Jan 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-069


 અધ્યાય-૭૬-કચ ને સંજીવનીવિદ્યાની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II ययाति: पूर्वजोSस्माकं दशमो यः प्रजापतेः I कथं स शुक्रतनयां लेभे परमदुर्लभाम् II १ II

જન્મેજય બોલ્યા-પ્રજાપતિથી દશમી પેઢીએ થયેલા અમારા પૂર્વજ તે યયાતિએ પરમ દુર્લભ શુક્રપુત્રીને 

ક્યાંથી મેળવી? વળી,તમે બીજા વંશકર્તાઓ વિષે પણ અનુક્રમે કહો (1-2)

Jan 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-068


અધ્યાય-૭૫-યયાતિ રાજાનું ઉપાખ્યાન 

II वैशंपायन उवाच II प्रजापतेस्तु दक्षस्य मनो वैवस्वतस्य च I भरतस्य कुरोः पुरोराजमिढस्य चानाध II १ II

વૈશંપાયન બોલ્યા-હે અપાપ,દક્ષ પ્રજાપતિ,વૈવસ્વત મનુ,ભારત,પુરુ,આજમીઢ,યાદવો,કૌરવો અને ભારતો,

એ વંશોની પુણ્યશાળી,મહાકલ્યાણકારી તેમ જ યશ તથા આયુષ્ય દેનારી કથા હું તમને કહું છું.

પ્રચેતાને દશ પુત્રો હતા,તેમનાથી પ્રાચેતસ પ્રજાપતિ દક્ષ જન્મ્યા,

કે જેમની આ સર્વ પ્રજા થઇ છે,એ દક્ષ પ્રજાપતિ,સર્વ લોકના પિતામહ કહેવાય છે (1-5)

Jan 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-067


પિતૃઓએ,પુત્રને કુળ-વંશની પ્રતિષ્ઠારૂપ ને સર્વ ધર્મમાં ઉત્તમ કહ્યો છે,માટે પુત્રનો ત્યાગ કરવો ન ઘટે.

ધર્મ ને કીર્તિને વધારનાર અને મનુષ્યના મનની પ્રીતિ વધારનાર પુત્રો જન્મ લઈને,ધર્મ-રૂપી-નાવ બની 

પિતૃઓને નરકમાંથી બચાવે છે,તેથી,હે રાજન,પુત્રનો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી.

જેમ,સો કુવાઓ કરતાં એક વાવ ચડિયાતી છે,સો વાવો કરતાં એક યજ્ઞ ચડિયાતો છે,સો યજ્ઞો કરતાં એક પુત્ર ચડિયાતો છે,અને સો પુત્ર કરતાં એક સત્ય ચડિયાતું છે,હજાર અશ્વમેઘ યજ્ઞો ને સત્યને તોલવામાં આવે તો 

સત્ય ચડિયાતું જ સાબિત થયું છે,તો,તમારે,કપટ નહિ કરતા,સત્યનું રક્ષણ કરવું ઘટે છે.

Jan 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-066


જેમ,બેપગાંમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,ચોપગાંમાં ગાય શ્રેષ્ઠ છે,ને વડીલોમાં ગુરુ શ્રેષ્ઠ છે,તેમ સ્પર્શમાં પુત્ર-સ્પર્શ શ્રેષ્ઠ છે.

તો આ સુંદરમૂર્તિ પુત્રને ભેટીને તમે સ્પર્શ સુખ પામો.હે રાજન,ત્રણ વર્ષ પુરાં થયે,મેં તમારા આ કુમારનો જન્મ આપ્યો  છે,તેના જન્મ સમયે અંતરિક્ષ વાણીએ કહ્યું હતું કે-આ સો યજ્ઞો કરશે.

Jan 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-065


 રાજાની આવી વાત સાંભળતા જ શકુંતલા,લજ્જાથી ભોંઠી પડી ગઈ,દુઃખથી તે પથ્થરની જેમ ઉભી રહી,

તીરછી નજરે તે રાજાને જોઈ રહી,ક્રોધથી ઉકળેલી હોવા છતાં,તેણે ક્રોધને છુપાવી રાખ્યો.

થોડીવાર વિચાર કરીને,દુઃખ અને કોપથી યુક્ત એવી તેણે,રાજાને કહ્યું કે-'હે મહારાજ,જાણતા હોવા છતાં,તમે એક સાધારણ મનુષ્યની જેમ 'હું જાણતો નથી' એવું કેમ બોલો છો? સાચું-જૂઠું તો તમારું હૃદય જાણે છે,માટે આત્માને સાક્ષી રાખીને તમે કલ્યાણકારી વચન બોલો.તમે એમ સમજો છો કે 'હું એકલો છું,ને મને જોનાર કોઈ નથી'

પણ,પરમાત્મા,આ સર્વ જોઈ રહ્યા છે ને તેમની સમક્ષ તમે જુઠ્ઠું બોલીને પાપ કરી રહ્યા છો.(24-28)

Jan 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-064

 

અધ્યાય-૭૪-દુષ્યંત-શકુંતલા સંવાદ-ભરતનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II परिज्ञाय तु दुष्यन्ते प्रतियाते शकुन्तलां I गर्भ सुपाव वामोरुः कुमारमतितौजसम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પ્રતિજ્ઞા કરીને દુષ્યંત ગયો,ત્યાર પછી,શકુંતલા,દુષ્યંતના પાછા આવવાની 

રાહ જોતી જ રહી.ને ત્રણ વર્ષે,અગ્નિના જેવી કાંતિવાળા કુમાર (પુત્ર-ભરત)નો જન્મ આપ્યો.

