રાપ્તિ થી પણ આગળ વધીને યોગી આદિ અને ઉત્કૃષ્ટ સ્થાન ને પ્રાપ્ત  થાય છે.(૨૮)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 8, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૦


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૯-રાજ વિદ્યા –રાજગુહ્ય યોગ

હવે હું તને ગૂઢ માં ગૂઢ(ગુહ્ય) જ્ઞાન ,વિજ્ઞાન સહિત  કહું છું,
જે જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા છે ,
સર્વ ગુઢતા માં શ્રેષ્ઠ,પવિત્ર,ઉત્તમ,ધર્મમય,સુખદ,પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવું અને
મેળવવામાં સરળ છે.(૧-૨)

(નોધ-ધર્મ વિષયક જ્ઞાન =ગુહ્ય જ્ઞાન ,આત્મ જ્ઞાન =ગુહ્યતર,પરમાત્મ જ્ઞાન=ગુહ્યત્તમ )

હું અવ્યક્ત સ્વરૂપ છું અને સકળ વિશ્વ મારાથી વ્યાપ્ત છે.મારામાં સર્વ જીવો રહેલાં છે,
પણ હું તેમનામાં સ્થિત નથી.( ૪)

જે રીતે સર્વ ગામી વાયુ આકાશ માં રહેલો છે,તેવી રીતે સર્વ જીવો મારામાં રહેલાં છે.(૬)

મારી ત્રિગુણાત્મક પ્રકૃતિનો આશ્રય લઇ --‘સ્વ-ભાવ થી  પરાધીન’ એવા ‘સર્વ જીવોને’ ,કલ્પ ના અંતે હું ફરી થી  ઉત્પન્ન કરું છું (૭)

ખોટી  આશા,ખોટા કર્મ અને ખોટું જ્ઞાન વાળા અજ્ઞાની જનો-
અસુર જેવા-- મોહ માં ફસાવનાર –તામસી –સ્વભાવ ને ધારણ કરનારા હોય છે.
જયારે દૈવી પ્રકૃતિ નો આશ્રય લેનારા ભક્ત જનો
મને અક્ષર (નાશ વગરના)સ્વરૂપ નો જાણી ,મને ભજે છે.(૧૨-૧૩)

જે મનુષ્યો અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મને ઉપાસી,નિત્ય મારામાં તત્પર રહે છે તેમના જીવન નો ભાર હું ઉઠાવું છું.(૨૨)

જે મને ભક્તિ પૂર્વક પત્ર,પુષ્પ,ફળ,પાણી વગેરે અર્પણ કરે છે,તે શુદ્ધ ચિત્ત વાળાના પદાર્થો હું ગ્રહણ કરું છું.(૨૬)

તું જે ખાય છે ,જે કરે છે,જે હોમે છે,જે દાન કરે છે,જે તપ કરે છે તે સર્વ મને અર્પણ કર (૨૭)

અત્યંત દુરાચારી પણ જો અનન્ય ભાવથી મને ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો,કારણ કે તે મારામાં નિશ્ચય વાળો હોય છે.તે સત્વર જ ધર્માત્મા થાય છે ,શાંતિ ને પ્રાપ્ત થાય છે,
મારો ભક્ત કદી  પણ નાશ પામતો નથી તેવું તું નિશ્ચય પૂર્વક જાણ.(૩૦-૩૧)

તું મારામાં ચિત્ત રાખ,મારો ભક્ત થા,મને પૂજનારો થા,અને મને નમસ્કાર કર.આ પ્રકારે મારા પારાયણ થયેલો તું નિશંક મને જ પામીશ.(૩૪)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 7, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૧


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૦ -વિભૂતિ યોગ

કૃષ્ણ—હે અર્જુન ,તું ફરી વાર મારું ઉત્તમ વચન સાંભળ.
મહર્ષિ કે દેવતાઓ પણ મારા પ્રભાવ ને જાણતા નથી,
કેમકે ‘જ્ઞાન’ તથા ‘શક્તિ’  આદિનું મૂળ કારણ હું છું.(૧-૨)


સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે.
ચૌદ મનુ ઓ મારા મન થી જ ઉત્પન્ન થયેલા છે અને તેમની પ્રજા પણ મારી જ છે.(૫-૬)


‘સર્વ ની ઉત્પત્તિ નું કારણ હું જ છું અને મારાથી જ સર્વ  પ્રવર્તે છે’
એમ સમજી જ્ઞાનીજનો નિરંતર મને જ ભજે છે.મારું સ્મરણ કરે છે(૮)

જેમને હું જ્ઞાનયોગ પ્રદાન કરી જ્ઞાનદીપ દ્વારા તેમના અજ્ઞાન નો નાશ કરું છું (૧૧)


અર્જુન-હે કૃષ્ણ ,આપ પોતેજ પોતા વડે પોતાને જાણો છો,આપ આપની વિભૂતિ ઓ વડે બધા
લોકમાં વ્યાપીને રહો છો,તે વિભૂતિ ઓ વિષે કહો(૧૬)


કૃષ્ણ—હે અર્જુન,હું સર્વ જીવોના હૃદય માં રહેલ આત્મા છું
અને સર્વ જીવો નો આદિ ,મધ્ય અને અંત પણ છું.(૨૧)

આદિત્યો માં વિષ્ણુ,જ્યોતિ માં સૂર્ય ,દેવો માં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને વાણી માં ઓમકાર છું.
ટૂંક માં જે પ્રાણવાન છે તેને મારા તેજ  થી ઉત્પન્ન થયેલ માન (૨૦-૨૬)


જે જે વસ્તુ વિભૂતિ યુક્ત ,ઐશ્વર્યયુક્ત અને કાંતિ યુક્ત છે તે સર્વ મારા તેજ ના ‘અંશ’ થી ઉપજેલી જાણ(૪ ૧)

હું મારા અંશ માત્ર થી સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું.(૪૨) 

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 6, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૨


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૧ -વિશ્વ રૂપ દર્શન યોગ

અર્જુન –હે કૃષ્ણ,આપે મને ઉચ્ચ અધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું તેનાથી મારો મોહ દૂર થયો છે,પણ હવે મને આપનું અવિનાશી રૂપ જોવાની ઈચ્છા છે.(૧-૪)


કૃષ્ણ-હે અર્જુ ન , તું સ્થૂળ ચક્ષુ થી તે જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય ચક્ષુ(દ્રષ્ટિ) આપું છું.તે વડે તું મારું અવિનાશી ,વિશ્વરૂપ ,અને વિરાટ રૂપને જો(૫-૮)


અર્જુને જોયું તો હજારો સૂરજ એક સાથે ઉદય પામ્યા હોય તેવું તેજ આ સ્વરૂપ નું દેખાણું.(૧-૨) 

આ વિરાટ,વિશ્વ રૂપ દર્શન માં ભગવાન મુકુટ,ગદા અને ચક્ર વાળા,અતિશય કાંતિવાળા,હજારો હાથ વાળા,હજારો મસ્તકવાળા,હજારો ઉદર વાળા,આદિ,મધ્ય અને અંત વગરના દેખાતા હતા.તેમનાથી પૃથ્વી,આકાશ અને દિશાઓ વ્યાપ્ત થઇ ગયા હતા.વળી તેમના સંહારક રૂપ માં તેમનું મુખ જ્વલંત અગ્નિ નું બનેલું જોઈ અર્જુન ભયભીત પણ થાય છે. (૧૩-૩૧)


‘’હે ,અર્જુન,હું લોકોના વિનાશ કરનાર કાલ સ્વરૂપે અહી પ્રવૃત થયો છું ,તારા વિના પણ આ બધા યોધ્ધાઓ ઓ નાશ પામવાના છે,માટે મોહ ત્યજીને ઉઠ અને શત્રુઓ પાર વિજય મેળવી તું માત્ર નિમિત્ત થા(૩૨-૩૩)


