This book is for Archive and online reading only-not downloadable
Mar 1, 2017
Ashtavakra Gita-Lectures of Akhandanadji (audio)
Part-1 (Click To turn On And OFF-otherwise it will auto-play to next)
Part-2
Part-2
Feb 14, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-752
વસિષ્ઠ કહે છે કે-જેમ લાકડું અને કરવતનો સંયોગ થવાથી,લાકડાના બે ભાગ થઇ જાય છે,અને તે જ લાકડાના બે ભાગને ઘસવાથી તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે,તેમ,પ્રાણ અને અપાનનો પરસ્પર સંઘર્ષ થવાથી,અગ્નિ (જઠરાગ્નિ) ઉત્પન્ન થાય છે. કે જે-(નીચેના અને ઉપરના ભાગમાં સંબંધ રાખનાર,પરસ્પર મળેલા મુખવાળો,
આમાશય અને પક્વાશય -એવા નામથી કહેવામાં આવતા સ્થૂળ માંસ-પિંડના) જઠરના ભાગમાં હોય છે.
Feb 13, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-751
દીન-પુરુષો (કુંડલિની-યોગના) પુરુષાર્થથી (યોગીઓની જેમ)
આકાશ-ગમન વગેરે જેવી ઉર્ધ્વ-ગતિને પામી,ઇન્દ્ર-પદને પહોંચે છે.
બીજી નાડીઓમાં નહિ જવા દેતાં,ફક્ત સુષુમણામાં જ રેચક પ્રાણાયામ વડે,પ્રાણનો પ્રવાહ ચાલુ રાખી,કુંડલિની શક્તિને જયારે મસ્તકની અને કપાળની સંધિ-રૂપ છિદ્રની અંદરની (મૂર્દ્ધ) જ્યોતિમાં,મૂહુર્ત-પર્યંત (સંયમ-પૂર્વક) સ્થિર રાખવામાં આવે-તો આકાશમાં ફરતા સિદ્ધ-પુરુષોનાં દર્શન થાય છે.
Feb 12, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-750
તેમ,શુદ્ધ અને પુણ્ય-કર્મ કરવાથી,સત્સંગ અને સેવાથી ચિત્ત નિર્મળ થઇ જાય છે.
અને જેમ પૂર્ણ-ચંદ્રનો ઉદય થવાથી,જગતમાં પ્રકાશ વધે છે,
તેમ,ચિત્ત શુદ્ધ થતાં શરીરમાં આનંદ વધવા માંડે છે,કે જેથી પ્રાણવાયુઓ પોતાના ક્રમ પ્રમાણે જ શરીરમાં સંચાર કરે છે અને અન્નને બરાબર રસ-રૂપ કરી પચાવી
દે છે,જેથી વ્યાધિ નાશ પામે છે.આ પ્રમાણે આધિ-વ્યાધિ ના નાશનો અને ઉત્પત્તિનો ક્રમ છે.
Feb 11, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-749
ભૂખ-તરસ અને સ્ત્રી-પુત્ર-આદિની ઈચ્છા-વગેરેથી થયેલો વ્યાધિ સામાન્ય ગણાય છે,
અને જન્મ-આદિ વિકાર આપનાર (વાસનામય) વ્યાધિ દૃઢતર કહેવાય છે.
અન્નપાન અને સ્ત્રી-પુત્ર આદિ ઇચ્છિત વસ્તુ મળી જવાથી વ્યવહારિક સામાન્ય વ્યાધિ નાશ પામે છે.અને આધિ નાશ થઇ જવાથી મનથી થયેલા રોગો પણ નાશ પામે છે.
Feb 10, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-748
સામાન્ય નાડીમાં કફ-પિત્ત-આદિ દોષ વધી જવાથી તેમાં અન્ન-રસ પહોચાડનારી,
પ્રાણ-શક્તિનો વ્યાપાર બંધ પડી જાય છે-અને સામાન્ય રોગો થાય છે,
અને મુખ્ય નાડીઓમાં જો વ્યાપાર બંધ પડી જાય તો મોટા રોગો થાય છે.
