Dec 11, 2021
Dec 10, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૦
પ્રભુ બતાવે છે કે-સહુથી ઉંચી પ્રેમ-સગાઇ (પ્રેમ-સંબંધ) છે.
એ જ પ્રેમ વશ તેમણે અર્જુનનો રથ હાંક્યો,એ જ પ્રેમથી વિદુરની ભાજી ખાધી ને શબરીનાં બોર ખાધાં.પ્રેમને વશ તેમની ઠકુરાઈ કે ઐશ્વર્યતા ભૂલી ગયા છે,અને સામાન્ય માનવીની જેમ અર્જુનનો રથ હાંકે છે,દુર્યોધનના મેવા છોડીને વિદુરની ભાજી ખાધી છે.અને મોટા સંતોને ઘેર ના જતાં શબરીને ઘેર ગયા છે.જાતિ –પાંતિના ભેદ છોડીને,એઠું-જુઠું છોડીને,શબરીના બોર ખાય છે.
એ જ પ્રેમ વશ તેમણે અર્જુનનો રથ હાંક્યો,એ જ પ્રેમથી વિદુરની ભાજી ખાધી ને શબરીનાં બોર ખાધાં.પ્રેમને વશ તેમની ઠકુરાઈ કે ઐશ્વર્યતા ભૂલી ગયા છે,અને સામાન્ય માનવીની જેમ અર્જુનનો રથ હાંકે છે,દુર્યોધનના મેવા છોડીને વિદુરની ભાજી ખાધી છે.અને મોટા સંતોને ઘેર ના જતાં શબરીને ઘેર ગયા છે.જાતિ –પાંતિના ભેદ છોડીને,એઠું-જુઠું છોડીને,શબરીના બોર ખાય છે.
Dec 8, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૮
પ્રભુના ભક્તો,પ્રભુને મળવાની આશામાં જ જીવતા હોય છે.
મહાત્માઓ કહે છે કે-કદી જીવ પર આશા બાંધશો નહિ,આશા રાખો તો કેવળ ઈશ્વરની જ રાખજો.આશા પૂરી કરવાનું સામર્થ્ય કેવળ એક પ્રભુમાં જ છે.જપ,તપ,દાન બધું કરો,
મહાત્માઓ કહે છે કે-કદી જીવ પર આશા બાંધશો નહિ,આશા રાખો તો કેવળ ઈશ્વરની જ રાખજો.આશા પૂરી કરવાનું સામર્થ્ય કેવળ એક પ્રભુમાં જ છે.જપ,તપ,દાન બધું કરો,
પણ એટલું સમજી રાખજો કે-સંતના અનુગ્રહ વગર-સત્સંગ વગર સતત-તીવ્ર ભક્તિ થતી નથી.તીવ્ર ભક્તિ વગર પ્રભુ મળતા નથી.
Dec 7, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૭
પૂર્વજન્મમાં શબરી એક રાજાની રાણી હતી,વ્યવહારમાં રાજ-રાણીનું સુખ મોટું ગણાય છે,પણ શબરીને રાજ-રાણીના એ સુખમાં દુઃખ દેખાતું હતું,કારણકે તેને સાધુ-સંતોની તનથી સેવા કરવી હતી.જો કે એક રાણી તરીકે તે સેવા તે ધનથી કરી શકતી હતી,પણ તેમ તેને સંતોષ નહોતો.તેને તો તનથી સંતોની સેવા કરવી હતી તે એક રાજરાણી તરીકે કરી શકતી નહોતી.એકવાર તે પ્રયાગમાં યાત્રાએ ગઈ,ત્યાં તેને અનેક સંતોનાં દર્શન થયાં,ત્યાં પણ એક રાજરાણી તરીકે તેમની સેવા ના કરી શકી એટલે એને એટલું દુઃખ થયું કે-“હે,પ્રભુ આવતા જન્મે મને સંત-સેવા કરવાની તક આપજે” કહી એને ગંગાજીમાં પડી દેહ છોડ્યો.
Dec 6, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૬
શ્રીરામ અગણિત ગુણોના ભંડાર છે. શ્રીરામના દિવ્ય સદગુણો જે જીવનમાં ઉતારી શકે એ જ રામના દરબારમાં પ્રવેશ પામી શકે છે.નહિ તો હનુમાનજી દ્વારે ગદા લઈને બેઠા જ છે ! હનુમાનજી હાથમાં ગદા રાખે છે તે તેમને કોઈની બીક લાગે છે તે માટે રાખતા નથી,પણ,પાપીને સજા કરવા માટે રાખે છે.જે બહુ ભણે છે ને વિદ્વાન બની જાય છે,તે તેના જ્ઞાનના અહંકારમાં ધર્મની મર્યાદા પાળતા નથી,અને ધર્મને અવગણે છે,એમને માટે હનુમાનજી હાથમાં ગદા રાખે છે.
Dec 4, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૪
આમ ઘણા વખત સુધી શિવજીની સમાધિ તૂટી નહિ એટલે કામદેવે શંકરના હૃદય પર ચોટ મારવા માંડી.મહાદેવજીને અત્યંત ક્રોધ થયો અને તેમણે ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને તે નેત્રમાંથી નીકળેલી જ્વાળામાં કામદેવ બળીને ભસ્મ થઇ ગયો.ત્યારે કામદેવની પત્ની રતિ,રોતી રોતી શિવજી પાસે ગઈ અને દયાની યાચના કરી બંને હાથ જોડી ઉભી.
ભોળા શંભુને તો પ્રસન્ન થતાં પણ કેટલી વાર?તેમણે રતિને આશીર્વાદ આપ્યા કે-
તારો પતિ શરીર વિના સર્વત્ર વિચરશે,ને હવેથી તે “અનંગ” નામે ઓળખાશે.
Subscribe to:
Posts (Atom)