અર્જુન—હે કૃષ્ણ, આપ અનાદિ પુરાણ પુરુષ છો,વિશ્વના લય સ્થાન છો,આપ જાણનાર અને જાણવાયોગ્ય પરમ ધામ છો,આપ વડે સકળ વિશ્વ વ્યાપ્ત છે. (૩૮)

પૂર્વે નહિ જોયેલું આ દિવ્ય તેજોમય સ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું,છતાં તમારું સંહારક સ્વરૂપ જોઈ ભયથી મારું મન ઘણું ગભરાઈ ગયું છે.માટે હે દેવ,મને પૂર્વ નું રૂપ દેખાડો(૪૫)

ત્યારે કૃષ્ણે પોતાનું અસલ રૂપ દેખાડ્યું

કૃષ્ણ –હે અર્જુન,તેં જે પ્રકારે મારું વિરાટ દર્શન કર્યું તે પ્રકારે હું વેદો વડે,તપ વડે,દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી,માત્ર અનન્ય ભક્તિ વડે જ એ દિવ્ય રૂપને જાણવા,જોવા,સાક્ષાત્કાર કરવાનું શક્ય છે.(૫૩-૫૪)

જે મારો ભક્ત,મારા માટે કર્મ કરનારો,મને જ શ્રેષ્ઠ માનનારો ,મારા પરાયણ રહેનારો,જેણે સંગ નો ત્યાગ કર્યો છે,અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે,તે મને પામે છે (૫૫)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 5, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૩


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           



અધ્યાય-૧૨ -ભક્તિ યોગ

અર્જુન- એ કૃષ્ણ,સાકાર ,સગુણ બ્રહ્મ ની ઉપાસના કરનાર,કે નિરાકાર,નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર,આ બે માં થી  ઉત્તમ કોણ?(૧)


કૃષ્ણ-હે અર્જુન,જેઓ મારામાં મન રાખીને, નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,
તે શ્રેષ્ઠ યોગી છે (૨)


નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ નીઉપાસના કરનારા દેહધારી પુરુષોને ઉપાસના નું (દમન નું) કષ્ટ થાય છે.અને અવ્યક્ત ગતિ મહાપ્રયાસ થી પ્રાપ્ત થાય છે.(૫)

---માટે તું મારામાં જ મન સ્થિર કર,મારામાં જ બુદ્ધિ પરોવ.એમ કર્યાથી તું મારામાં જ વાસ  કરીશ,એમાં શંકા નથી (૮)

---જો તું આમ ના કરી શકતો હોય તો અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કર.(૯)

---અભ્યાસ યોગ પણ ના કરી શકતો હોય તો મારે માટે જ કર્મ પરાયણ બન (૧૦)

---જો આમ કરવા પણ તું અસમર્થ હોય તો,મન નો  સંયમ કરી કર્મફળો નો ત્યાગ કરી કર્મ કર (૧૧)

કારણકે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,
જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે,અને
ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે.(૧૨)


જે કોઈ નો દ્વેષ નહિ કરનાર,મિત્રભાવે વર્તનાર,દયાળુ,મમતા વિનાનો,અહંકાર વગરનો,સરળ,સુખ દુઃખ ને સમાન માનનાર,ક્ષમાશીલ ,સદા સંતોષી,યોગનિષ્ઠ,ઈન્દ્રિયોને વશમાં રાખનાર,દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં મન બુદ્ધિવાળો હોય છે,તે મારો ભક્ત મને પ્રિય છે (૧૩-૧૪)


જેઓ મારામાં ‘પરમ શ્રધ્ધા ‘ રાખી,મારામાં ‘પરાયણ’ રહી,અત્યાર સુધી માં વર્ણવેલા ‘ધર્મ મય’ અમૃત નું સેવન કરે છે.તે મને પ્રિય છે (૨૦)  

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1