રામ કહે છે કે-હે મહારાજ,શરીરમાં આધિઓ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થાય છે?
અને તેનો નાશ કેવી રીતે થાય છે? તે આપ મને બરોબર રીતે કહો.
Feb 9, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-747
એ પંચક વડે અનુભવમાં આવતાં સંસાર-વૃક્ષો અવિવેકને લીધે પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન થયેથી,કાળે કરીને પાછાં તેમાં જ લીન થઇ જાય છે.
અજ્ઞાનને લીધે તે પોતાની મેળે જ નાનાપણાને પ્રાપ્ત થઈને (સંસાર) ઘણા કાળ સુધી સ્ફૂર્યા કરે છે
પણ, જો વિવેક દ્રષ્ટિથી જોવામાં આવે તો સમુદ્રમાં તરંગોની જેમ આત્મામાં જ બધું લીન થઇ જાય છે.
Feb 8, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-746
શુભ (જાગેલી) વાસના-વાળું લિંગશરીર, દેવ-મનુષ્ય-આદિ યોનિનું કારણ છે,
જેથી એમ નિશ્ચય થાય છે કે-સર્વ ધર્મોના વિરુદ્ધ-પણામાં વાસના જ એક "હેતુ-રૂપ" છે.
વળી જે ઠેકાણે હેતુ-પણું માનવાથી કંઈ ફળ દેખાતું હોય,ત્યાં તેની (ફળની) કલ્પના ઘટે છે.
Feb 7, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-745
પાંચ પ્રકારે (પ્રાણ-મન-બુદ્ધિ-જ્ઞાનેન્દ્રિય-કર્મેન્દ્રિય) કલ્પાયેલા
લિંગ શરીરમાં પ્રતિબિંબ પડે છે.અને જેમ એક દીવામાંથી સો દીવા થઇ શકે છે-
તેમ,માયાથી, અધ્યાસ વડે,જન્મ-આદિ વિકાર (દ્વૈતભાવ) ને પામીને
તે (ચૈતન્ય) અનેક જીવ-રૂપ બની જાય છે.એટલે વસ્તુતઃ ચૈતન્ય-સ્વ-રૂપનો જ એ સઘળો વિવર્ત છે.
Feb 4, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-743
વળી,એ સિધ્ધિઓ માટે મણિ,મંત્ર,તપ,ઔષધ-ઇત્યાદિ ક્રિયાના ક્રમ પણ અનેક જોવામાં આવે છે,પરંતુ તેનું વર્ણન પણ ઉપર કહ્યા મુજબ અહી ચાલતા પ્રસંગમાં વિઘ્નરૂપ છે.
હે રામચંદ્રજી,શૈલ અને મેરુ પર્વત આદિ સિદ્ધ દેશોમાં નિવાસ કરવાથી પણ સિદ્ધિ મળે છે,પણ તેનું વર્ણન કરવું એ પણ વિઘ્ન-રૂપ જ છે.માટે અહીં,શિખીધ્વજરાજાની કથાના ચાલતા પ્રસંગમાં સિદ્ધિને આપનાર પ્રાણ-આદિ પવન (પ્રાણાયામ)ના અભ્યાસની ક્રિયા હું કહું છું તે તમે સાંભળો.
Feb 3, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-742
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ પ્રમાણે જુદોજુદો મત ધરાવતા એ બંને રાજા-રાણીનો અનેક પ્રકારની રાજલીલામાં ઘણો સમય ચાલ્યો ગયો.સદા નિષ્કામ અને તૃપ્ત રહેનારી,એ ચૂડાલા ને કોઈ એક દિવસે દેવોની જેમ આકાશગમન કરવાની ઈચ્છા થઇ.તે સિદ્ધિ મેળવવા માટે એ સર્વ ભોગોનો ત્યાગ કરીને નિર્જન દેશમાં આવી.ત્યાં એકાંતમાં એકલાં જ, શરીરને દ્રઢ રાખીને (પદ્માસન લગાવી) જેની (જે પ્રાણની) ગતિ ઉંચે રહે છે-એવા પ્રાણાયામનો લાંબા કાળ સુધી અભ્યાસ કર્યો.
