Feb 28, 2024

મનહર-By અનિલ શુક્લ


મનને હરનાર મનહર,હરિએ હરી જ લીધું છે જ્યાં મનને,

ના ચિતા,ના ચાહના,મન જ નથી તો નાથવું કયા મનને?


ન રહ્યું કોઈ ભાન દેશ-કાળ કે શરીરનું,હરિમાં જ્યાં સમાણાં,

અનંગ ઉન્માદ,પ્રેમ-મસ્ત આનંદમાં,નયનમાં નીર ના સમાણાં.


વ્હાલાને કર્યું વ્હાલ,ચિત્તચોરે ચોર્યું ચિત્તને,પ્રેમ-વહાણાં વાયાં,

સમાઈ હરિમાં ગયા,બેસી ગોદમાં તેની,બન્યા હરિના જાયા.


અનિલ-એપ્રિલ-3-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-440

 

અધ્યાય-૧૪૭-ભીમ અને હનુમાનનો સંવાદ 


II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य वानरेन्द्रस्य धीमतः I भीमसेनस्तदा वीरः प्रोवाचामित्रकर्षणः II १ II

વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન વાનરરાજનાં વચન સાંભળીને શત્રુનો નાશ કરનાર ભીમે ઉત્તર આપ્યો કે-

'તું કોણ છે?અને શા માટે તેં આ વાનરનું રૂપ ધારણ કર્યું છે?હું ક્ષત્રિય વર્ણનો છું,કુરુકુળનો પાંડુપુત્ર છું,

વાયુથી ઉત્પન્ન થયેલો હું ભીમસેન છું' ત્યારે હનુમાને સ્મિત કરીને તેને કહ્યું કે-'હું વાનર છું.

હું તને તારો ઈચ્છીત માર્ગ નહિ આપું,તું અહીંથી ક્ષેમકુશળ પાછો ફરી,નકામો વિરોધ કરીશ નહિ'(5)

Feb 27, 2024

કેવળ હરિ નામ-By અનિલ શુક્લ

 

વલોવો ભલે  વેદ ને શાસ્ત્રો,ને મથો ઘણું,અંતે તો છે હરિ-નામ,

જીવન ટૂંકું,કલિમાં,ન થઇ શકે તપ-સાધન,હરિ-કીર્તન જ ઉપાય.


મુશ્કેલ છે ઘણો,તરી જવો,આ સંસાર-રૂપી સાગરને,આ કલિમાં,

હરિનામની હોડી બનાવી,હરિ-કીર્તનથી તરી જવું,એ જ ઉપાય.


મુક્તિ કે ભુક્તિની આશા રહેવા દે જીવ,ઘોર છે આ કલિયુગ,

કેવળ હરિ નામ,કેવળ હરિ-કીર્તન કરી,યાચું માત્ર તને ભગવાન.


અનિલ 

એપ્રિલ-7-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-439

 

અધ્યાય-૧૪૬-ભીમ અને હનુમાનનો મેળાપ 


II वैशंपायन उवाच II तत्र ते पुरुषव्याघ्राः परमं शौचमास्थिताः I पध्रात्रमयसन्विरा धनंजयदिदक्षवः II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યાં તે પાંડવો,ધનંજયને જોવાની ઈચ્છાથી પરમ પવિત્ર થઈને છ રાત રહ્યા.

હવે,એકાએક ઈશાન ખૂણામાંથી વાયુ વાવા લાગ્યો અને તે સૂર્ય જેવી કાંતિવાળું એક સહસ્ત્ર પાંખડીવાળું દિવ્ય કમળ ત્યાં ખેંચી લાવ્યો.ત્યારે દ્રૌપદીએ જમીન પર પડેલા તે દિવ્ય ગંધવાળા,સુંદર ને પવિત્ર કમળને જોયું.

અત્યંત આનંદ પામીને તેણે ભીમને કહ્યું કે-'મારા મનને આનંદ આપનારું આ ઉત્તમોત્તમ કમળ જુઓ,એ હું ધર્મરાજને આપીશ.હે પાર્થ તમને જો હું વહાલી હોઉં તો આવા અનેક કમળો તમે લઇ આવજો કેમ કે હું તેમને કામ્યક વનમાં લઇ જવા ઈચ્છું છું' આમ કહી તે તરત જ તે કમળ ધર્મરાજને આપવા ગઈ.(8)

Feb 26, 2024

તરંગ-By અનિલ શુક્લ

 

પૂછે સર્વ -કે બીજા શું ખબર? તો વિચારું કે જવાબ શું દઉં?

બેખબર છે દિલ,નથી રહયો જ્યાં 'હું' તો જગતની ખબર શું દઉં?


ખબર જ્યાં એ 'એક' ની થઇ,તો પછી 'બીજાની' ખબર તો ક્યાંથી રહે?

તરંગ ને ખબર હતી તેની,પણ બન્યું બેખબર,જ્યાં સાગરમાં સમાઈ ગયું.

--અનિલ મે,21,2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com