Feb 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૧

ત્યારે વિભીષણની આગળ “વિજયરથ” નું વર્ણન કરતાં શ્રીરામ કહે છે કે-
“શૌર્ય” અને “ધૈર્ય” એ આ વિજયરથનાં “બે પૈડાં” છે,જેમ,એક પૈડાથી રથ ના ચાલે,
તેમ,એકલું શૌર્ય પણ ના ચાલે,સાથે સાથે ધૈર્ય પણ જોઈએ.અને તે બંને સાથો-સાથ ચાલવાં જોઈએ.“સત્ય અને શીલ”-એ વિજયરથની “ધજા-પતાકા” છે,
“બળ,વિવેક,સંયમ અને પરોપકાર”-એ ચાર એના “ઘોડા” છે,
કે જે-“ક્ષમા,દયા,અને સમતા” ની “લગામ” થી રથમાં જોતરેલા છે.

Feb 16, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૦

પછી રામે પ્રસન્ન થઇ સુલોચનાને કહ્યું કે-કહો તો તમારા પતિને સજીવન કરું,ને હજારો વર્ષનું આયુષ્ય આપું.રામની આવી વાત સાંભળી સુલોચનાને ખાતરી થઇ ગઈ કે-લોકો શ્રીરામનાં વખાણ કરે છે,તે સાચાં જ છે.શ્રી રામ એ સામાન્ય માનવી નહિ,પરંતુ અવતારી પુરુષ છે,ખુદ પરમાત્મા જ છે.તેણે કહ્યું કે-ના, મારા પતિ તમારા ચરણમાં સદગતિને પામ્યા છે,તેમને જીવતા થઇ,ફરીથી આનાથી વધારે સારું મૃત્યુ કેમ કરીને મળવાનું?આપનાં દર્શન એ જ મારે માટે મોટું વરદાન છે,મારે બીજું કશું જોઈતું નથી,આપનાં દર્શનથી મારું પણ મૃત્યુ મંગલમય થશે.અને તે પછી સુલોચના પતિનું મસ્તક ખોળામાં લઇને સતી થઇ.

Feb 15, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૯

ઇન્દ્રજીતના મરણ સંબંધી એક બીજી પ્રચલિત કથા એવી છે કે-લક્ષ્મણજીએ જયારે ઇન્દ્રજીતનો વધ કર્યો ત્યારે તેનું માથું રામજીની પાસે જઈ પડ્યું ને તેનો એક હાથ એના મહેલમાં જઈને પડ્યો.ઇન્દ્રજીતની પત્ની સુલોચના સાધ્વી-સ્ત્રી હતી,તે શેષ-નાગની કન્યા હતી.અને પૂર્ણ સતી-ધર્મ પાળતી હતી.મહેલમાં જયારે સુલોચનાની સામે પતિનો કપાયેલો હાથ આવીને પડ્યો,ત્યારે પતિનો હાથ ઓળખતાં જ સતીને સત્ ચડ્યું,તેણે પતિના કપાયેલા હાથ આગળ કાગળ અને કલમ મૂકી પ્રાર્થના કરી કે-આપનું મરણ શાથી થયું ને આપનું મસ્તક ક્યાં છે તે કહો.!!કપાયેલા હાથે કલમ પકડીને લખ્યું કે-મને લક્ષ્મણે માર્યો છે ને મારું મસ્તક શ્રીરામ પાસે છે.

Feb 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૮

માયામય રથમાં બેસીને ઇન્દ્રજીત રણે ચડ્યો.આ માયામય રથ એવો હતો કે-તેને કોઈ દેખી 
શકે નહિ,પણ તે સર્વને દેખી શકે.આકાશમાં અદૃશ્ય રહીને શ્રીરામની સેના પર મારો ચલાવ્યો.
વાનરો ભયભીત થઇ ગયા,સુગ્રીવ,અંગદ,હનુમાન,નલ,નીલ-વગેરે સર્વ યોદ્ધાઓ પણ ઘાયલ થયા.ત્યારે ઇન્દ્રજીત પ્રગટ થયો,તેને જોતાં જ જાંબવાન તેની સામે ધસ્યો.
ઇન્દ્ર્જીતે તેની સામે ત્રિશુલ ફેંક્યું,તે ત્રિશુલને આવતું જ પકડીને,તે જ ત્રિશુલ તેણે 
ઇન્દ્ર્જીતની જ છાતીમાં માર્યું.ઇન્દ્રજીત મૂર્છિત થઇને પડ્યો, પણ તે મર્યો નહિ.

Feb 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૭

તુલસીદાસજી કહે છે કે-અહંકાર –એ કુંભકર્ણ છે.તે ઊંઘતો પડ્યો હતો,અડધી સેના 
ખલાસ થઇ ગઈ,ત્યારે રાવણ તેને જગાડે છે.એનો અર્થ એ કે-અડધું જોર ખલાસ થઇ 
જાય ત્યારે,અહંકારી જાગે છે.કુંભકર્ણ એટલે ઘડા જેવા કાન-વાળો.
અહંકારી મનુષ્યના કાન ઘડા જેવા,એટલે કે,ઘડા જેવા મોટા કાન સદા ખડા,
રાખીને પોતાની પ્રશંસા સાંભળવા માટે ફરે છે.