Dec 15, 2014

પતંજલિના યોગસૂત્રો-63-Yogsutra of Patanjali-Gujarati

  • ततः क्लेशकर्मनिवृत्तिः (૩૦)

કે જેનાથી કલેશ અને કર્મ ની નિવૃત્તિ થાય છે. (૩૦)

જયારે "ધર્મ-મેઘ" સમાધિ પ્રાપ્ત થાય છે,ત્યારે યોગી ને પતન નો ભય રહેતો નથી.કોઈ પણ વસ્તુ તેને
નીચે ખેંચી શકતી નથી.એને માટે કશું અનિષ્ટ રહેતું નથી.કે કશું દુઃખ રહેતું નથી,

  • तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्याऽनन्त्याज्ज्ञेयम् अल्पम् (૩૧)

ત્યારે સર્વ આવરણ અને મળ દૂર થતાં જ્ઞાન અનંત થાય છે અને તેથી જ્ઞેય અલ્પ બને છે (૩૧)

જ્ઞાન તો પોતે ત્યાંજ રહેલું છે પણ તેના પર નું આવરણ દૂર થાય છે.અને તેથી,
જ્ઞેય-વિષયો સાથેનું સમસ્ત જગત પુરુષ ની પાસે નહીવત થઇ જાય છે.
સાધારણ મનુષ્ય પોતાને બહુ જ અલ્પ માને છે,કારણકે તેને મન જ્ઞેય-વિશ્વ અનંત લાગે છે.

  • ततः कृतार्थानां परिणामक्रमपरिसमाप्तिर्गुणानाम् (૩૨)

ત્યારે લક્ષ્યમાં પહોંચી ગયેલા હોવાને લીધે,ગુણો ની પરિણામ-પરંપરા સમાપ્ત થાય છે.(૩૨)

  • क्षणप्रतियोगी परिणामापरान्तनिग्रार्ह्यः क्रमः (૩૩)

ક્ષણો ની સાથે સંબંધિત અને પરિવર્તનો ની પરંપરાને બીજે  છેડે જેનો અનુભવ થાય છે તેને ક્રમ કહે છે (૩૩)

"ક્રમ" ની વ્યાખ્યા આપતાં પતંજલિ કહે છે કે-ક્રમ એટલે ક્ષણો ની સાથે સંબંધિત થઈને રહે છે તે પરિવર્તનો.
જયારે મનુષ્ય વિચાર કરે છે ત્યારે -તે અરસામાં ઘણી ક્ષણો ચાલી જાય છે,અને ક્ષણ ની સાથે વિચાર પણ
બદલાય છે.અને આ ફેરફારો ને માત્ર "એક-પરંપરા" ના "છેડે"પારખી શકાય છે.કે જેને ક્રમ કહે છે.

પરંતુ જે ચિત્ત સર્વ-વ્યાપકતા ની સ્થિતિએ પહોંચ્યું હોય તેને માટે ક્રમ હોતો જ નથી.
તેને માટે સર્વ-કંઈ વર્તમાન બની ગયું છે,તેની પાસે એક માત્ર વાતમાં ની જ હયાતિ છે.
ભૂતકાળ અને ભવિષ્યકાળ અદૃશ્ય થઇ જાય છે,કાળ સ્થગિત થઇ રહે છે,અને
સઘળું જ્ઞાન એક ક્ષણમાંજ થઇ જાય છે.સર્વ કંઈ એક ચમકારા ની પેઠે જણાય છે.

  • पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं, स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरेति (૩૪)

"કૈવલ્ય" એટલે "પુરુષ" (આત્મા) માટેની ઉપયોગિતાથી રહિત થયેલા ગુણો નો ઉલટા ક્રમમાં લય (પ્રતિલોમ) -અથવા- "ચિત્ત શક્તિ ની પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા"

હવે હેતાળ માતા -પ્રકૃતિ નું નિસ્વાર્થ કાર્ય પુરુ થયું,કે જે તેણે પોતાને માથે લીધું હતું.
પોતાના સ્વરૂપ ને વિસરી ગયેલા જીવાત્મા નો જાણે કે હાથ ઝાલીને તેણે જુદાંજુદાં શરીરો દ્વારા
ઉંચો ને ઉંચો લઈ જઈને જગતમાં ના સઘળાં અનુભવો કરાવી,સઘળા રૂપો બતાવ્યા.અને-
અંતે-તેનો ભૂલાઈ ગયેલો મહિમા તેને પ્રાપ્ત કરાવ્યો.સ્વ-રૂપ ની સ્મૃતિ કરાવી.

