Dec 29, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૨

તુકારામ મહારાજ ઈશ્વરના અનન્ય ભક્ત હોવા છતાં,તેમના જીવનમાં ઘણું દુઃખ આવ્યું હતું,
એક વખત ગામના લોકોએ તેમને ગધેડા પર બેસાડીને ફેરવ્યા,છતાં તુકારામ મહારાજ સ્વસ્થ રહ્યા.લોકો તાળીઓ પાડે ને ખુશ થાય ,તુકારામ તેમને તાળીઓ પાડતાં જોઈને ખુશ થાય.સંતનું આ લક્ષણ છે,એમને પોતાનો કદી વિચાર આવતો જ નથી.સાધુની સાધુતાને કોઈ સીમા નથી,જયારે દુષ્ટોની દુષ્ટતા કોઈ વાર હદ વટાવી જાય છે.

Dec 28, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૧

શ્રીરામ,વર્ષા-ઋતુમાં આમ આકાશને જુએ છે,પૃથ્વીને,વાદળાંને પહાડને જુએ છે,ને સીતાજીની યાદ અને વિરહને સમાવવાનો પ્રયત્ન કરે છે,પણ તેમની યાદ વધુને વધુ ગાઢ થતી જાય છે.શ્રીરામ લક્ષ્મણને કહે છે કે-હે,લક્ષ્મણ વર્ષા-ઋતુ વીતી ગઈ પણ હજુ સુધી,સીતાની કંઈ ભાળ લાગી નહિ,રાજા થયો ને સાહ્યબી મળી,એટલે સુગ્રીવ, પણ મને ભૂલી ગયો.અને આમ વિચારતાં એમને એટલો બધો ખેદ થઇ ગયો કે-એમનાથી બોલાઈ ગયું કે-શું એ પણ મોત માગે છે કે શું?

Dec 23, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૦

રામજી પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ કરે છે.ચોમાસાના દિવસો છે.
એક શિલા પર શ્રીરામ ને લક્ષ્મણ બેઠા છે. આવી રીતે ઘણીવાર તેઓ બેસે છે,અને ત્યારે,લક્ષ્મણ મોટાભાઈને ધર્મનીતિના પ્રશ્નો પૂછે છે.શ્રીરામ તેના જવાબો આપે છે.
અને જ્ઞાન,વૈરાગ્ય-ભક્તિની અનેક કથાઓ કહી,લક્ષ્મણને આનંદ આપે છે.

Dec 22, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-016


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૯

શ્રીરામની કૃપાથી ભાઈ-ભાઈનાં વેરઝેર આમ મટી ગયાં. મહાત્માઓ કહે છે કે-જિંદગીમાં કદી વેર-ઝેરને પોષશો નહિ,વેર-ઝેર ને વાસના રાખીને મરે તેનું મરણ બગડે છે.મરણ તો સૌના લલાટે લખાયેલું જ છે,પણ સાદું,સંયમી જીવન જીવીને તે મરણને સુધારવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે.માટે જીવનમાંથી વેર-ભાવનાને છોડવી જોઈએ.