કણ્વ ઋષિએ,તે વૃદ્ધિ પામતા બુદ્ધિમાન બાળકના વિધિપૂર્વક જાતકર્મ આદિ સંસ્કાર કર્યા.

ઉજળા અણિયાળા દાંતોવાળી,સિંહના જેવા કઠોર શરીરવાળો,ચક્રના લક્ષણયુક્ત હાથવાળો,

મોટા માથાવાળો,મહાબળવાન,એ કુમાર આશ્રમમાં ઝટપટ મોટો થવા માંડ્યો (1-5)

Jan 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-063

અધ્યાય-૭૩-દુષ્યંત અને શકુંતલાનો ગાંધર્વવિવાહ 


II दुष्यन्त उवाच II सुव्यक्तं राजपुत्री त्वं यथा कल्याणि भापसे I भार्या मे भव सुश्रोणि ब्रुहि किं करवाणि ते II १ II

દુષ્યંત બોલ્યો-હે કલ્યાણી,તું કહે છે તે મુજબ,તું નક્કી રાજપુત્રી છે,માટે તું મારી પત્ની થા.

તું કહે કે,હું તારું શું પ્રિય કરું?સુવર્ણમાળાઓ,વસ્ત્રો,કંચનકુંડળો અને વિવિધ દેશોમાં પાકેલા 

ઉજ્જવળ મણિઓ,રત્નો,સોનામહોરો-આદિ હું અત્યારે જ તારા માટે લાવી દઉં.હે શોભના,આજથી મારું 

આ સર્વ રાજ્ય તારું જ છે,તું મને ગાંધર્વલગ્નથી વર.કારણકે વિવાહોમાં ગંધર્વ વિવાહ શ્રેષ્ઠ કહેવાયો છે.(1-4)

Jan 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-062

અધ્યાય-૭૨-શકુંતલાની જન્મકથા (ચાલુ)


II कण्व उवाच II एवमुक्तस्त्या शक्रः संदिदेश सदागतिं I प्रातिष्ठत तदा काले मेनका वायुना सह II १ II

કણ્વ બોલ્યા-મેનકાએ આ પ્રમાણે કહ્યું,ત્યારે,ઇન્દ્રે વાયુદેવને આજ્ઞા કરી,એટલે તરતજ મેનકા વાયુને લઈને નીકળી,અને પછી,તે સુંદરી મેનકાએ તપથી ક્ષીણ થયેલા વિશ્વામિત્રને આશ્રમમાં તપ કરતા જોયા.

પછી,તે મેનકાએ ઋષિની પૂજા કરીને,તેમની સમક્ષ ક્રીડા કરવા લાગી.તે વખતે વાયુએ,તેનું ચંદ્રના જેવું વસ્ત્ર 

ઉડાડી દીધું,એટલે વસ્ત્રને પકડવા તે લજ્જાયુક્ત થઈને,હાસ્ય રેલાવતી,ઋષિ સમક્ષ દોડવા લાગી.(1-5)

Jan 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-061

 
અધ્યાય-૭૧-શકુંતલાની જન્મકથા 

II वैशंपायन उवाच II ततोSगच्छन्महाबाहुरेकोमात्यान्विसृज्य तान् I नापश्यस्चाश्रमे तस्मिस्तमृपिं संशितव्रतं II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે મહાબાહુએ,મંત્રીઓને વિદાય આપી,ને પોતે એકલો આશ્રમની અંદર ગયો.

પણ તે આશ્રમમાં તેણે કણ્વ ઋષિને જોયા નહિ,એટલે તે બૂમ મારી બોલ્યો 'કોઈ છે અહીં?'

તેનો શબ્દ સાંભળોને,તાપસીનો વેશ ધારણ કરેલી,સાક્ષાત લક્ષ્મીના જેવી રૂપવતી,એક કન્યા,

તે આશ્રમમાંથી બહાર આવી અને રાજાને જોતાં જ,તેમને આદર આપી બોલી 'હે રાજન ભલે પધાર્યા'

Jan 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-060

 
અધ્યાય-૭૦-કણ્વ-ઋષિના આશ્રમમાં દુષ્યંત 

II वैशंपायन उवाच II ततो मृगसहस्त्राणि हत्वा सबलवाहनःI राज मृगप्रसंगेन वनमन्यद्विवेश ह II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હજારો મૃગોને મારીને,રાજાએ,પોતાના લશ્કર અને વાહનો સાથે,બીજા વનમાં પ્રવેશ કર્યો.

