અધ્યાય-૧૬૬-ભીમ અને દુર્યોધનનું યુદ્ધ-દુર્યોધન નાઠો
II संजय उवाच II भुरिस्तु समरे राजन शैनेयं रथिनां वरम् I आपतंतमयासेधत् प्रयाणादिव कुंजरं II १ II
સંજય બોલ્યો-હે રાજન,ઢાળવાળી જમીન પર દોડી આવતા હાથીને જેમ અટકાવવામાં આવે તેમ,એ યુદ્ધમાં ધસી આવતા સાત્યકિને કૌરવ ભુરિએ અટકાવ્યો હતો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.બંને અરસપરસ બાણો મૂકી એકબીજાના ધનુષ્યને કાપતા હતા પણ તે બંને કુશળ યોદ્ધાઓ પલકવારમાં જ નવું ધનુષ્ય લઈને એકબીજાની છાતી પર પ્રહાર કરતા હતા.બંને અત્યંત વીંધાઈ ગયા હતા.છેલ્લે જયારે ભૂરિએ સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે અત્યંત ક્રોધાયમાન થયેલા સાત્યકિએ એક મહાન વેગવાળી શક્તિનો પ્રહાર કર્યો કે જેના પ્રહારથી ભુરિનાં અંગો છિન્નભિન્ન થયાં ને તે મરણશરણ થયો.

