નિવાત કવચ યુદ્ધ પર્વ
અધ્યાય-૧૬૫-અર્જુનનો સમાગમ
II वैशंपायन उवाच II
ततः कदाचिद्वरिसंप्र्युक्तं महेन्द्रवाहं सहसोपयातम् I विध्युत्भ्रमं प्रेक्ष्य महारथानां हर्षोSर्जुनं चिन्तयतां वभूव II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુનની ચિંતા કરી રહેલા તે મહારથી પાંડવોએ એક સમયે વીજળીની જેવા ચમકવાળા ઈંદ્રરથને એકાએક આવતો જોયો કે જેથી તેમને અત્યંત આનંદ થયો.માતલિ સારથિએ નિયમમાં રાખેલો તે રથ અંતરિક્ષને એકદમ ચમકાવી રહ્યો હતો,ને તેમાં અર્જુન મુગટ,માળા ને નવાં આભરણો સજીને બેઠેલો હતો.
હવે,ઇન્દ્રના જેવા પ્રભાવવાળો અને લક્ષ્મીથી ઝગમગી રહેલો તે ધનંજય તે પર્વત પર આવીને રથમાંથી ઉતર્યો.







