Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 2, 2024
ચિદાકાશ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-474
અધ્યાય-૧૮૮-યુગવર્ણન ને માર્કંડેયને માયાદર્શન
II वैशंपायन उवाच II ततः स पुनरेवाय मार्कण्डेयं यशस्विनम् I प्रप्रच्छ विनयोपेतो धर्मराजो युधिष्ठिरः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,તે વિનયસંપન્ન યુધિષ્ઠિરે,યશસ્વી માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-હે મહામુનિ,તમે સહસ્ત્રયુગોના અંતો જોયા છે,વળી આ લોકમાં તમારા જેવો કોઈ આયુષ્યમાન પણ દેખાતો નથી.હે વિપ્ર,જયારે આ લોક દેવ,દાનવ ને આકાશથી વિહીન થાય છે,ત્યારે પ્રલયકાળે તમે જ બ્રહ્મને ઉપાસો છે ને પ્રલય પછી તે પિતામહ જાગ્રત થાય છે ત્યારે તમે એક જ આ લોકમાં સર્જાતાં સર્વ ભૂતો ને સૃષ્ટિને જુઓ છો.બ્રહ્માના પ્રસાદથી મૃત્યુ ને જરા તમારા શરીરમાં પેસતાં નથી.સૃષ્ટિનો લય ને ઉત્પત્તિ એ તમારી પ્રત્યક્ષમાં થયો જેનો તમે એકલાએ જ અનુભવ કર્યો છે.સર્વલોકમાં કશું પણ તમારાથી અજાણ્યું નથી,આથી તે સર્વ કથા હું સાંભળવા ઈચ્છું છું.(16)
Apr 1, 2024
બેહોશી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-473
અધ્યાય-૧૮૭-મત્સ્યોપાખ્યાન
II वैशंपायन उवाच II ततः स पांडवो विप्रं मार्कण्डेयमुवाच ह I कथयस्वेति चरितं मनोवैवस्वतस्य च II १ II
વૈશંપાયન બોલ્યા-પછી એ યુધિષ્ઠિર પાંડવે માર્કંડેય મુનિને કહ્યું-'તમે વૈવસ્વત મનુનું ચરિત્ર કહો'
માર્કંડેય બોલ્યા-હે રાજન,વિવસ્વાન સૂર્યને મહાપ્રતાપી ને મહર્ષિ એવો એક મનુ નામે પુત્ર હતો,તે મનુ
પોતાના બળથી,તેજથી,લક્ષ્મીથી અને તપસ્યાથી પોતાના પિતા ને પિતામહને પણ ટપી ગયો હતો.
તેણે બદરિકાશ્રમમાં ઊંચા હાથ રાખીને તથા એકપગે ઉભા રહી અતિ મહાન તપ કર્યું હતું.
વળી તેણે નીચું મસ્તક રાખીને,આંખ મીંચ્યા વિના દશ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું.
Mar 31, 2024
રાહ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-472
અધ્યાય-૧૮૬-તાક્ષર્ય અને સરસ્વતીનો સંવાદ
II मार्कण्डेय उवाच II अत्रैव च सरस्वत्या गीतं परपुरंजय I पुष्टया मुनिना वीर शृणु ताक्षर्येण धीमता II १ II
માર્કંડેય બોલ્યા-હે શત્રુનગરના વીર વિજેતા,આ સંબંધમાં બુદ્ધિમાન તાક્ષર્ય મુનિના
પૂછવાથી સરસ્વતીએ જે કહ્યું હતું તે તમે સાંભળો.
તાક્ષર્યે સરસ્વતીને પૂછ્યું-'હે ભદ્રા,આ લોકમાં પુરુષનું શું શ્રેયસ્કર છે?શું કરવાથી તે ધર્મથી ભ્રષ્ટ ન થાય?
હું કેવી રીતે અગ્નિમાં હોમ કરું?કયે સમયે પૂજન કરું?શું કરવાથી મારો ધર્મ નાશ ન પામે?
આ બધા વિશે તમે મને કહો,તે મુજબ કરીને હું શુભ લોકોમાં સંચરું (3)
Mar 30, 2024
ઉન્મતતા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-471
અધ્યાય-૧૮૫-અત્રિની કથા
II मार्कण्डेय उवाच II भूय एव महाभाग्यं ब्राह्मणानां निबोध मे I वैन्यो नामेह राजर्षिरश्वमेधाय दीक्षितः II १ II
માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોના મહિમા વિશે હું વિશેષ કહું છું તે તમે સાંભળો.પૂર્વે આ લોકમાં વેનપુત્ર પૃથુ નામના
રાજર્ષિએ અશ્વમેઘની દીક્ષા લીધી હતી.ને અમે સાંભળ્યું છે કે અત્રિ તેમને ત્યાં ધનને માટે ગયા હતા.
આમ,તો તે ધનની ખાસ પરવા કરનારા નહોતા,કેમ કે દ્રવ્યને પરિણામે ધર્મનો નાશ થાય છે તે તેઓ જાણતા હતા,
પરંતુ જયારે તેમની પત્નીએ યજ્ઞ-આદિને વિસ્તારવા માટે તેમને વૈન્ય રાજા પાસે જવાનો આગ્રહ કર્યો (7)