Feb 2, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-741
અધિષ્ઠાન-રૂપે હું સત્ય છું અને અધ્યસ્ત-રૂપે અસત્ય છું.અધિષ્ઠાન-રૂપે હું સર્વ-રૂપ છું
અને અધ્યસ્ત-રૂપે હું કંઈ પણ નથી.આવા જ્ઞાનને લીધે હું શોભા-વાળી છું.
હું સુખની કે ફળની પ્રાર્થના કરતી નથી અને દૈવ-યોગે આવી પડતી હાનિથી ડરતી નથી.બીજી કોઈ સ્થિતિની ઈચ્છા નહિ રાખતા,જે સ્થિતિ અનાયાસે આવી મળે તેમાં જ હું સંતોષ માનું છું.તેથી જ શોભા-યુક્ત છું.થોડાક રાગ-દ્વેષ-વાળી બુદ્ધિ-રૂપ અને શાસ્ત્ર-દ્રષ્ટિ-રૂપ સખીઓ સાથે હું રમું છું.તેથી જ શોભાવાળી છું.
Feb 1, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-740
(શિખીધ્વજ કહે છે) હે સુંદરી,તારું શરીર સુંદર,શાંત અને રમણીય થવાથી,તું ચંદ્રમાને પણ શરમાવીને કોઈ અદ્ભુત શોભાને પામી છે.તારું ચિત્ત ભોગોને વિષે દીન નહિ થઇ જતું,શમાદિક ગુણવાળું,વિવેકથી ભરેલું,ગંભીર અને સ્થિર જોવામાં આવે છે.ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી,આ આખા જગતના રસ-રૂપ પરમતત્વને પ્રાપ્ત થયેલું તારું મન,પૃથ્વીના જેવું ચંચળ અને શાંત દેખું છે.તારા ચિત્તને કોઈ પણ વૈભવની કે આનંદકારક વસ્તુની ઉપમા આપી શકાતી નથી.
Jan 31, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-739
\બ્રહ્માથી માંડીને તરણા સુધી પ્રાણીઓના કર્મોના સમૂહો,કર્મોના ફળના સમૂહો,કર્મોના સાધનોના વ્યાપારો ને વૃથા ચેષ્ટાઓ પણ બ્રહ્મ જ છે,બીજું કંઈ નથી.જેમ બાળકે બનાવેલી માટીની સેના-એ સેના માત્ર જ છે,
તેમ,સુર-અસુર-દ્રષ્ટા-દૃશ્ય-આદિ સઘળા વિશેષો-વાળું આ જગત પણ બ્રહ્મ જ છે,માટે તે કૃત્રિમ નથી.
"આ માત્ર એકત્વ છે,આ દ્વિત્વ છે,આ હું છું અને આ હું નથી" ઇત્યાદિ પ્રકારનો મોહ શો છે? તે શી રીતનો છે? કોને થયો છે?શાથી થયો છે? અને ક્યાં થયો છે?
Jan 30, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-738
શુદ્ધ જ્ઞાન-રૂપ છે,મંગલ-રૂપ છે,સત્તા-માત્ર છે,અને પોતાની સત્તાથી તે કદી ભ્રષ્ટ થતું નથી.
જો મૂળ અવિદ્યા એક વખત પણ દુર થઇ,તો તે મહા ચૈતન્ય પોતાના સ્વ-રૂપમાં પ્રકાશે તો-તેને ઢાંકવાની કોઈનામાં શક્તિ નથી.તે સર્વદા અખંડ ઉદય-વાળું છે અને બ્રહ્મ-પરમાત્મા-આદિ નામોથી ઓળખાય છે.
Jan 29, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-737
"હું શરીર સંબંધી વ્યાપારો કરતાં કે નહિ કરતાં પણ,વૃદ્ધિ પામેલી શુદ્ધ બુદ્ધિથી,પ્રથમ પોતાના આત્માનું અવલોકન કરું - કે-
હું પોતે કોણ છું?આ સંસાર-રૂપી ભ્રમ કોને પ્રાપ્ત થયો છે?શા કારણથી તે ભ્રમ ઉઠયો છે?