ત્યાર પછી તે હેતાળ મા જે રસ્તે થઈને આવી હતી તે જ રસ્તે પછી વળી ગઈ અને જિંદગીના વેરણ રણમાં
ભુલા પડી ગયેલ બીજા જીવાત્માઓને માર્ગ દર્શન કરવામાં લાગી ગઈ.
અને આ રીતે અનાદિ કાળથી તે અનંત-કાળ સુધી આમ કામ કર્યા જ કરે છે.

આ રીતે સુખ-દુઃખમાં થઈને,શુભાશુભ માં થઈને જીવાત્માઓના અનંત પ્રવાહ -
પૂર્ણત્વ ના મહાસાગર માં -આત્મ-સાક્ષાત્કાર ના મહાસાગરમાં વહ્યા જ કરે છે.

જેમણે પોતાના સ્વ-રૂપ નો સાક્ષાત્કાર કર્યો છે તેમનો જય હો..
આપણા સર્વ પર તેમના આશીર્વાદ હો.......



કૈવલ્યપાદ સમાપ્ત


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 14, 2014

Audio-Book-Gujarati




Thanks to dwarkashishvastu.com for following books
link will take to that site
http://dwarkadheeshvastu.com/Music-List-of-Devotional-Music-in-Gujrati.aspx



01. Bhagwat Maha Puran (Gujrati)Listen / Download


02. Bhakt Narsingh Mehta (Gujrati)Listen / Download


03. Durga Saptashati (Gujrati)Listen / Download


04. Eekadashi Katha (Gujrati)Listen / Download


05. Nal-Damyanti Katha (Gujrati)Listen / Download


06. Ram Bhakt Hanuman Katha (Gujrati)Listen / Download


07. Ram Charit Manas (Gujrati)Listen / Download


08. Sati Savitri Katha (Gujrati)Listen / Download


09. Shiv Puran (Gujrati)Listen / Download


10. Shrimad Bhagwat Geeta (Gujrati)Listen / Download


11. Sunder Kand RCM Katha (Gujrati)Listen / Download


12. Vinaya Patrika (Gujrati)Listen / Download


13. Devi Bhagwat MahapuranListen / Download


14. Mahabharat KathaListen / Download


15. Navdurga MahatmyaListen / Download

Upnishad-Gujarati-Index Page

Please Click On Blue Link-For PDF-File

(1)   ઉપનિષદ સંગ્રહ  

(2)   ઉપનિષદો (અગિયાર)

Kenopnishad-Gujarati-કેનોપનિષદ-ગુજરાતી

Kathopnishad-Gujarati-કઠોપનિષદ-ગુજરાતી

Satya-Narayan-Katha-Gujarati-Book-સત્ય-નારાયણ-કથા-ગુજરાતી-બુક

Shiv-Puran-and purano -Gujarati--શિવ પુરાણ-ગુજરાતી

Please Click on the Blue Link-and PDF window will Open
  1. Shiv-Puran-Gujarati-Part-1-શિવ પુરાણ-ગુજરાતી-ભાગ-૧
  2. Shiv-Puran-Gujarati-Part-2-શિવ પુરાણ-ગુજરાતી-ભાગ-૨
  3. Shiv-Puran-Gujarati-Part-2-શિવ પુરાણ-ગુજરાતી-ભાગ-૩
  4. Shiv-Puran-Gujarati-Part-2-શિવ પુરાણ-ગુજરાતી-ભાગ-૪

Download All Ved and Puran PDF Hindi Free

Ved-Index Page-વેદ-અનુક્રમણિકા


Hindi Books (Very good Books with Simple translation)





Atharva-Ved-Gujarati-અથર્વવેદ-02


Atharva-Ved-Gujarati-અથર્વવેદ-01


Rig-Ved-Gujarati-ઋગ્વેદ


Sam-Ved-Gujarati-સામવેદ


Yajur-Ved-Gujarati-યજુર્વેદ


પતંજલિના યોગસૂત્રો-62-Yogsutra of Patanjali-Gujarati

  • विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः (૨૫)

પુરુષ (આત્મા) અને ચિત્ત નો તફાવત દેખી શકનાર નું-
"ચિત્ત એ આત્મા છે" એવું (અજ્ઞાન) દૂર થાય છે  (૨૫)

  • तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् (૨૬)

ત્યારે "વિવેક" તરફ વળેલું -ચિત્ત -એ "કૈવલ્ય" ની "પૂર્વ-અવસ્થા" ને પ્રાપ્ત કરે છે. (૨૬)

આમ,યોગ ની સાધના વિવેક-શક્તિ તરફ-કે-દર્શન ની સ્વચ્છતા તરફ લઇ જાય છે.
આંખ ની સામેથી આવરણ હટી જાય છે,અને વસ્તુઓ "જેવી છે" તેવે જ સ્વરૂપે જણાય છે.
યોગી ને પ્રતીત થાય છે કે-પ્રકૃતિ એ મિશ્ર વસ્તુ છે અને સાક્ષી-રૂપ પુરુષ ને આ જગતનું દૃશ્ય દેખાડી રહી છે,
તથા-પ્રકૃતિ એ માલિક નથી અને પ્રકૃતિનાં સઘળાં મિશ્રણો-એ કેવળ અંતરના સિંહાસન પર વિરાજમાન-
સમ્રાટ-પુરુષ ને આ જગતનું દૃશ્ય બતાવવા માટે જ છે.

