Feb 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૨

પોતે ખાલી બોલે છે ને કશું કરતો નથી,એવી-રામની વાત સાંભળી રાવણે તરત જ બાણોનો મારો ચલાવ્યો.રાવણને જોઈને શ્રીરામના ભાથામાં તેમના બાણો,જાણે ક્યારનાં યે ઊંચાં-નીચાં થઇ રહ્યાં હતાં,પણ ધૈર્ય-શીલ શ્રીરામ,પોતે ધીરજ ધરીને જાણે, તેમને પણ ધીરજ રાખવાનું કહેતા હતા,પરંતુ,હવે જ્યાં રાવણનાં બાણ છૂટ્યા,એટલે શ્રીરામે પણ પોતાનાં બાણો સામે છોડીને તે રાવણના બાણોનો કચ્ચરઘાણ કરી દીધો.

Feb 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૧

ત્યારે વિભીષણની આગળ “વિજયરથ” નું વર્ણન કરતાં શ્રીરામ કહે છે કે-
“શૌર્ય” અને “ધૈર્ય” એ આ વિજયરથનાં “બે પૈડાં” છે,જેમ,એક પૈડાથી રથ ના ચાલે,
તેમ,એકલું શૌર્ય પણ ના ચાલે,સાથે સાથે ધૈર્ય પણ જોઈએ.અને તે બંને સાથો-સાથ ચાલવાં જોઈએ.“સત્ય અને શીલ”-એ વિજયરથની “ધજા-પતાકા” છે,
“બળ,વિવેક,સંયમ અને પરોપકાર”-એ ચાર એના “ઘોડા” છે,
કે જે-“ક્ષમા,દયા,અને સમતા” ની “લગામ” થી રથમાં જોતરેલા છે.

Feb 16, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૦

પછી રામે પ્રસન્ન થઇ સુલોચનાને કહ્યું કે-કહો તો તમારા પતિને સજીવન કરું,ને હજારો વર્ષનું આયુષ્ય આપું.રામની આવી વાત સાંભળી સુલોચનાને ખાતરી થઇ ગઈ કે-લોકો શ્રીરામનાં વખાણ કરે છે,તે સાચાં જ છે.શ્રી રામ એ સામાન્ય માનવી નહિ,પરંતુ અવતારી પુરુષ છે,ખુદ પરમાત્મા જ છે.તેણે કહ્યું કે-ના, મારા પતિ તમારા ચરણમાં સદગતિને પામ્યા છે,તેમને જીવતા થઇ,ફરીથી આનાથી વધારે સારું મૃત્યુ કેમ કરીને મળવાનું?આપનાં દર્શન એ જ મારે માટે મોટું વરદાન છે,મારે બીજું કશું જોઈતું નથી,આપનાં દર્શનથી મારું પણ મૃત્યુ મંગલમય થશે.અને તે પછી સુલોચના પતિનું મસ્તક ખોળામાં લઇને સતી થઇ.

Feb 15, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૯

ઇન્દ્રજીતના મરણ સંબંધી એક બીજી પ્રચલિત કથા એવી છે કે-લક્ષ્મણજીએ જયારે ઇન્દ્રજીતનો વધ કર્યો ત્યારે તેનું માથું રામજીની પાસે જઈ પડ્યું ને તેનો એક હાથ એના મહેલમાં જઈને પડ્યો.ઇન્દ્રજીતની પત્ની સુલોચના સાધ્વી-સ્ત્રી હતી,તે શેષ-નાગની કન્યા હતી.અને પૂર્ણ સતી-ધર્મ પાળતી હતી.મહેલમાં જયારે સુલોચનાની સામે પતિનો કપાયેલો હાથ આવીને પડ્યો,ત્યારે પતિનો હાથ ઓળખતાં જ સતીને સત્ ચડ્યું,તેણે પતિના કપાયેલા હાથ આગળ કાગળ અને કલમ મૂકી પ્રાર્થના કરી કે-આપનું મરણ શાથી થયું ને આપનું મસ્તક ક્યાં છે તે કહો.!!કપાયેલા હાથે કલમ પકડીને લખ્યું કે-મને લક્ષ્મણે માર્યો છે ને મારું મસ્તક શ્રીરામ પાસે છે.

Feb 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૮

માયામય રથમાં બેસીને ઇન્દ્રજીત રણે ચડ્યો.આ માયામય રથ એવો હતો કે-તેને કોઈ દેખી 
શકે નહિ,પણ તે સર્વને દેખી શકે.આકાશમાં અદૃશ્ય રહીને શ્રીરામની સેના પર મારો ચલાવ્યો.
વાનરો ભયભીત થઇ ગયા,સુગ્રીવ,અંગદ,હનુમાન,નલ,નીલ-વગેરે સર્વ યોદ્ધાઓ પણ ઘાયલ થયા.ત્યારે ઇન્દ્રજીત પ્રગટ થયો,તેને જોતાં જ જાંબવાન તેની સામે ધસ્યો.
ઇન્દ્ર્જીતે તેની સામે ત્રિશુલ ફેંક્યું,તે ત્રિશુલને આવતું જ પકડીને,તે જ ત્રિશુલ તેણે 
ઇન્દ્ર્જીતની જ છાતીમાં માર્યું.ઇન્દ્રજીત મૂર્છિત થઇને પડ્યો, પણ તે મર્યો નહિ.