Jun 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-212-(2-સભાપર્વ)

 
૨-સભાપર્વ 

(નોંધ-આદિપર્વના અંતમાં શાડ઼:ર્ગક પક્ષીઓ જ્ઞાનના બળથી અગ્નિથી મુક્ત થયા,એ કહ્યું.હવે એ જ જ્ઞાન ભક્તિના બળ વડે જ પ્રાપ્ત થાય છે-એ સભાપર્વમાં કહેવામાં આવ્યું છે.ભક્તિમાં રુચિ પેદા થાય તે માટે,પાંડવોને ભક્તિના બળથી જ દિવ્ય સભા ને ઐશ્વર્યનો લાભ મળ્યો છે તે કહ્યું છે.વળી,દ્વેષ વડે કરેલ ભક્તિ પણ સાયુજ્ય મુક્તિ આપે છે,તે માટે શિશુપાલની કથા કહેલ છે.

દુર્યોધન જેવા અભક્તોના દોષો કહેલ છે,ને દ્યુતમાં દ્રૌપદીના રક્ષણ કરીને,શ્રીહરિનો ભક્ત પ્રત્યેનો અનોખો પ્રેમ જણાવ્યો છે.

સમર્થ એવા પાંડવો,દુર્યોધન પર કોપ કરતા નથી તે જણાવી ભક્તોની સહનશક્તિ વર્ણવી છે.સભાપર્વની શરૂઆતમાં,

'ઉપકાર કરનાર તરફ અવશ્ય પ્રત્યુપકાર કરવો' તે દર્શાવવા મયદાનવ પ્રત્યુપકાર કરી અદભુત સભા કરી આપે છે-તે કહ્યું છે-અનિલ)

સભાક્રિયા પર્વ

અધ્યાય-૧-સભાસ્થાનનો નિર્ણય 

मंगल श्लोक -नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ શ્રીનારાયણ,નરોત્તમ,નર અને દેવી સરસ્વતીને પ્રણામ કરી 'જય'નું કીર્તન આદરીએ.

Jun 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-211

અધ્યાય-૨૩૪-ઇન્દ્રે આપેલું વરદાન 

 II मन्दपाल उवाच II युष्माकमपवर्गार्थ विज्ञप्तो ज्वलनो मया I अग्निना च तथेत्येवं प्रतिज्ञातं महात्मना II १ II

મંદપાલ બોલ્યો-તમારા રક્ષણ માટે મેં અગ્નિને વિનંતી કરી હતી,અને તેણે તેમ કરવાનું વચન આપ્યું હતું.

અગ્નિનું એ વચન,તમારી માતાની ધર્મજ્ઞતા તેમ જ તમારું તેજ એ જાણીને હું અહીં પહેલાં આવ્યો નહતો.

તમે સંતાપ કરશો નહિ,અગ્નિ પણ તમને ઋષિઓ તરીકે જાણે છે,ને તમે વેદાંતપ્રસિદ્ધ બ્રહ્મને જાણો છો.

પછી,પુત્રો ને પત્નીને લઇ,તે મંદપાલ ઋષિ ત્યાંથી બીજા દેશમાં ચાલ્યા ગયા (1-4)

Jun 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-210

 
અધ્યાય-૨૩૩-શાડ઼:ર્ગકો અને મંદપાલનો સમાગમ 

II वैशंपायन उवाच II मंदपालोSपी कौरव्य चिन्तयामास पुत्रकान I उक्त्वापि च स तिम्माशुं नैव शर्माधिगच्छति II १ II

વૈશંપાયન બોલ્યા-હે કૌરવ્ય,મંદપાલ પણ પોતાના પુત્રોની ચિંતા કરતા હતા,તેમણે અગ્નિને કહેલું તો પણ તેમને શાંતિ રહેતી નહોતી.સંતાપ કરી રહેલા તે પોતાની બીજી પત્ની લપિતાને કહેવા લાગ્યા કે-'હે લપિતા,મારા અશક્ત પુત્રો ઘરમાં કેમ કરીને રહેશે? અગ્નિ વધતો હશે ને પવન ફૂંકાતો હશે ત્યારે મારા પુત્રો તેનાથી છુટકારો પામવાને અસમર્થ જ થશે,તેમની માતા પણ તેમનું કેવી રીતે રક્ષણ કરી શકશે? તે પણ શોકથી વિકળ થઈને,રોતી કકળતી દોડાદોડ કરતી હશે,મારા પુત્રો ને મારી પત્ની,કેવી સ્થિતિમાં હશે? (1-6)

Jun 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-209

 
અધ્યાય-૨૩૨-શાડ઼:ર્ગકોનો ઉગારો 

II जरितारिरुवाच II पुरतः क्रुछ्र्कालस्य धीमान जागर्ति पूरुषः I स क्रुछ्र्कालं संप्राप्यं व्यथां नैवैति कहिचित  II १ II

જરિતારિ બોલ્યો-જે બુદ્ધિમાન મનુષ્ય આપત્તિકાળ આવતાં પહેલાં જ જાગ્રત રહે છે,

તે આપત્તિકાળ આવતાં,કોઈ  રીતે વ્યથા પામતો નથી,પણ જે બુદ્ધિહીન મનુષ્ય આપત્તિકાળને 

ઓળખાતો નથી તે આપત્તિકાળમાં વ્યથા પામે છે.અને મહાન કલ્યાણને મેળવતો નથી.(1-2)

Jun 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-208

 
અધ્યાય-૨૩૧-શાડ઼:ર્ગકોનું ડહાપણ 

II जरितोवाच II अस्माद्विलान्निष्पत्तित्तमासु श्येनो जहार तम् I क्षुद्रं पद्भ्यां गृहीत्वा च यातो नात्र भयं हि वः  II १ II

જરિતા બોલી-'આ દરમાંથી બહાર નીકળેલા તે ક્ષુદ્ર ઉંદરને,બાજ પક્ષી 

અહીંથી પકડીને લઇ જતો મેં જોયો છે,એટલે તમને ત્યાં જવામાં કોઈ ભય નથી'

શાડ઼:ર્ગકો બોલ્યા-અહીં,અંદર બીજા પણ ઉંદરો હશે,એટલે તેનાથી પણ અમને ભય રહે છે.હે માતા,પવન બદલાયો હોવાથી અગ્નિ આ તરફ આવે એમાં સંશય છે પણ ઉંદરો અમને મારી નાખશે તેમાં સંશય નથી.

હે માતા,ન્યાયપૂર્વક તું આકાશમાં ઉડી જા,તું જીવીશ તો તને સુંદર પુત્રો સાંપડશે (4)

Jun 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-207

અધ્યાય-૨૩૦-જરિતાનો વિલાપ 

II वैशंपायन उवाच II ततः प्रज्वलिते वह्नौ सर्द्ङ्गाकास्ते सुदुःखिता: I व्यथिता: परमोद्विग्ना नाधिजग्मु : परायणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,વનમાં અગ્નિ પ્રજ્વલિત થયો,ત્યારે અત્યંત દુઃખ,વ્યથા અને ઉદ્વેગ પામેલા તે શાડ઼:ર્ગક પક્ષીઓ કોઈ સ્થળે આશ્રય પામી શક્યાં નહિ,ત્યારે તેમની માતા જરિતા પણ દુઃખી થઇ વિલાપ કરવા લાગી.

Jun 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-206

 
અધ્યાય-૨૨૯-શાડ઼:ર્ગકો(સારંગો)નું ઉપાખ્યાન 

II जनमेजय उवाच II किमर्थ शार्द्ङ्ग्कानग्निर्न ददाह तथागते I तस्मिन्यये दगामने ब्रहम्न्नेतत् प्रचक्ष्व मे II १ II

જન્મેજય બોલ્યા-તે વનમાં આ રીતે દવ લાગ્યો હતો,ત્યારે અગ્નિએ શાડ઼:ર્ગક (સારંગ) પક્ષીઓને શા માટે બાળ્યાં નહિ?

તે મને કહો.તમે મને અશ્વસેન અને મયદાનવ બાળ્યો નહિ તેનું કારણ કહ્યું પણ આ શાડ઼:ર્ગકો વિશેનું કારણ કહ્યું નથી

તો હે બ્રહ્મન,તે પક્ષીઓની એ આપત્તિમાંથી થયેલી આશ્ચર્યકારક મુક્તિ વિષે કહો (1-3)

Jun 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-205

મયદર્શન પર્વ 

અધ્યાય-૨૨૮-દેવોનો પરાભવ અને મયદાનવનું રક્ષણ 

II वैशंपायन उवाच II तथा शैलनिपातेन भीतिषाः खाण्डवालयाः I दानवा राक्षसा नागास्तरक्ष्युक्षवनौकसः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,પર્વતશિખરના પડવાથી,ભય પામેલા,ખાંડવવાસી દાનવો,રાક્ષસો,નાગો,દીપડાઓ,

રીંછો,હાથીઓ,વાઘો,સિંહો,મૃગો,શરભો,પંખીઓ તેમજ બીજાં પ્રાણીઓ ઉદ્વેગ પામીને નાસવા લાગ્યાં.

વનને બળતું જોઈ અને સામે શ્રીકૃષ્ણને અસ્ત્ર ઉગામેલા જોઈને તેઓ ભયંકર ચીસો પાડવા લાગ્યા.

ત્યારે શ્રીકૃષ્ણે.પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું,કે જેનાથી પીડાઈને ક્ષુદ્ર જાતિનાં પ્રાણીઓ,દાનવો ને નિશાચરો 

સેંકડોની સંખ્યામાં કપાઈ ગયાં ને તત્કાલ અગ્નિમાં પડ્યાં.કાળરૂપ ધારણ કરેલા શ્રીકૃષ્ણ જેમ જેમ ચક્ર ફેંકતા,

ત્યારે તે પિશાચો,નાગો રાક્ષસોને સંહારીને તેમના હાથમાં પાછું આવતું હતું.(1-11)

Jun 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-204

 
અધ્યાય-૨૨૭-ઈંદ્રાદિ દેવો સાથે કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ 

II वैशंपायन उवाच II तस्याय वर्षतो वारि पाण्डवः प्रत्यवारयत I शरवर्षेण बीभत्सुरुत्तमास्त्राणि दर्शयन  II १ II

વૈશંપાયન બોલ્યા-દેવરાજ ઇન્દ્રે કરેલી તે જળવૃષ્ટિને,અર્જુને ઉત્તમ અસ્ત્રો પ્રયોજીને બાણવૃષ્ટિ વડે રોકી દીધી.

તે અર્જુને અનેકાનેક બાણોથી આખા ખાંડવવનને ઢાંકી દીધું,ત્યારે એક પણ પ્રાણી વનની બહાર નીકળી શક્યું નહિ.તક્ષક નાગ તે વખતે તે ખાંડવવનમાં નહોતો,તે કુરુક્ષેત્ર ગયો હતો,તેના પુત્ર અશ્વસેને અગ્નિથી બચવા તીવ્ર પ્રયત્ન કર્યો,પણ તે અર્જુનના બાણોથી વીંધાઈ જતાં,વનની બહાર નીકળી શક્યો નહિ,તેથી તેની માતાએ તેને બચાવવાની ઇચ્છાએ,પ્રથમ તેનું માથું ગળી જઈને પછી તેનું પૂંછડું ગળવા લાગી,ને તે આકાશમાં જવા લાગી.

Jun 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-203

 
અધ્યાય-૨૨૬-ઇન્દ્રનો ક્રોધ 

II वैशंपायन उवाच II तौ रथाभ्यां रथिश्रेष्ठौ दवस्योमयतः स्थितौ I दिक्षु सर्वासु भूतानां चक्राते कदनं महत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે રથીઓમાં શ્રેષ્ઠ એવા તે શીકૃષણ અને અર્જુન રથોમાં બેસીને વનની બંને બાજુએ ઉભા રહ્યા ને સર્વ દિશાઓમાં પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યા.જે જે દિશાઓમાંથી પ્રાણીઓ ભાગતા હતા,ત્યાં ત્યાં તે બંનેના રથો તેમની પાછળ દોડી જતા હતા.તે બંનેના રથો એટલી ઝડપથી દોડતા હતા કે તેમની વચ્ચેનો કોઈ ગાળો લોકો જોઈ શકતા નહોતા.ને બંને રથો જાણે એકરૂપ જ હોય તેમ દેખાતા હતા.(1-3)

Jun 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-202

 
અધ્યાય-૨૨૫-અગ્નિએ અર્જુનને શસ્ત્રો આપ્યાં 

II वैशंपायन उवाच II एवमुक्तः स भगवान धुमकेतुर्हुताशन: I चिन्तयामास वरुणं लोकपालं दिदक्षया  II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુને આમ કહ્યું એટલે,ધૂમકેતુ (અગ્નિ)એ,જળનિવાસી,જલેશ્વર,અને લોકપાલ એવા અદિતિપુત્ર વરુણનાં દર્શન અર્થે ચિંતન કર્યું,ત્યારે તે વરુણે,દર્શન આપ્યાં,ત્યારે અગ્નિએ તેમને પૂજા સત્કાર 

અર્પણ કરીને કહ્યું કે-'સોમરાજાએ તમને જે ધનુષ્ય,સુદર્શન ચક્ર ને શીઘ્રવેગી કપિના ધ્વજવાળો રથ આપ્યા છે 

તે તત્કાળ મને આપો.અર્જુન તે ગાંડીવ ધનુષ્યથી અને વાસુદેવ તે સુદર્શન ચક્રથી મને સહાય કરશે. 

વરુણે અગ્નિને ઉત્તર આપ્યો કે-'ભલે,હું તે આપું છું' (1-5)

Jun 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-201

અધ્યાય-૨૨૪-અર્જુન અને અગ્નિનો સંવાદ 


II वैशंपायन उवाच II स तु नैराश्यमापन्नः सदाग्लानिसमन्वितः I पितामहमुपागच्छत् संकृद्वो हव्यवाहनः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,નિરાશ થયેલો,ને ગ્લાનિમાં રહેલ તે કુદ્ધ અગ્નિ,ફરી પિતામહ(બ્રહ્મા) પાસે ગયો.

ને તેમને પોતાનો સર્વ વૃતાંત કહ્યો,ત્યારે બ્રહ્માએ થોડીકવાર વિચાર કરીને કહ્યું કે-હે,નિષ્પાપ,તું વનને બાળી શકે તેવો ઉપાય મને સુઝ્યો છે,એટલે તું થોડો સમય થોભી જા.ચોક્કસ સમયે તને નર અને નારાયણ એ બંને સહાય કરશે,ત્યારે જ તું તે વનને બાળી શકીશ' ત્યારે તે અગ્નિ (વહનિ)એ કહ્યું-'ભલે તેમ હો' (1-4)

Jun 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-200

 
અધ્યાય-૨૨૩-અગ્નિનો પરાભવ 

II वैशंपायन उवाच II सोSब्रवीदर्जुनं चैव वासुदेवं च सात्वतम I लोकप्रवीरौ विष्ठंतौ खाण्डवस्य समीपतः II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે તે બ્રાહ્મણે,અર્જુન અને સાત્વત(યદુ) વંશી શ્રીકૃષ્ણને કે જેઓ સર્વલોકમાં શ્રેષ્ઠ એવા 

વીરો હતા,ને જેઓ (તે વખતે) ખાંડવ વનની સમીપમાં આવીને રહયા હતા,તેમને કહ્યું કે-

'હું બહુ ખાનારો બ્રાહ્મણ છું ને મારે અપરિમિત ભોજન જોઈએ છે.હું તમારા બંને પાસે ભિક્ષા માંગુ છું,

તો તમે મને એક વાર તૃપ્તિ થાય તેટલું અન્ન આપો' ત્યારે શ્રીકૃષ્ણ અને અર્જુને કહ્યું કે-'તમે કહો કે તમે કયા 

અન્નથી સંતોષ પામશો? તો અમે તે અન્ન માટે પ્રયત્ન કરીએ' ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે-(1-4)

Jun 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-199

 
ખાંડવદાહ પર્વ 

અધ્યાય-૨૨૨-અગ્નિનું બ્રાહ્મણ-રૂપે યમુના તીરે આગમન 

II वैशंपायन उवाच II इन्द्रप्रस्थे वसन्तस्ते जघ्नुरन्यान्नराधिपान I त्रासनाद धृतराष्ट्रस्य राज्ञः शांतनवस्य च II १ II

  વૈશંપાયન બોલ્યા-ઈંદ્રપ્રસ્થમાં વસેલા તે પાંડવોએ,ભીષ્મની ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,શત્રુ રાજાઓનો વિનાશ કર્યો.જેમ,આત્મા,દેહને આશ્રયે સુખથી વિરાજે છે તેમ,સર્વ લોકો યુધિષ્ઠિરના આશ્રયે સુખમાં રહેતા હતા.

તે નીતિમાન યુધિષ્ઠિર,ધર્મ,અર્થ અને કામ એ ત્રણેને પોતાના પ્રાણસમાન બંધુઓની જેમ માની તેમને યોગ્ય રીતે

સેવતા હતા.સમાન રીતે વિભક્ત થયેલા તે ધર્મ,અર્થ અને કામ,સ્વયં જાણે પૃથ્વી પર દેહ ધરીને આવ્યા હતા 

અને રાજા યુધિષ્ઠિર,જાણે તેમનામાં (તે ત્રણ પુરુષાર્થમાં) ના.ચોથા પુરુષાર્થ 'મોક્ષ'રૂપે શોભી રહ્યા હતા.(1-4)

Jun 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-198

 
હરણાહરણ પર્વ 

અધ્યાય-૨૨૧-સુભદ્રા તથા દ્રૌપદીને પુત્રપ્રાપ્તિ 

II वैशंपायन उवाच II उक्तवंतो यथावीर्यमसकृत्सर्ववृष्णय : I ततोSब्रविद्वासुदेवो वाक्यं धर्मार्थसंयुतम् II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે,સર્વ વૃષ્ણીઓ પોતાના બળ પ્રમાણે બોલી રહ્યા પછી,વાસુદેવ ધર્મયુક્ત વચનો 

કહેવા લાગ્યા-'તે ગુડાકેશ અર્જુને આપણા કુળનું અપમાન નથી કર્યું,પણ નિઃસંશય સન્માન જ કર્યું છે.

તે પૃથાપુત્ર,આપણને કદી ધનલોભી (કન્યાના બદલામાં ધન લે તેવા) માનતો નથી,ને,સ્વયંવરમાં 

આ કન્યા પોતાને જ મળે-એવું નક્કી નહિ હોવાથી તે સ્વયંવર પસંદ કરતો નથી.કન્યાનું પશુની જેમ 

દાન અપાય તે તો કોને માન્ય હોય? પૃથ્વીમાં કયો મનુષ્ય પોતાની કન્યાનો વિક્રય કરે?