Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 9, 2024
સુગંધમયતા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-481
અધ્યાય-૧૯૭-શિબિરાજાની પરીક્ષા
II मार्कण्डेय उवाच II देवानां कथा संजाता महीतलं गत्वा महिपतिं शिविमौशिनरं साध्वेनं शिवि जिज्ञास्याम उति I
एवं भो इत्युक्त्वा अग्निंद्रावुपतिष्ठेताम II १ II
માર્કંડેય બોલ્યા-એકવાર દેવોમાં વાત નીકળી કે-આપણે પૃથ્વી પર ઉશીનરપુત્ર શિબિરાજની પાસે જઈને તેની સારી
રીતે પરીક્ષા લઈએ.તે પરીક્ષા લેવા અગ્નિ ને ઇન્દ્ર તૈયાર થયા.અગ્નિએ હોલાનું રૂપ લીધું ને ઇન્દ્રે બાજનું રૂપ લઈને
માંસની ઈચ્છાથી વેગથી તેની પાછળ પડ્યો.હોલો પણ ગતિથી દોડીને દિવ્ય આસન પર વિરાજેલા
શિબિરાજાના ખોળામાં જઈને પડ્યો.ને રાજાને કહેવા લાગ્યો કે-
Apr 8, 2024
શિવોહમ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-480
અધ્યાય-૧૯૫-યયાતિનું ચરિત્ર
II मार्कण्डेय उवाच II इदमन्य्च्छ्रुयतां ययातिर्नाहुषो राजा राज्यस्थः पौरजनावृत आसांचक्रे I
गुर्वर्थि ब्राह्मण उपेत्याब्रवीत भो राज्न्गुर्वर्थे भिक्षेयं समयादिति II १ II
માર્કંડેય બોલ્યા-હવે આ બીજું ચરિત્ર સાંભળો.નહુષપુત્ર યયાતિરાજ એકવાર નગરજનોથી ઘેરાઈને
બેઠો હતો ત્યાં એક બ્રાહ્મણ ગુરુદક્ષિણા માટે તેની પાસે આવી બોલ્યો કે-
'હે રાજન,હું એક શરતે તમારી પાસેથી ગુરુદક્ષિણા માટે ભિક્ષા માગીશ' રાજા બોલ્યો-'આપ શરત કહો'
બ્રાહ્મણ બોલ્યો-આ જીવલોકમાં મનુષ્યની પાસે યાચના કરવામાં આવે તો તે મનુષ્ય યાચકનો મહાદ્વેષ કરે છે
આથી હે રાજન,હું તમને પૂછું છું કે-તમે આજે મારી પ્રિય વસ્તુ કેવી રીતે મને આપશો?
Apr 7, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-479
અધ્યાય-૧૯૩-ઇન્દ્ર અને બકનો સંવાદ
II वैशंपायन उवाच II
मार्कण्डेयमृपयो ब्राह्मणा युधिष्ठिरश्च पर्यप्रुच्छनृपिः I केन दीर्घायुरासीत बको मार्कण्डेयस्तु तान्सर्वानुवाच II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઋષિઓ,બ્રાહ્મણો અને યુધિષ્ઠિર એ સૌએ માર્કંડેય ઋષિને પૂછ્યું કે-બકઋષિ શી રીતે દીર્ઘાયુ થયા હતા?અમે સાંભળ્યું છે કે-બક અને ડાલ્ભ્ય એ બે ઋષિઓ દેવરાજ ઇન્દ્રના મિત્ર હતા,તે બક અને ઇન્દ્રના સુખદુઃખભર્યા સમાગમ વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ તો તે અમને યથાર્થ કહો' (5)




