Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 8, 2024
શિવોહમ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-480
અધ્યાય-૧૯૫-યયાતિનું ચરિત્ર
II मार्कण्डेय उवाच II इदमन्य्च्छ्रुयतां ययातिर्नाहुषो राजा राज्यस्थः पौरजनावृत आसांचक्रे I
गुर्वर्थि ब्राह्मण उपेत्याब्रवीत भो राज्न्गुर्वर्थे भिक्षेयं समयादिति II १ II
માર્કંડેય બોલ્યા-હવે આ બીજું ચરિત્ર સાંભળો.નહુષપુત્ર યયાતિરાજ એકવાર નગરજનોથી ઘેરાઈને
બેઠો હતો ત્યાં એક બ્રાહ્મણ ગુરુદક્ષિણા માટે તેની પાસે આવી બોલ્યો કે-
'હે રાજન,હું એક શરતે તમારી પાસેથી ગુરુદક્ષિણા માટે ભિક્ષા માગીશ' રાજા બોલ્યો-'આપ શરત કહો'
બ્રાહ્મણ બોલ્યો-આ જીવલોકમાં મનુષ્યની પાસે યાચના કરવામાં આવે તો તે મનુષ્ય યાચકનો મહાદ્વેષ કરે છે
આથી હે રાજન,હું તમને પૂછું છું કે-તમે આજે મારી પ્રિય વસ્તુ કેવી રીતે મને આપશો?
Apr 7, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-479
અધ્યાય-૧૯૩-ઇન્દ્ર અને બકનો સંવાદ
II वैशंपायन उवाच II
मार्कण्डेयमृपयो ब्राह्मणा युधिष्ठिरश्च पर्यप्रुच्छनृपिः I केन दीर्घायुरासीत बको मार्कण्डेयस्तु तान्सर्वानुवाच II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઋષિઓ,બ્રાહ્મણો અને યુધિષ્ઠિર એ સૌએ માર્કંડેય ઋષિને પૂછ્યું કે-બકઋષિ શી રીતે દીર્ઘાયુ થયા હતા?અમે સાંભળ્યું છે કે-બક અને ડાલ્ભ્ય એ બે ઋષિઓ દેવરાજ ઇન્દ્રના મિત્ર હતા,તે બક અને ઇન્દ્રના સુખદુઃખભર્યા સમાગમ વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ તો તે અમને યથાર્થ કહો' (5)
Apr 6, 2024
અનહત-નાદ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-478

અધ્યાય-૧૯૨-મંડૂકનું ઉપાખ્યાન
II वैशंपायन उवाच II भूव एव ब्राह्मणमहाभाग्यं वक्तुमर्हसीत्यव्रवित्पांडवे यो मार्कण्डेयं II १ II
વૈશંપાયન બોલ્યા-'પાંડુપુત્ર યુધિષ્ઠિરે માર્કંડેયને કહ્યું-તમે બ્રાહ્મણના મહાભાગ્યને ફરીથી કહેવા યોગ્ય છો'
માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોનું આ અપૂર્વ ચરિત્ર તમે સાંભળો.અયોધ્યામાં ઇક્ષ્વાકુ કુળનો પરીક્ષિત નામે રાજા હતો.
એકવાર તે મૃગયાએ નીકળ્યો હતો ત્યારે એક મૃગની પાછળ તે દૂર દૂર ગયો,તે થાક્યો ને ભૂખ-તરસથી પીડાયો,
ત્યારે તેણે તે વનમાં એક રમણીય સરોવર જોયું,ત્યાં તેણે સ્નાન કરી તેના કિનારે સૂતો હતો ત્યારે
તે મધુર ગીતના સ્વરોથી જાગી ગયો ને તેણે એક રૂપવતી કન્યાને ફૂલો વીણતી જોઈ.