લાંબા કાળની સાધના વડે જયારે વિવેક પ્રાપ્ત થાય છે,ત્યારે ભય નીકળી જાય છે અને ચિત્ત-
કૈવલ્ય ની પૂર્વ અવસ્થા ને પ્રાપ્ત કરે છે.

  • तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः (૨૭)

તે કૈવલ્ય-સ્થિતિના વચ્ચે ના ગાળાઓમાં અડચણ-રૂપ જે જે વિચારો ઉઠે છે,તે સંસ્કારોમાંથી આવે છે. (૨૭)

"સુખી થવા માટે બાહ્ય વસ્તુ ની જરૂર રહે છે" એવું આપણ ને મનાવનારા જે વિવિધ પ્રકારના વિચારો ઉઠે છે,
તે બધા પૂર્ણત્વ ની અવસ્થામાં અડચણ-રૂપ છે.પુરુષ (આત્મા) પોતે આનંદ-સ્વ-રૂપ છે.પણ-
આ જ્ઞાન -એ પૂર્વ ના "સંસ્કારો" ને લીધે ઢંકાઈ  ગયું છે,જે સંસ્કારો નો ક્ષય થઇ જવો જોઈએ.

  • हानम् एषां क्लेशवदुक्तम् (૨૮)

તેમનો (તે સંસ્કારો નો) નાશ અગાઉ કહ્યા પ્રમાણે ક્લેશો (અવિદ્યા-અસ્મિતા) નો નાશ કરી કરવાનો છે.(૨૮)

  • प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथाविवेकख्यातेर्धर्ममेघः समाधिः (૨૯)

તત્વો નું વિવેક-જ્ઞાન થતાં,તેમાંથી ઉત્પન્ન થતી "ઐશ્વર્ય માટે ની સ્પૃહા" ને છોડવાથી,
યોગી ને "સંપૂર્ણ-વિવેક-જ્ઞાન" થાય છે.અને તેનાથી તે "ધર્મ-મેઘ" નામની સમાધિ-અવસ્થાએ પહોંચે છે.(૨૯)

જયારે યોગી આ "વિવેક-જ્ઞાન" મેળવી ચુકે-ત્યારે પાછલા પ્રકરણમાં જણાવેલી સર્વ વિભૂતિઓ (સિદ્ધિઓ) તેની પાસે આવે છે,પરંતુ સાચો યોગી તેમનો અસ્વીકાર કરે છે.અને તેનામાં એક "ખાસ-પ્રકારનું સંપૂર્ણ-વિવેક-જ્ઞાન"
અને એક ખાસ પ્રકારનું તેજ આવે છે-તેને "ધર્મ-મેઘ" કહેવામાં આવે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 13, 2014

પતંજલિના યોગસૂત્રો-61-Yogsutra of Patanjali-Gujarati

  • तदुपरागापेक्षत्वात् चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् (૧૭)

તે વસ્તુ, એ ચિત્ત પર કેવું પ્રતિબિંબ પાડે છે,તેના પર જ્ઞાન થવાનો કે ન થવાનો આધાર રહેલો છે.(૧૭)

  • सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात्  (૧૮)

ચિત્ત-વૃત્તિઓ સદા જ્ઞાત છે,કારણકે ચિત્ત નો માલિક સદા અપરિણામી છે, (૧૮)

જગત માનસિક અને ભૌતિક બંને છે,આ બંને પ્રકારનું જગત નિરંતર પરિવર્તન પામ્યા જ કરે છે.
પરિવર્તન રહિત,નિરંજન,અને શુદ્ધ -એક માત્ર પુરુષ (આત્મા) છે.
જેવી રીતે ફિલ્મ-પ્રોજેક્ટર એ સફેદ પડદાને બગડ્યા વિના તેના પર ચિત્રો પાડે છે,
તેવી રીતે,પુરુષ પર જગતના બધા અનુભવો માત્ર પ્રતિબિમ્બિત થયેલા છે.

