Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 4, 2024
સ્થિરતાને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-476

અધ્યાય-૧૯૦-કળિયુગમાં લોકોની સ્થિતિ
II वैशंपायन उवाच II युधिष्ठिरस्तु कौन्तेयो मार्कण्डेयं महामुनिम् I पुनः पप्रच्छ साम्राज्ये भविष्यां जगतो गतिम् II १ II
વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્ર યુધિષ્ઠિરે ફરીથી,મહામુનિ માર્કંડેયને પોતાના સામ્રાજ્ય પછીની,ભાવિ જગતની સ્થિતિ વિશે પૂછતાં બોલ્યા કે-'હે શ્રેષ્ઠ મુનિ,યુગના આદિકાળમાં જગતની ઉત્પત્તિ ને સંહાર સંબંધી આશ્ચર્યકારક વૃતાંત અમે સાંભળ્યો,પણ હે ભાર્ગવ,એ કળિયુગમાં સર્વ ધર્મોના નાશનો ગોટાળો થઇ જશે તો પછી બાકી શું રહેશે?
મને ફરીથી કુતુહલ થાય છેકે તે યુગક્ષયને વખતે માનવોનું બળ કેવું હશે?તેમના આહાર વિહાર કેવા હશે?
તેમનું આયુષ્ય કેટલું હશે?કઈ સ્થિતિ આવ્યા પછી સત્યયુગ પાછો આવશે? (6)
Apr 3, 2024
પ્રેમ તમારો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-475
અધ્યાય-૧૮૯-વિષ્ણુએ પોતાનું સ્વરૂપ કહ્યું
II देव उवाच II कामं देवापि मां विप्र नहि जानंति तत्वतः I त्वत्प्रिया तु प्रवक्ष्यामि यथेदं विसृजाम्यहम् II १ II
દેવ બોલ્યા-હે વિપ્ર,દેવો પણ મને યથાર્થ રૂપે જાણતા નથી,તારા પર પ્રીતિને લીધે હું કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કરું છું
તે તને કહું છું.પૂર્વે મેં જળને 'નારા' એવું નામ આપ્યું છે,અને આ 'નારા' મારુ સદૈવનું 'અયન' (આશ્રય સ્થાન) છે
આથી હું 'નારાયણ' કહેવાયો છું (3) આમ હું નામે નારાયણ છું,હું સકળ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છું,
સનાતન છું,અવિનાશી છું,પ્રાણીમાત્રનો વિધાતા ને સંહર્તા છું.હું જ વિષ્ણુ ને હું જ બ્રહ્મા છું.
હું જ ઇન્દ્ર છું,હું જ કુબેર છું,હું જ યમ છું,હું જ શિવ છું,સોમ છું,ને હું જ કશ્યપ છું.
Apr 2, 2024
ચિદાકાશ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-474
અધ્યાય-૧૮૮-યુગવર્ણન ને માર્કંડેયને માયાદર્શન
II वैशंपायन उवाच II ततः स पुनरेवाय मार्कण्डेयं यशस्विनम् I प्रप्रच्छ विनयोपेतो धर्मराजो युधिष्ठिरः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,તે વિનયસંપન્ન યુધિષ્ઠિરે,યશસ્વી માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-હે મહામુનિ,તમે સહસ્ત્રયુગોના અંતો જોયા છે,વળી આ લોકમાં તમારા જેવો કોઈ આયુષ્યમાન પણ દેખાતો નથી.હે વિપ્ર,જયારે આ લોક દેવ,દાનવ ને આકાશથી વિહીન થાય છે,ત્યારે પ્રલયકાળે તમે જ બ્રહ્મને ઉપાસો છે ને પ્રલય પછી તે પિતામહ જાગ્રત થાય છે ત્યારે તમે એક જ આ લોકમાં સર્જાતાં સર્વ ભૂતો ને સૃષ્ટિને જુઓ છો.બ્રહ્માના પ્રસાદથી મૃત્યુ ને જરા તમારા શરીરમાં પેસતાં નથી.સૃષ્ટિનો લય ને ઉત્પત્તિ એ તમારી પ્રત્યક્ષમાં થયો જેનો તમે એકલાએ જ અનુભવ કર્યો છે.સર્વલોકમાં કશું પણ તમારાથી અજાણ્યું નથી,આથી તે સર્વ કથા હું સાંભળવા ઈચ્છું છું.(16)
Apr 1, 2024
બેહોશી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-473
અધ્યાય-૧૮૭-મત્સ્યોપાખ્યાન
II वैशंपायन उवाच II ततः स पांडवो विप्रं मार्कण्डेयमुवाच ह I कथयस्वेति चरितं मनोवैवस्वतस्य च II १ II
વૈશંપાયન બોલ્યા-પછી એ યુધિષ્ઠિર પાંડવે માર્કંડેય મુનિને કહ્યું-'તમે વૈવસ્વત મનુનું ચરિત્ર કહો'
માર્કંડેય બોલ્યા-હે રાજન,વિવસ્વાન સૂર્યને મહાપ્રતાપી ને મહર્ષિ એવો એક મનુ નામે પુત્ર હતો,તે મનુ
પોતાના બળથી,તેજથી,લક્ષ્મીથી અને તપસ્યાથી પોતાના પિતા ને પિતામહને પણ ટપી ગયો હતો.
તેણે બદરિકાશ્રમમાં ઊંચા હાથ રાખીને તથા એકપગે ઉભા રહી અતિ મહાન તપ કર્યું હતું.
વળી તેણે નીચું મસ્તક રાખીને,આંખ મીંચ્યા વિના દશ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું.





