અધ્યાય-૧૭-અમૃત માટે સમુદ્ર-મંથનનો નિશ્ચય
II सौतिरुवाच II एतास्मिन्नेव काले तु भगिन्यौ ते तपोधन I अपश्यतां समायाते उच्चैःश्रवसमंतिकात् II १ II
સૂતજી બોલ્યા-તે વખતે,બંને બહેનોએ (કદ્રૂ અને વિનતાએ) પોતાની પાસે ઉચ્ચૈશ્રવા નામના ઘોડાને પોતાની પાસે જોયો.કે જે ઘોડો,અમૃતને માટે સમુદ્રમંથન કરતી વખતે ઉપજ્યો (નીકળ્યો) હતો.આ ઘોડો,અશ્વોમાં રત્નરૂપ હતો,
અનુપમ,બળવાળો,શ્રેષ્ઠ,અજર અને દિવ્ય એવા આ ઘોડાને સર્વ દેવગણો પણ સત્કારતા હતા.