  • न तत् स्वाभासंदृश्यत्वात्  (૧૯)

મન-એ દૃશ્ય-વસ્તુ  હોવાને લીધે -સ્વયં-પ્રકાશ નથી. (૧૯)

પ્રકૃતિ માં સર્વત્ર જબરદસ્ત "શક્તિ" વ્યક્ત થયેલી જોવામાં આવે છે.તેમ છતાં પ્રકૃતિ સ્વયં-પ્રકાશ નથી.
કેવળ પુરુષ (આત્મા) જ સ્વયં-પ્રકાશ છે.અને પોતાનો પ્રકાશ સર્વ વસ્તુઓને આપે  છે.
સમસ્ત જડ-દ્રવ્ય અને બળ (શક્તિ) માં થઈને પ્રસરી રહેલી શક્તિ-એ પુરુષ (આત્મા) ની જ છે.

  • एकसमये चोभयानवधारणम्  (૨૦)

ચિત્ત પોતાને તેમ જ બીજી વસ્તુને એક જ સમયે અનુભવી શકતું નથી. (૨૦)

જો ચિત્ત સ્વયં-પ્રકાશ હોત તો-તે પોતાને ને બીજા પદાર્થો ને એકી સાથે જ જાણી શકત,પણ તે તેમ કરી શકતું નથી.જયારે તે પદાર્થ ને જાણે છે,ત્યારે તે પોતાને જાણી શકતું નથી,તેથી પુરુષ જ સ્વયં-પ્રકાશ છે,ચિત્ત નહિ.

  • चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसंकरश्च (૨૧)

જો ચિત્ત ને બીજું એક ચિત્ત પ્રકાશિત કરે છે એમ માનવામાં આવે તો-એવી કલ્પનાઓનો ક્યાંય અંત નહિ આવે,અને પરિણામે સ્મૃતિઓની સેળભેળ થઇ જશે. (૨૧)

ધારો કે એક બીજું ચિત્ત છે,જે આ સામાન્ય ચિત્ત ને જાણે છે,તો પછી એ (પહેલા) ચિત્ત ને જાણવા ત્રીજા
કોઈ ચિત્ત ની જરૂર પડશે.અને એ રીતે તેનો કોઈ અંત નહિ આવે.અને પરિણામે સ્મૃતિમાં ગોટાળો ઉભો  થશે.

  • चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् (૨૨)

ચિત્ત-વસ્તુ (એટલે કે પુરુષ-આત્મા) એ અપરિવર્તનશીલ હોવા ને લીધે, જયારે.
ચિત્ત એ પુરુષ (આત્મા) નો આકાર લે છે,ત્યારે તેને (ચિત્તને) પોતાનું ભાન થાય છે, (૨૨)

પતંજલિ આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કરવા માગે છે કે-"જ્ઞાન" એ પુરુષ (આત્મા) નો ગુણ નથી.પણ,
જયારે ચિત્ત-એ પુરુષની નજીક આવે છે ત્યારે પુરુષ એ જાણે કે ચિત્ત પર પ્રતિબિમ્બિત થાય છે,
અને ચિત્ત એટલા સમય પૂરતું -જાણે કે સચેતન બને છે.અને પોતે જ પુરુષ હોય તેમ ભાસે છે.

  • द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थम् (૨૩)

દ્રષ્ટા (આત્મા) અને દૃશ્ય (બાહ્ય-જગત) થી રંગાયેલું-એ ચિત્ત સર્વ વસ્તુ ને જાણી શકે છે.(૨૩)

ચિત્ત ની એક બાજુએ દૃશ્ય (બાહ્ય-જગત) અને બીજી બાજુએ દ્રષ્ટા (આત્મા) પ્રતિબિંબિત થાય છે,
કે જેના લીધે ચિત્તમાં સઘળું જાણવાની શક્તિ આવે છે.

  • तदसंख्येयवासनाचित्रम् अपि परार्थं संहत्यकारित्वात्  (૨૪)

ચિત્ત અસંખ્ય વાસનાઓથી ચિત્ર-વિચિત્ર થયેલું હોવા છતાં-તે
વિષયો ની સાથે મળીને કાર્ય કરતું હોવાથી બીજા (પુરુષ) ને માટે છે. (૨૪)

ચિત્ત એ વિવિધ વસ્તુઓનું મિશ્રણ છે,અને તેથી તે પોતાને માટે કાર્ય કરી શકતું નથી, અને દુનિયામાં
જે જે વસ્તુ મિશ્રણ-રૂપ છે,તેમનો તે મિશ્રણ થી અલગ કોઈ હેતુ હોય છે.કે જેને માટે તે મિશ્રણ-ક્રિયા ચાલી
રહી હોય છે.અહીં,ચિત્ત-રૂપી મિશ્રણ એ પુરુષ (આત્મા) ને માટે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE