કેટલાએક ના મતમાં-તે મરણ પામ્યા કરે છે,કેટલાએકના મતમાં-તે મરી ગયેલી જ છે,કેટલાએકની દ્રષ્ટિમાં તે અર્ધી કપાયેલી છે,કેટલાએકના મતમાં તે સઘળી કપાઈ ગયેલી છે,
ગમે તેમ કહો,પણ,સત્યમાં તો- આ થઇ ચૂકેલી કે થયા કરતી અવિદ્યા-રૂપી-લતા
-એ -સદા બ્રહ્મમાં જ રહેલી છે,અને ગંધર્વનગર-આદિ-પદાર્થોની જેમ મિથ્યા જ છે.
અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા ખીલ્યા કરતી અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા સુકાઈ ગયેલી,આ અવિદ્યા-રૂપી-ઝેરી-મોટી-લતાને-જે ખુબ જ બાઝી (ચોંટી) રહે છે -તેને તે મોહમાં નાખી દે છે-પણ, જો સૂક્ષ્મ દૃષ્ટિથી તે અવિદ્યા-રૂપી-લતાનો વિચાર કરવામાં આવે તો-તે નાશ પામે છે.એટલે,વિચાર કરનારના (પૂર્ણ થયેલાના મનમાં) આ લતા બાધિત થઇ જાય છે.