હું પોતે કોણ છું?આ સંસાર-રૂપી ભ્રમ કોને પ્રાપ્ત થયો છે?શા કારણથી તે ભ્રમ ઉઠયો છે?
અને તે (ભ્રમ) ક્યાં ઉઠયો છે? દેહ તો જડ તથા મૂઢ છે માટે હું દેહ તો નથી જ-એ નિશ્ચય છે."
Jan 28, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-736
મંત્રીઓએ સોરઠના રાજાની પાસે તેની ચૂડાલા નામની કન્યાનું માગું કરતાં,
સોરઠના રાજાએ તે મંજુર કર્યું.અને શિખીધ્વજ રાજાએ તેની સાથે લગ્ન કર્યું.સર્વદા સાથે રહેવાને લીધે અને પરસ્પરની ચેષ્ટાઓ ઉપરના પ્રેમને લીધે,તેઓ પરસ્પરની પાસેથી શીખીને સઘળી કળાઓમાં પ્રવીણ થયાં.ચૂડાલા શિખીધ્વજના મુખેથી સઘળાં શાસ્ત્રો અને ચિત્ર-સંગીત આદિ કળાઓનો અભ્યાસ કરીને,સઘળા વિષયોમાં પંડિતા થઇ.શિખીધ્વજ પણ ચૂડાલાના પાસેથી નૃત્ય-વાદ્ય-આદિ કળાઓ શીખી,તે કળાઓમાં મહાપ્રવીણ થયો.પરસ્પરને પ્યારાં,જેમ પુષ્પ અને સુગંધ એક બીજાથી અભિન્ન જેવાં છે,તેમ,પરસ્પરથી અભિન્ન થયેલાંએ રાજા-રાણી જાણે પૃથ્વી પર આવીને રહેલાં શિવ-પાર્વતી હોય એવાં જણાતાં હતાં.
સોરઠના રાજાએ તે મંજુર કર્યું.અને શિખીધ્વજ રાજાએ તેની સાથે લગ્ન કર્યું.સર્વદા સાથે રહેવાને લીધે અને પરસ્પરની ચેષ્ટાઓ ઉપરના પ્રેમને લીધે,તેઓ પરસ્પરની પાસેથી શીખીને સઘળી કળાઓમાં પ્રવીણ થયાં.ચૂડાલા શિખીધ્વજના મુખેથી સઘળાં શાસ્ત્રો અને ચિત્ર-સંગીત આદિ કળાઓનો અભ્યાસ કરીને,સઘળા વિષયોમાં પંડિતા થઇ.શિખીધ્વજ પણ ચૂડાલાના પાસેથી નૃત્ય-વાદ્ય-આદિ કળાઓ શીખી,તે કળાઓમાં મહાપ્રવીણ થયો.પરસ્પરને પ્યારાં,જેમ પુષ્પ અને સુગંધ એક બીજાથી અભિન્ન જેવાં છે,તેમ,પરસ્પરથી અભિન્ન થયેલાંએ રાજા-રાણી જાણે પૃથ્વી પર આવીને રહેલાં શિવ-પાર્વતી હોય એવાં જણાતાં હતાં.
Jan 27, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-735
ગંગાજીને પૃથ્વી પર ઉતારવા માટે તપ કરવાનો નિશ્ચય કરીને નિર્જન વનમાં ગયો.
ત્યાં હજારો વર્ષોની તપશ્ચર્યાથી તેણે વારંવાર બ્રહ્માનું,શંકરનું અને જહનુમુનિનું આરાધન કરીને
ગંગાજીને સ્વર્ગમાંથી ઉતારીને પૃથ્વી પર વહેતાં કર્યાં.ત્યારથી માંડીને,જગતના પતિ સદાશિવના મસ્તક પર વિરાજનારાં-એવાં ગંગાજી આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર વહે છે.
Subscribe to:
Posts (Atom)