II वैशंपायन उवाच II एवं श्रुत्वा तु पुत्रस्य प्रज्ञाचक्षुर्नराधिपः I कणिकस्य च वाक्यानि तानि श्रुत्वा स सर्वशः II १ II
વૈશંપાયન બોલ્યા-પુત્રનું આવું કહેવું સાંભળીને,પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્ર રાજાએ,કણિકનાં સર્વ વચનો સંભાર્યા.તે દ્વિધામાં
પડ્યો ને શોક કરવા લાગ્યો.પછી,દુર્યોધને,શકુનિ,કર્ણ-આદિ સાથે મંત્રણા કરી ને તે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે-
'તમે કોઈ સારી યુક્તિ કરીને પાંડવોને વારણાવત નગરમાં ખસેડી મુકો,તો પછી તેમનો ભય રહેશે નહિ'
પુત્રનું વચન સાંભળીને ધૃતરાષ્ટ્રે થોડીવાર વિચાર કર્યો ને પછી તે દુર્યોધનને કહેવા લાગ્યો કે-(1-5)