ભૂખ્યો ને તરસ્યો તે વનના છેડા સુધી પહોંચ્યો,તો ત્યાં મહાન શૂન્ય પ્રદેશ આવ્યો.ત્યાંથી પણ આગળ વધીને તે બીજા એક મહાવનમાં પ્રવેશ્યો,કે જે વન,ઉત્તમ આશ્રમોથી યુક્ત,મન તથા નેત્રને આનંદ આપનારું,શીતળ વાયુથી સંયુક્ત,ફુલવાળા વૃક્ષોથી ભરપૂર,હરિયાળા ઘાસથી છવાયેલું,અને પંખીઓ ને ભમરાઓના નાદવાળું હતું (1-6)

Jan 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-059

 
અધ્યાય-૬૮-શકુંતલા-ઉપાખ્યાન 

II जनमेजय उवाच II त्वतः श्रुतमिदं ब्रह्मन् देवदानवरक्षसाम I अन्शावतरणं सम्यग्गन्धर्वाप्सरसां तथा II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દેવો,દાનવો,રાક્ષસો,ગંધર્વો ને અપ્સરાઓના અંશાવતારો,

મેં સારી રીતે સાંભળ્યા,હવે કુરુઓના વંશ વિશે વિસ્તારથી કહો.

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પૌરવોના વંશને વધારનાર 'દુષ્યંત' નામે,ચાર મહાસાગર પર્યંતની પૃથ્વીનો,

પાલનહાર રાજા ને ભોક્તા હતો.ચાર વર્ણથી ભરેલા ને મ્લેચ્છ દેશ સુધીના સંપૂર્ણ પૃથ્વીદેશો પર તેનું રાજ્ય હતું.

Jan 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-058


 હે રાજન,યુધિષ્ટિર-એ ધર્મના અંશરૂપે,ભીમ-એ વાયુદેવના અંશરૂપે,અર્જુન-એ ઇન્દ્રના અંશરૂપે,

અને નકુલ તથા સહદેવ-એ અશ્વિનીકુમારોના અંશથી,આ લોકમાં પેદા થયા હતા.અભિમન્યુ-એ વર્યા નામના

સોમપુત્રના અંશથી અવતર્યો હતા.હે રાજન,તમારા પિતાની આ જન્મકથા કહી.(112-126)

Jan 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-057

 વીર નામનો અસુર-પૉન્દ્રમાત્સ્યક નામે,વૃત્ર-મણિમાન નામે,ક્રોધહંતા-દંડ નામે 

અને ક્રોધવર્ધન-દંડધાર નામે પૃથ્વી પર જન્મીને પ્રખ્યાત થયા હતા.(43-47)

કાલિના આઠ પુત્રો (કાલેયો)પૈકી,પહેલો મહાઅસુર-જયત્સેન નામે,બીજો અપરાજિત નામે,

ત્રીજો-નિષાદરાજ નામે,ચતુર્થ-શ્રેણીમાન નામે,પાંચમો-મહૌજા નામે,છઠ્ઠો-અભીરુ નામે,

સાતમો-સમુદ્રસેન નામે,અને આઠમો-બૃહત નામે ધર્માત્મા રાજા તરીકે જન્મ્યા હતા. (48-56)

Jan 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-056

 
અધ્યાય-૬૭-રાજાઓ-આદિની ઉત્પત્તિ 

II जनमेजय उवाच II देवानां दानवानां च गन्धर्वोरगराक्षसां I सिन्हव्याघ्रमृगाणां च पन्नगानां पतत्रिणाम II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,દેવો,દાનવો,ગંધર્વો,નાગો,રાક્ષસો,સિંહો,વ્યાઘ્રો,મૃગો,સર્પો,પંખીઓ અને 

સર્વ મહાત્મા પ્રાણીઓની ઉત્પત્તિને તથા એ પ્રાણીઓના જન્મકર્મને હું સંપૂર્ણતાથી સાંભળવા ઈચ્છું છું.(1-2)

Jan 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-055

બ્રહ્માજીના બીજા બે પુત્રો,ધાતા અને વિધાતા હતા.કે જે મનુની સાથે રહેતા હતા,અને 

તેમનાં (નામ પ્રમાણેનાં) 'લક્ષણો' સર્વ લોકમાં રહ્યા છે.

તેમને 'લક્ષ્મીદેવી' નામે બહેન હતી,કે જેના,માનસપુત્રો,આકાશમાં ઉડતા ઘોડાઓ હતા.

વરુણની જ્યેષ્ઠ (મોટી) ભાર્યા 'દેવી' શુક્ર (શુક્રાચાર્ય) થી જન્મી હતી.

તેને 'બલ' નામનો એક પુત્ર અને 'સુરા' નામે પુત્રી હતી.