Nov 21, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-022

 

અધ્યાય-૧૭-અમૃત માટે સમુદ્ર-મંથનનો નિશ્ચય 


II सौतिरुवाच II एतास्मिन्नेव काले तु भगिन्यौ ते तपोधन I अपश्यतां समायाते उच्चैःश्रवसमंतिकात्  II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,બંને બહેનોએ (કદ્રૂ અને વિનતાએ) પોતાની પાસે ઉચ્ચૈશ્રવા નામના ઘોડાને પોતાની પાસે જોયો.કે જે ઘોડો,અમૃતને માટે સમુદ્રમંથન કરતી વખતે ઉપજ્યો (નીકળ્યો) હતો.આ ઘોડો,અશ્વોમાં રત્નરૂપ હતો,

અનુપમ,બળવાળો,શ્રેષ્ઠ,અજર અને દિવ્ય એવા આ ઘોડાને સર્વ દેવગણો પણ સત્કારતા હતા.

Nov 20, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-021

અધ્યાય-૧૫-સર્પોને,માતાએ આપેલ શાપ 


II सौतिरुवाच II मात्रा हि भुजगाः शप्ताः पूर्व ब्रह्मविदांवर I जनमेजयस्य वो यज्ञे धक्षत्यनिलसारथिः  II १ II

સૂતજી બોલ્યા-પૂર્વે,સર્પોને તેમની માતાએ શાપ આપ્યો હતો કે-'જન્મેજયના યજ્ઞમાં અગ્નિ તમને બાળી નાખશે'

કે જે શાપની શાંતિ માટે જ વાસુકિએ પોતાની બહેન જરુત્કારુને આપી હતી.તે જરુત્કારુ ઋષિએ,તેને વિધિપૂર્વક સ્વીકારી હતી,કે જે બંનેથી,તેમને આસ્તીક નામે પુત્ર થયો હતો.તે તપસ્વી,મહાત્મા,વેદમાં પારંગત,

સર્વ લોકને સમદ્રષ્ટિ રાખનારો અને માતપિતાનાં બંને કુળોના ભયને દૂર કરનારો હતો.

Nov 19, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-020


આસ્તીક પર્વ

અધ્યાય-૧૩-જરુત્કારૂનો પિતૃઓ સાથે સંવાદ 

(અધ્યાય-1 માં જણાવ્યા મુજબ કેટલાક અહીં (આસ્તીક પર્વ) થી મહાભારતની કથાનો પ્રારંભ કરે છે)

II शौनक उवाच II किमर्तः राजशार्दुलः स राज जनमेजयः I सर्पसत्रेण सर्पाणां गतोSतं तद्वदस्य मे II १ II

શૌનક બોલ્યા-રાજાઓમાં સિંહ સમાન,તે જન્મેજય રાજાએ,શા કારણથી સર્પસત્રથી સર્પોનો અંત આણ્યો?

વળી,દ્વિજવાર આસ્તીકે,શા માટે સર્પોને અગ્નિમાંથી છોડાવ્યા હતા? આસ્તીક હે જન્મેજયના વિષે કહો,

કે તેઓ કોના પુત્ર હતા? આસ્તીકની મનોરમ કથા હું સાંભળવા ઈચ્છું છું.

Nov 18, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-019

 

અધ્યાય-૧૦-રુરુ અને ડુંડુંભનો સંવાદ 


II रुरु उवाच II मम प्राणसमा भार्या दष्टासिद्मुजगेन ह I तत्र भे समयो घोर आत्मनोरग वै कृतः II १ II

રુરુ બોલ્યો-મારી પ્રાણસમી પત્નીને એક સર્પ કરડ્યો હતો,ત્યારથી મેં એક ભયંકર નિયમ લીધો છે કે-

મારા જોવામાં,જે કોઈ સર્પ આવે તેને હું મારી નાખું છું,એટલે આજે હું પણ તને મારીશ.


ડુંડુંભ બોલ્યો-હે તપોધન,માણસોને જે ડસે છે તે સર્પો જુદા છે,માત્ર સાપના આકાર જેવા (ડેંડવા) અમોને,

મારવા તમોને ઘટતા નથી,અમે સર્પોની જાતિના છીએ,તેથી જ તેમની જેમ,અમે હાનિ પામીએ છીએ,

દુઃખ પામીએ છીએ પણ તેમની જેમ સુખ પામતા નથી,તમે અમને મારવા જોઈએ નહિ 

Nov 17, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-018

 
અધ્યાય-૮-રુરુનું ચરિત્ર-પ્રમદવરાને સર્પદંશ 

II सौतिरुवाच II स चापि च्यवनो ब्रह्मन् भार्गवोऽजनयत्सुतम् I सुकन्यायां महात्मानं प्रमतिं दीप्ततेजसम् II १ II

સૂતજી બોલ્યા-હે બ્રહ્મન,તે ચ્યવને (ભાર્ગવે) સુકન્યામાં,મહાત્મા ને કાંતિવાળો પ્રમતિ-નામે પુત્ર ઉત્પન્ન કર્યો,

પ્રમતિએ,ધૃતાચીમાં રુરુ નામે પુત્ર પેદા કર્યો,રુરુએ પ્રમદવરામાં શુનકને જન્મ આપ્યો.

અત્યંત તેજસ્વી,રુરુનું ચરિત્ર,હવે હું વિસ્તારથી કહીશ તે તમે સાંભળો.